Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 14:10 - પવિત્ર બાઇબલ C.L.

10 ઉત્તરમાં ગેબાથી માંડીને દક્ષિણમાં રિમ્મોન સુધીનો સમગ્ર પ્રદેશ સપાટ થઈ જશે. યરુશાલેમ આસપાસના સર્વ પ્રદેશ કરતાં ઊંચું કરાશે; શહેરનો વિસ્તાર બિન્યામીનના દરવાજાથી અગાઉ જ્યાં દરવાજો હતો ત્યાં ખૂણાના દરવાજા સુધી અને હનાનએલના બુરજથી રાજવી દ્રાક્ષકુંડ સુધીનો હશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 આખો દેશ ગેબાથી તે યરુશાલેમની દક્ષિણે રિમ્મોન સુધી બદલાઈને મેદાન થઈ જશે. બિન્યામીનના દરવાજાથી પહેલા દરવાજા સુધી, અને હનાનેલના બુરજથી તે રાજાના દ્રાક્ષાકુંડ સુધી, [યરુશાલેમને] ઊંચું કરવામાં આવશે, અને તે પોતાને સ્થાને રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 સમગ્ર પ્રદેશ ગેબાથી તે યરુશાલેમની દક્ષિણે રિમ્મોન સુધી અરાબાહ જેવો થઈ જશે. યરુશાલેમ બિન્યામીનના દરવાજાથી પહેલા દરવાજાની જગા સુધી, એટલે ખૂણાના દરવાજા સુધી અને હનાનએલના બુરજથી તે રાજાના દ્રાક્ષકુંડ સુધી ઊંચું કરવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 યરૂશાલેમની આસપાસનો સમગ્ર પ્રદેશ ઉત્તરમાં ગેબાના મેદાનથી તે દક્ષિણમાં રિમ્મોન સુધી સપાટ મેદાન થઇ જશે, પણ યરૂશાલેમ બિન્યામીનના દરવાજાથી ખૂણાના દરવાજા સુધી જ્યાં પહેલાં એક દરવાજો હતો, અને હનાનએલના બુરજથી તે રાજાના દ્રાક્ષ ગૂંદવાના કૂંડાઓ સુધી, પોતાની જગ્યાએ ઊંચું જ રહેશે.

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 14:10
28 Iomraidhean Croise  

પછી આસા રાજાએ સમસ્ત યહૂદિયામાં હુકમ ફરમાવ્યો કે રામાને કિલ્લેબંધી કરવા બાશા જે પથ્થરો અને લાકડાં વાપરતો હતો તે ઊંચકી લાવવામાં એકેએક જણ મદદ કરે; એ સામગ્રી વડે આસાએ બિન્યામીનના પ્રદેશનાં મિસ્પા અને ગેબા નગરોને કિલ્લેબંધીવાળાં બનાવ્યાં.


ઇઝરાયલના રાજા યહોઆશે યહૂદિયાના રાજા એટલે અહાઝયાના પુત્ર યોઆશના પુત્ર અમાસ્યાને કેદ પકડયો. યરુશાલેમ તરફ આગળ વધીને તેણે એફ્રાઇમના દરવાજાથી છેક ખૂણાના દરવાજા સુધી લગભગ બસો મીટર જેટલો નગરકોટ તોડી પાડયો.


તેઓ એટામ, આઇન, રિમ્મોન, તોખેન અને આશાન એ બીજાં પાંચ સ્થળોમાં રહેતા હતા,


મરારીના ગોત્રનાં બાકીનાં કુટુંબોને નીચેનાં નગરો તેમનાં ગૌચર સહિત આપ્યાં: ઝબુલૂનના કુળપ્રદેશમાં યોકનીમ, ર્ક્તા, રિમ્મોન અને તાબોર.


યોઆશ બેથશેમેશથી અમાસ્યાને પકડીને યરુશાલેમ લઈ ગયો. ત્યાં તેણે એફ્રાઈમના દરવાજાથી માંડીને ખૂણાના દરવાજા સુધી નગરની લગભગ બસો મીટરની દીવાલ તોડી પાડી.


ઉઝિયાએ ખૂણાના દરવાજે, ખીણના દરવાજે અને જ્યાં જ્યાં કોટનો વળાંક હોય ત્યાં ત્યાં બુરજો બાંધીને યરુશાલેમના કોટને મજબૂત કર્યો.


ત્યાંથી અમે એફ્રાઈમ દરવાજે, યશાન્યા દરવાજે, માછલી દરવાજે, હનાનેલના બુરજે, શતક બુરજે અને છેક ઘેટાંના દરવાજે પહોંચ્યા. મંદિરના દરવાજા પાસે અમે અમારી કૂચ પૂરી કરી.


શહેરના કોટની મરામત આ રીતે કરવામાં આવી. મુખ્ય યજ્ઞકાર એલ્યાશીબ તથા તેના યજ્ઞકારોએ “ઘેટાના દરવાજા” બાંધકામ કર્યું. તેની પ્રતિષ્ઠા કર્યા પછી તેમણે દરવાજાનાં બારણાં ચડાવ્યાં. તેમણે શતક બુરજ સુધી અને છેક હનાનએલના બુરજ સુધી કોટનું બાંધકામ કર્યું.


