Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 1:1 - પવિત્ર બાઇબલ C.L.

1 ઇરાનના સમ્રાટ દાર્યાવેશના રાજ્યકાળના બીજા વર્ષના આઠમા માસમાં ઇદ્દોના પુત્ર બેરેખ્યાના પુત્ર ઝખાર્યા સંદેશવાહકને પ્રભુએ આ સંદેશ આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 દાર્યાવેશના બીજા વર્ષના આઠમા માસમાં, ઈદ્દોના દીકરા બેરેકિયાના દીકરા ઝખાર્યા પ્રબોધકની પાસે યહોવાનું વચન આવ્યું:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 દાર્યાવેશ રાજાના શાસનના બીજા વર્ષના આઠમા મહિનામાં પ્રબોધક ઇદ્દોના દીકરા બેરેખ્યાના દીકરા ઝખાર્યા પાસે યહોવાહનું વચન આવ્યું કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 દાર્યાવેશના અમલના બીજા વર્ષના આઠમા મહિનામાં પ્રબોધક ઇદૃોના પુત્ર બેરેખ્યાના પુત્ર ઝખાર્યા દ્વારા યહોવાનો સંદેશો મળ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 1:1
17 Iomraidhean Croise  

આમ, યરુશાલેમમાં પ્રભુના મંદિરનું બાંધકામ અટકી ગયું અને ઇરાનના સમ્રાટ દાર્યાવેશના શાસનકાળના છેક બીજા વર્ષ સુધી બંધ રહ્યું.


યહૂદિયા અને યરુશાલેમમાં વસતા યહૂદીઓને સંદેશવાહકો હાગ્ગાય અને ઇદ્દોના પુત્ર ઝખાર્યાએ ઇઝરાયલના ઈશ્વર તરફથી સંદેશ પ્રગટ કર્યો.


ઇરાનના સમ્રાટ દાર્યાવેશના અમલના બીજા વર્ષના છઠ્ઠા મહિનાની પહેલી તારીખે પ્રભુએ હાગ્ગાય સંદેશવાહક દ્વારા શઆલ્તીએલના પુત્ર, યહૂદિયાના રાજ્યપાલ ઝરુબ્બાબેલ અને યહોસાદાકના પુત્ર પ્રમુખ યજ્ઞકાર યહોશુઆ માટે સંદેશો મોકલ્યો.


તેથી સમ્રાટ દાર્યાવેશના અમલના બીજા વર્ષના છઠ્ઠા મહિનાની ચોવીસમી તારીખે લોકોએ પ્રભુના મંદિરનું બાંધક્મ શરૂ કર્યું.


તેથી પ્રભુએ હાગ્ગાય સંદેશવાહક દ્વારા લોકોને આ સંદેશો આપ્યો:


સમ્રાટ દાર્યાવેશના અમલના બીજા વર્ષના નવમા મહિનાની ચોવીસમી તારીખે સર્વસમર્થ પ્રભુએ હાગ્ગાય સંદેશવાહક સાથે ફરીથી વાત કરી.


તે જ મહિનાની ચોવીસમી તારીખે પ્રભુએ હાગ્ગાયને બીજો સંદેશો આપ્યો.


સમ્રાટ દાર્યાવેશના બીજા વર્ષમાં અગિયારમા એટલે શબાટ માસની ચોવીસમે તારીખે, પ્રભુએ મને રાતના સંદર્શનમાં એક સંદેશ આપ્યો.


તેમણે કહ્યુ, “દેશનિકાલીમાંથી આવેલા હેલ્દાય, ટોલિયા અને યદાયાએ આપેલી ભેટો લઈને સત્વરે સફાન્યાના પુત્ર યોશિયાને ઘેર જા. તેઓ સૌ બેબિલોનના બંદીવાસમાંથી પાછા ફર્યા છે.


સમ્રાટ દાર્યાવેશના ચોથા વર્ષમાં, નવમા એટલે કિસ્લેવ માસના ચોથા દિવસે પ્રભુએ મને સંદેશ આપ્યો.


પરિણામે, હાબેલના ખૂનથી માંડીને બારાખ્યાનો પુત્ર ઝખાર્યા, જેને મંદિર અને યજ્ઞવેદી વચ્ચે તમે મારી નાખ્યો તેના સુધીની બધી નિર્દોષ વ્યક્તિઓનું લોહી તમારે માથે આવશે.


હા, હું તમને કહું છું કે એ બધાના ખૂનની શિક્ષા આ જમાના લોકોને થશે.


Lean sinn:

Sanasan


Sanasan