Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતોનું ગીત 8:2 - પવિત્ર બાઇબલ C.L.

2 હું તને મારી માતાને ઘેર લઈ જાત અને ત્યાં તું મને પ્રેમકળા શિખવાડત. હું તને મસાલેદાર દ્રાક્ષાસવ અને મારા દાડમનો રસ પિવડાવત.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 હું તને દોરીને મારી માના ઘરમાં લાવત કે, તું મને શીખવત; હું તને મસાલેદાર દ્રાક્ષારસ [તથા] મારા દાડમનો રસ પાત.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 હું તને મારી માતાના ઘરમાં લઈ આવત કે, અને તું મને શીખવત. હું તને મસાલેદાર દ્રાક્ષારસ, અને તને મારા દાડમનો રસ પીવાને આપત.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 હું તને મારી માતાના ઘરમાં લઇ આવત મેં તને મારા દાડમમાંથી નીચોવેલો મસાલેદાર દ્રાક્ષાસવ આપ્યો હોત.

Faic an caibideil Dèan lethbhreac




ગીતોનું ગીત 8:2
16 Iomraidhean Croise  

તેણે મિજબાની માટે પશુ કાપ્યાં છે, મસાલેદાર દ્રાક્ષાસવ બનાવ્યો છે અને ભોજન તૈયાર કર્યું છે.


પણ તેમને છોડીને હું થોડેક આગળ ગઈ કે તે તરત જ મને મળી ગયો. હું તેને મારી માતાને ઘેર, છેક તેના ઓરડા સુધી લઈ આવી ત્યાં સુધી મેં તેને પકડી રાખ્યો અને છટકવા દીધો નહિ.


હે મારી પ્રાણપ્રિયા, મારી નવોઢા, તારી પ્રીત કેવી મીઠી છે! તારી પ્રીત દ્રાક્ષાસવ કરતાં અને તારા અત્તરની મહેક સર્વ પ્રકારના સુગંધીદ્રવ્યો કરતાં ઉત્તમ છે.


આપણે વહેલાં ઊઠીને દ્રાક્ષવાડીમાં જઈશું અને જોઈશું કે દ્રાક્ષવેલાને ફૂલ આવ્યાં છે કે નહિ, કુમળી દ્રાક્ષો બેઠી છે કે નહિ, ને દાડમનાં ફૂલ ખૂલ્યાં છે કે નહિ. ત્યાં હું તને મારા પ્રેમનો અનુભવ કરાવીશ.


તારું વદન ઉત્તમ દ્રાક્ષાસવ જેવું છે. તો પછી એ દ્રાક્ષાસવને સીધો મારા પ્રીતમ તરફ, તેના હોઠ અને દાંત તરફ વહેવા દો.


તું મારો માજણ્યો ભાઈ હોત, અને મારી માતાએ તને દૂધપાન કરાવી ઉછેરેલો હોત તો સારું થાત! ત્યારે તો જો તું મને માર્ગમાં મળત તો હું તને ચુંબન કરત અને કોઈ મારો તિરસ્કાર કરત નહિ.


તમે શાસ્ત્રનું અયયન કરો છો; કારણ, તમે એમ માનો છો કે તેમાંથી જ સાર્વકાલિક જીવન મળે છે, પરંતુ એ શાસ્ત્રો તો મારે વિષે સાક્ષી પૂરે છે.


પણ સ્વર્ગીય યરુશાલેમ સ્વતંત્ર છે, અને તે જ આપણી માતા છે.


તને યાદ હશે કે તું બાળક હતો ત્યારથી જ તને જૂના કરારનાં પવિત્ર શાસ્ત્રોની વાતોની ખબર છે; તેઓ તને ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસની મારફતે ઉદ્ધાર પ્રાપ્ત કરવાનું જ્ઞાન આપી શકે છે;


તેથી સંદેશવાહકોએ પ્રગટ કરેલા સંદેશા પર અમે વિશેષ ભરોસો રાખીએ છીએ. તમે પણ તે સંદેશા પર ધ્યાન આપો તો સારું, કારણ, સવાર થતાં સુધી અને પ્રભાતના તારાનો પ્રકાશ તમારા હૃદયમાં પ્રકાશે ત્યાં સુધી એ સંદેશો અંધકારમાં પ્રકાશતા દીવાના જેવો છે.


હું તેનું ભજન કરવા તેને પગે પડયો, પણ તેણે મને કહ્યું, “એમ ન કર. હું તારો ને તારા ભાઈઓનો એટલે ઈસુએ પ્રગટ કરેલ સત્યને વળગી રહેનાર સૌનો સાથીસેવક છું. ઈશ્વરનું ભજન કર!” કારણ, ઈસુએ પ્રગટ કરેલો સત્યસંદેશ જ સંદેશવાહકોના સંદેશનું હાર્દ છે.


Lean sinn:

Sanasan


Sanasan