તેઓ ખીણની પાર આવ્યા છે અને ગેબામાં રાતવાસો કર્યો છે. સમાના રહેવાસીઓ ધ્રૂજે છે અને શાઉલના નગર ગિબ્યાના લોકો નાસી ગયા છે.


આખરી દિવસોમાં પ્રભુના મંદિરનો પર્વત બધા પર્વતોમાં મુખ્ય બની રહેશે, અને તેને બધા ડુંગરો કરતાં ઊંચો કરવામાં આવશે. બધી પ્રજાઓ ત્યાં પ્રવાહની જેમ ચાલી આવશે.


તેથી તેણે યર્મિયાને ફટકા મરાવીને મંદિરના ઉપલા બિન્યામીન દરવાજાએ તેના પગ લાકડાની હેડમાં પૂર્યા.


પ્રભુ કહે છે, “હું યાકોબના વંશજોના તંબૂઓને પુન: ઊભા કરીશ, અને તેમના દરેક ઘરકુટુંબ પર દયા દર્શાવીશ. યરુશાલેમ તેના જૂના ટીંબા પર ફરીથી બંધાશે, અને તેના રાજમહેલને તેના મૂળ સ્થાને પુન: સ્થાપિત કરવામાં આવશે.


પણ જ્યારે તે બિન્યામીનના દરવાજે પહોંચ્યો ત્યારે હનાન્યાનો પૌત્ર અને શેલેમ્યાનો પુત્ર ઇરિયા જે ચોકીદારોનો ઉપરી હતો તેણે યર્મિયાને અટકાવ્યો અને આક્ષેપ કર્યો “તું ખાલદીઓના પક્ષમાં ભળી જવા જાય છે.”


હવે રાજમહેલમાં કામ કરતા એબેદ-મેલેખ નામના કૂશી અધિકારીએ સાંભળ્યું કે યર્મિયાને ટાંકામાં નાખી દેવામાં આવ્યો છે. તેથી રાજા જ્યારે બિન્યામીન દરવાજા પાસે રાજદરબારમાં બેઠો હતો,


પ્રભુ કહે છે, “એવો દિવસ આવે છે જ્યારે ખંડિયેર થયેલા ઘર જેવા દાવિદના રાજ્યની હું પુન:સ્થાપના કરીશ. હું તેની દીવાલોને સમારીને તેની મરામત કરીશ. હું તેને ફરીથી બાંધીશ અને તે પ્રાચીન સમયમાં જેવું હતું તેવું બનાવીશ.


પણ ભવિષ્યમાં એવા દિવસો આવે છે જ્યારે પ્રભુના મંદિરનો પર્વત બધા પર્વતો કરતાં ઊંચો કરાશે. ત્યાં ઘણી પ્રજાઓનાં ટોળેટોળાં ચાલ્યાં આવશે.


“તે સમયે હું યહૂદાનાં ગોત્રોને વનમાં અથવા પાકી ચૂકેલાં ખેતરોમાં સળગી ઊઠતી આગ જેવા બનાવીશ. તેઓ આસપાસની સર્વ પ્રજાઓનો નાશ કરશે. યરુશાલેમના રહેવાસીઓ શહેરમાં સલામત રહેશે.


પહેલા દૂતે બીજાને કહ્યું, “જા, દોડ, પેલા માપદોરીવાળા યુવાનને કહે કે યરુશાલેમમાં એટલા બધા લોકો, અને ઢોરઢાંક થવાનાં છે કે તેનો કોટ રાખી ન શકાય એટલું મોટું તે બનવાનું છે.


મારા પવિત્ર શહેર યરુશાલેમમાં હું પાછો ફરીશ અને ત્યાં જ વસીશ. તે તો વિશ્વાસુ નગર તરીકે ગણાશે અને સર્વસમર્થ પ્રભુનો પર્વત, પવિત્ર પર્વત કહેવાશે.


લબાઓથ, શિલ્હીમ, આયિન, રિમ્મોન. આ સર્વ નગરો તેમનાં ગામો સહિત એકંદરે ઓગણત્રીસ હતાં.


બિન્યામીનના કુળપ્રદેશમાંથી તેમને નગરોનાં ગોચર સહિત ચાર નગરો આપવામાં આવ્યાં: ગિબ્યોન, ગેબા,


બીજા કેટલાક ખુલ્લા પ્રદેશ તરફ વળીને રિમ્મોન ખડક તરફ ગયા. તેમાંથી પાંચ હજારનો તો રસ્તા પર જ સંહાર થયો. ઇઝરાયલીઓએ બાકીના લોકોનો છેક ગિદોમ સુધી પીછો કરીને બે હજારને મારી નાખ્યા.


પણ તેમાંથી છસો માણસો ખુલ્લા પ્રદેશમાં થઈને રિમ્મોન ખડક નાસી જઈને બચી ગયા અને ત્યાં તેઓ ચાર માસ રહ્યા.


પછી આખી સભાએ ‘રિમ્મોન ખડક’માં રહેલા બિન્યામીનીઓને સલાહશાંતિ માટે સંદેશો મોકલ્યો.


Lean sinn:

Sanasan


Sanasan