Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 13:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 યહોવા ઉઝ્ઝા પર તૂટી પડ્યા, તેથી દાઉદને ખોટું લાગ્યું, તેથી તે જગાનું નામ તેણે “પેરેસ-ઉઝ્ઝા પાડ્યું. આજ સુધી તે નામ ચાલે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 તેથી, એ સ્થળનું નામ પેરેસ-ઉઝઝા (અર્થાત્ ઉઝ્ઝા પર ત્રાટકવું) પડયું, અને તે આજદિન સુધી એ જ નામે ઓળખાય છે. પ્રભુએ પોતાના કોપમાં ઉઝઝાને શિક્ષા કરી તેથી દાવિદ ગુસ્સે થઈ ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 દાઉદને ઘણું ખોટું લાગ્યું કેમ કે યહોવાહે ઉઝઝાને શિક્ષા કરી હતી. તેથી તે જગ્યાનું નામ પેરેસ-ઉઝઝા પડ્યું, જે આજ સુધી તે જ નામે ઓળખાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 યહોવાએ આમ ઉઝઝા પર આક્રમણ કર્યુ. એથી દાઉદને ખોટું લાગ્યુ. અને તેણે તે જગ્યાનું નામ “પેરેસ-ઉઝઝા” પાડ્યું જે આજે પણ તે જ નામે ઓળખાય છે.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 13:11
11 Iomraidhean Croise  

એ માટે ઇઝરાયલીઓ આજ સુધી જાંઘના સાંધા પરનો સ્નાયુ ખાતા નથી; કેમ કે તે પુરુષ યાકૂબની જાંઘના સાંધા પરના સ્નાયુને અડકયો હતો.


અને યહોવાનો કોપ ઉઝઝા પર સળગ્યો. અને ત્યાં ઈશ્વરે તેને તેના અપરાધને લીધે માર્યો; અને ત્યાં તે ઈશ્વરના કોશ આગળ મરણ પામ્યો.


દાઉદને તે દિવસે યહોવાનો ડર લાગ્યો; અને તેણે કહ્યું, “યહોવાનો કોશ મારી પાસે કેમ કરીને આવી શકે?”


તેથી યહોવાનો કોપ તેના પર સળગી ઊઠ્યો; અને યહોવાએ એને શિક્ષા કરી, ને ત્યાં ઈશ્વર આગળ એ મરણ પામ્યો.


તે દિવસે દાઉદે ઈશ્વરથી ડરીને કહ્યું, “હું મારે ઘેર ઈશ્વરનો કોશ કેમ કરીને લાવું?”


તમે પહેલે વખતે તેને ન [ઊંચક્યો] , માટે આપણા ઈશ્વર યહોવા આપણા પર તૂટી પડ્યા, કેમ કે આપણે નિયમ પ્રમાણે તેમની હજૂરમાં ગયા નહિ.”


અને વળી જે યાજકો યહોવાની હજૂરમાં આવે, તેઓ પોતાને શુદ્ધ કરે, રખેને યહોવા તેઓ ઉપર તૂટી પડે.”


ત્યારે યહોવાએ કહ્યું, “તું ગુસ્સે થાય છે એ તું શું સારું કરે છે?”


ત્યારે ઈશ્વરે યૂનાને કહ્યું, “કીકાયોનના વેલાને લીધે તું ગુસ્સે થાય છે તે તું ઠીક કરે છે?” તેણે કહ્યું, “ગુસ્સે થવાથી, મારું મોત આવે તોપણ તે મને વાજબી લાગે છે.”


અને મોઆબ દેશના નીચાણમાં યહોવાએ બેથ-પેઓરની સામે તેને દાટ્યો, પણ આજ સુધી કોઈ માણસ તેની કબર વિષે જાણતું નથી.


અને યર્દન મધ્યે, એટલે જ્યાં કરારકોશ ઊંચકનારા યાજકો ઊભા રહ્યા હતા તે સ્થળે, યહોશુઆએ બાર પથ્થર ઊભા કર્યા. અને તેઓ આજ સુધી ત્યાં છે.


Lean sinn:

Sanasan


Sanasan