Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 11:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 યબૂસના રહેવાસીઓએ દાઉદને કહ્યુ, “તારાથી કદી પણ અંદર આવી શકાશે નહિ.” તો પણ દાઉદે સિયોનનો કિલ્લો જીતી લીધો. તે જ દાઉદ નગર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 યબૂસીઓએ દાવિદને કહ્યું કે તું નગરમાં પ્રવેશી શકવાનો નથી; પણ દાવિદે તેમનો સિયોનનો કિલ્લો જીતી લીધો. તે પછી તે “દાવિદનગર” કહેવાયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 યબૂસના રહેવાસીઓએ દાઉદને કહ્યું, “તારાથી અંદર આવી શકાશે નહિ.” તો પણ દાઉદે સિયોનનો કિલ્લો જીતી લીધો. તે જ દાઉદ નગર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 યબૂસના રહેવાસીઓએ તેઓને નગરમાં પ્રવેશવા દીધા નહિ. તો પણ દાઉદે સિયોનનો કિલ્લો જીતી લીધો. તે પાછળથી દાઉદનગર તરીકે ઓળખાયો.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 11:5
26 Iomraidhean Croise  

દાઉદ તે કિલ્‍લામાં રહ્યો, ને તેણે તેનું નામ ‘દાઉદનગર’ પાડ્યું. અને દાઉદે મિલ્લોથી માંડીને અંદરની તમામ જગામાં ઇમારતો ઉઠાવી.


આથી દાઉદ યહોવાનો કોશ પોતાની પાસે દાઉદનગરમાં લ ઈ આવવા ઇચ્છતો નહોતો, પણ દાઉદ તેને બીજી જગાએ, એટલે ઓબેદ-અદોમ ગિત્તીના ઘરમાં લઈ ગયો.


અને દાઉદ રાજાને સમાચાર મળ્યા, “ઈશ્વરના કોશને લીધે યહોવાએ ઓબેદ-અદોમના કુટુંબને તથા તેના સર્વસ્વને આશીર્વાદ આપ્યો છે, ” ત્યારે દાઉદ જ ઈને ઈશ્વરના કોશને ઓબેદ-અદોમના ઘરમાંથી દાઉદનગરમાં ઉત્સવ સાથે લઈ આવ્યો.


પછી સુલેમાને ઇઝરાયલના વડીલોને તથા કુળોના સર્વ મુખ્ય માણસોને એટલે ઇઝરાયલી લોકોના પિતૃઓનાં [કુટુંબો] ના આગેવાનોને, યરુશાલેમમાં સુલેમાન રાજા પાસે એકત્ર કર્યાં કે, તેઓ દાઉદના સિયોન નગરમાંથી યહોવાનો કરારકોશ લઈ આવે.


દાઉદ તથા સર્વ ઇઝરાયલ યરુશાલેમ તથા (એટલે યબૂસ) ગયા. દેશના મૂળ રહેવાસી યબૂસીઓ ત્યાં હતા.


દાઉદે કહ્યું, “જે કોઈ યબૂસીઓને પ્રથમ મારશે તે સેનાપતિ થશે.” સરુયાનો પુત્ર યોઆબ પ્રથમ ચઢી ગયો, ને સેનાપતિ બન્યો.


દાઉદ કિલ્લામાં રહ્યો; માટે તેઓએ તેનું નામ દાઉદનગર પાડ્યું.


ત્યાર પછી દાઉદનગરમાંથી એટલે સિયોનમાંથી યહોવાનો કરારકોશ લઈ આવવા માટે સુલેમાને ઇઝરાયલના વડીલોને તથા કુળોના સર્વ આગેવાનોને, એટલે ઇઝરાયલી લોકોના પિતૃઓના કુટુંબોના વડીલોને યરુશાલેમમાં એકત્ર કર્યાં.


કેમ કે ત્યાં ઇનસાફનાં રાજ્યાસનો- દાઉદના કુટુંબનાં રાજ્યાસનો- સ્થાપવામાં આવેલાં છે.


કેમ કે યહોવાએ સિયોનને પસંદ કર્યું છે; તેમણે પોતાના નિવાસસ્થાનને માટે તેને ઇચ્છયું છે.


પરંતુ મારા પવિત્ર પર્વત સિયોન પર મેં મારા રાજાને પ્રતિષ્ઠિત કર્યો છે.


મોટા રાજાનું નગર, ઉત્તર બાજુએ, ઊંચાઈમાં ખૂબસૂરત, અને આખી પૃથ્વીના આનંદરૂપ સિયોન પર્વત છે.


પણ તેમણે યહૂદાના કુળને, એટલે પોતાના વહાલા સિયોન પર્વતને, પસંદ કર્યો.


યાકૂબનાં સર્વ રહેઠાણ કરતાં સિયોનના દરવાજા યહોવાને પ્રિય લાગે છે.


વળી સિયોન વિષે કહેવાશે, “આ માણસનો તથા પેલા માણસનો જન્મ તેમાં થયો; પરાત્પર પોતે તેને સ્થિર રાખશે.”


યહોવા સિયોનમાં રહે છે, તેમનાં સ્તોત્ર ગાઓ; લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો.


લખેલું છે, “જુઓ, હું સિયોનમાં ઠેસ ખવડાવનાર પથ્થર, ને ઠોકરરૂપ ખડક મૂકું છું. જે કોઈ તેના ઉપર વિશ્વાસ કરશે તે શરમાશે નહિ.”


પણ તમે તો સિયોન પહાડની પાસે, અને જીવતા ઈશ્વરના શહેરની પાસે, એટલે સ્વર્ગીય યરુશાલેમની પાસે, અને હજારોહજાર દૂતોની પાસે,


પછી મેં જોયું, તો જુઓ, સિયોન પહાડ પર હલવાન ઊભેલું હતું. અને તેની સાથે એક લાખ ચુમ્માળીસ હજાર [સંતો] હતા. તેઓનાં કપાળ પર તેનું તથા તેના પિતાનું નામ લખેલું હતું.


પણ તે માણસ તે રાતે ત્યાં રહેવા રાજી નહોતો, તેથી તે ઊઠીને વિદાય થયો, ને યબૂસ (એટલે યરુશાલેમ) પાસે આવી પહોંચયો. તેની પાસે જીન બાંધેલાં બે ગધેડાં હતાં. તેની ઉપપત્ની પણ તેની સાથે હતી.


અને દાઉદે પાસે ઊભેલા માણસોને પૂછ્યું, “જે માણસ આ પલિસ્તીને મારી નાખે, ને ઇઝરાયલનું મહેણું દૂર કરે, તેને શું મળશે? કેમ કે આ બેસુન્‍નત પલિસ્તી કોણ કે તે જીવતા ઈશ્વરનાં સૈન્યનો તિરસ્કાર કરે?”


તારા સેવકે સિંહ તથા રીંછ એ બન્‍નેને મારી નાખ્યા; અને આ બેસુન્‍નત પલિસ્તીના હાલ પણ એ બેમાંના એકના જેવા થશે, કેમ કે તેણે જીવતા ઈશ્વરનાં સૈન્યનો તિરસ્કાર કર્યો છે.”


Lean sinn:

Sanasan


Sanasan