Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 13:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તેથી ઈશ્વરનો કોશ કિર્યાથ-યારીમથી લાવવા માટે દાઉદે મિસરના શિહોરથી તે હમાથના નાકા સુધીના સર્વ ઇઝરાયલને એકત્ર કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તેથી કિર્યાથ-યારીમથી કરારપેટીને યરુશાલેમ લાવવા દાવિદે દક્ષિણમાં ઇજિપ્તની સરહદે આવેલ શિહોરથી ઉત્તરમાં હમાથઘાટ સુધી સમસ્ત દેશના ઇઝરાયલી લોકોને એકત્ર કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેથી દાઉદે ઈશ્વરના કરારકોશને કિર્યાથ-યારીમથી લાવવા માટે, મિસરના શિહોરથી તે હમાથના નાકા સુધીના સર્વ ઇઝરાયલને ભેગા કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તેથી દાઉદે મિસરની સરહદે આવેલા શિહોરથી માંડીને છેક હમાથ સુધીના દેશભરના બધા ઇસ્રાએલીઓને કરારકોશ કિર્યાથ-યઆરીમથી યરૂશાલેમ લઇ આવવા માટે ભેગા કર્યા.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 13:5
16 Iomraidhean Croise  

દાઉદે ઇઝરાયલમાંથી ચૂંટી કાઢેલા સર્વ માણસોને ફરીથી એકત્ર કર્યા. તે ત્રીસ હજાર હતા.


નદીથી તે પલિસ્તીઓના દેશ સુધી, તથા મિસરની સીમા સુધીનાં સર્વ રાજ્યો પર સુલેમાન હકૂમત‍ ચલાવતો હતો. તેઓ નજરાણાં લાવતા, ને સુલેમાનની જિંદગીના સર્વ દિવસોભર તેઓ તેની તાબેદારી કરતા રહ્યાં.


એ પ્રમાણે તે સમયે આપણા ઈશ્વર યહોવાની આગળ સાત દિવસ ને સાત દિવસ એટલે ચૌદ દિવસ સુધી સુલેમાને તથા તેની સાથે સર્વ ઇઝરાયલે, એટલે હમાથના નાકાથી તે મિસરના વહેળા સુધી [ના લોકો] ની મોટી સભાએ, ઉત્સવ કર્યો.


બાબિલના રાજાએ તેઓને હમાથ દેશમાંના રિબ્લાહમાં માટી નાખ્યા. એ પ્રમાણે યહૂદિયાના લોકોને તેમના દેશમાંથી બંદીવાન કરીને લઈ જવામાં આવ્યા.


તે વાત સર્વ લોકોની ર્દષ્ટિમાં ઠીક લાગી, અને આખી સભાએ કહ્યું, “આપણે એમ કરીશું.”


કરુબો પર બિરાજમાન ઈશ્વર, જે યહોવા નામથી ઓળખાય છે, તેમનો કોશ ત્યાંથી લઈ આવવા માટે દાઉદ તથા સર્વ ઇઝરાયલ બાલામાં, એટલે યહૂદિયાના કિર્યાથ-યારીમમાં ભેગા થયા.


તેણે યહોવાના કોશને માટે તૈયાર કરેલી જગાએ તેને લઈ જવા માટે યરુશાલેમમાં સર્વ ઇઝરાયલીઓને ભેગા કર્યાં.


જળનિધિ પર શીહોરનું બીજ તથા નીલ નદીની પેદાશ તેની આવક હતી; અને તે વિદેશીઓનું બજાર હતો.


હવે મિસરને માર્ગે જઈને નીલનું પાણી પીવાનું તારે શું કામ છે? અને આશૂરને માર્ગે જઈને [ફ્રાત] નદીનું પાણી પીવાનું તારે શું કામ છે?


અને ઇઝરાયલી લોકો, ચાલી નીકળીને ત્રીજે દિવસે તેઓનાં નગરોમાં પહોંચ્યા. હવે તેઓનાં નગરો તો ગિબ્યોન ને કફીરા ને બેરોથ ને કિર્યાથ-યારીમ હતાં.


પછી તેઓએ કિર્યાથ-યારીમના લોકો પાસે સંદેશિયા મોકલીને કહ્યું, “પલિસ્તીઓ યહોવાનો કોશ પાછો લાવ્યા છે. તમે નીચે ઊતરીને તે તમારે ત્યાં લઈ જાઓ.”


અને કિર્યાથ-યારીમના માણસો ત્યાં ગયા, ને યહોવાનો કોશ લઈ જઈને પર્વત પર અબીનાદાબનું ઘર હતું તેમાં તેઓએ તે મૂક્યો, ને તેના દીકરા એલાઝારને યહોવાના કોશની સંભાળ રાખવાને પ્રતિષ્ઠિત કર્યો.


અને એમ થયું કે જે દિવસથી કોશ કિર્યાથ-યારીમમાં રહ્યો ત્યારથી લાંબો સમય વીતી ગયો, એટલે વીસ વર્ષ થઈ ગયાં; અને ઇઝરાયલના આખા ઘરનું વલણ યહોવા પ્રતિ થયું.


Lean sinn:

Sanasan


Sanasan