Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 16:10 - પવિત્ર બાઇબલ C.L.

10 આપોલસ જે ખ્રિસ્તને વિશ્વાસુ માલૂમ પડયો છે તેને શુભેચ્છા. આરિસ્તોબુલસનાં કુટુંબીજનોને શુભેચ્છા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 ખ્રિસ્તમાં માનવંતા આપોલસને સલામ કહેજો. આરીસ્તોબુલસના ઘરનાંને સલામ કહેજો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 ખ્રિસ્તમાં માનવંતા આપોલસને સલામ કહેજો. આરીસ્તોબુલસના ઘરનાંને સલામ કહેજો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 અપેલ્લેસને મારી સલામ કહેશો. તેની પરીક્ષા કરવામાં આવી હતી અને સાબિત થયું હતું કે તે ખ્રિસ્તને ખરેખર પ્રેમ કરે છે. અરિસ્તોબુલસના કુટુંબના સૌ સભ્યોને મારી સલામ પાઠવશો.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 16:10
15 Iomraidhean Croise  

આ રીતે ખ્રિસ્તની સેવા કરનાર ઈશ્વરને પસંદ પડે છે, અને માણસોને માન્ય થાય છે.


ખ્રિસ્ત ઈસુની સેવામાં મારાં સહકાર્યકરો પ્રિસ્કા તથા આકુલાને મારી શુભેચ્છા.


મારા યહૂદી ભાઈઓ આંદ્રનિક્સ અને જુનિયાસ જેઓ મારી સાથે જેલમાં હતા તેમને શુભેચ્છા. પ્રેષિતો તેમને સારી રીતે ઓળખે છે, અને તેઓ મારી પહેલાં ખ્રિસ્તી થયા હતા.


જેમણે ઈસુને મરણમાંથી સજીવન કર્યા, તે ઈશ્વરનો આત્મા જો તમારામાં વસે છે, તો જેમણે ઈસુને મરણમાંથી સજીવન કર્યા તે તમારાં નાશવંત શરીરોને તમારામાં વસનાર આત્માની મારફતે સજીવન કરશે.


તમારામાં જેઓ સાચા છે તેઓ જાહેર થાય તે માટે તમારામાં પક્ષ પડવાની જરૂર છે.


ખ્રિસ્તમાં હું એક એવા માણસને ઓળખું છું કે જેને ચૌદ વર્ષ પહેલાં છેક ત્રીજા આકાશમાં લઈ લેવામાં આવ્યો હતો. (શરીરસહિત કે શરીર બહાર એની મને ખબર નથી, પણ ઈશ્વર જાણે છે.)


આ જ કારણને લીધે મેં તમને પેલો પત્ર લખ્યો હતો: મારે જાણવું હતું કે, તમે ક્સોટીમાંથી કેવી રીતે પાર ઊતર્યા અને ખરેખર તમે મારી સૂચનાઓને આધીન થયા છો કે નહિ.


જ્યારે કોઈ વ્યક્તિ ખ્રિસ્ત સાથે જોડાય છે, ત્યારે તે નવું સર્જન બની જાય છે; જૂનું ચાલ્યું ગયું છે, નવું આવ્યું છે.


તેથી તેમની સાથે આપણા ભાઈને અમે મોકલીએ છીએ. અમે ઘણીવાર તેની તપાસ કરી છે, અને હંમેશાં તે મદદ કરવા માટે આતુર માલૂમ પડયો છે. હવે તેને તમારા પર પુષ્કળ ભરોસો છે, અને તેથી તે મદદ કરવા વધુ તત્પર છે.


તે સમયે યહૂદિયાની ખ્રિસ્તી મંડળીઓના સભ્યો મને વ્યક્તિગત રીતે ઓળખતા નહોતા.


તમને શિસ્તમાં લાવવા અને હાડમારીઓ દ્વારા તમારી ક્સોટી કરી તમારો શો ઈરાદો છે અને તમે તેમની સર્વ આજ્ઞાઓનું પાલન કરવા માંગો છો કે નહિ તે જાણવા તમારા ઈશ્વર પ્રભુએ તમને ચાલીસ વર્ષ સુધી લાંબી મુસાફરીમાં કેવી રીતે ચલાવ્યા તે યાદ રાખો.


તેની યોગ્યતાની તમને પણ જાણ છે: જેમ પુત્ર પિતાની સાથે ક્મ કરે તેમ તેણે શુભસંદેશના પ્રચાર અર્થે મારી સાથે ક્મ કર્યું છે.


પ્રથમ તેમની પારખ થવી જોઈએ. જો તેઓ નિર્દોષ માલૂમ પડે તો સેવા માટે તેમની નિમણૂક કરવી.


પ્રિસ્કા અને આકુલાને તથા ઓનેસિફરસના કુટુંબને શુભેચ્છા.


આ દુ:ખો તો તમારો વિશ્વાસ સાચો છે કે નહિ તેની પારખને માટે છે. નાશવંત સોનાની ક્સોટી અગ્નિથી થાય છે. પણ તમારો વિશ્વાસ તો સોના કરતાં વધુ મૂલ્યવાન છે અને તે ટકી રહે તે માટે તેની પણ પરીક્ષા થવી જોઈએ. જ્યારે ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાનો દિવસ આવશે ત્યારે તમને સ્તુતિ, મહિમા અને માન મળશે.


Lean sinn:

Sanasan


Sanasan