Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 3:19 - પવિત્ર બાઇબલ C.L.

19 જેમના પર હું પ્રેમ રાખું છું તે બધાને હું ઠપકો આપું છું અને શિક્ષા કરું છું. તેથી ઉત્સાહી થા અને તારાં પાપથી પાછો ફર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 હું જેટલા પર પ્રેમ રાખું છું, તે સર્વને ઠપકો આપું છું તથા શિક્ષા કરું છું, માટે તું ઉત્સાહી થા અને પસ્તાવો કર.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 હું જેટલાં પર પ્રેમ રાખું છું, તે સર્વને ઠપકો આપું છું તથા શીખવવું છું; માટે તું ઉત્સાહી થા અને પસ્તાવો કર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 “હું જે લોકોને ચાહું છું તે સવૅને હું સધારું છું અને શિક્ષા કરું છું. માટે તું ઉત્સાહી થા, પસ્તાવો કર.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 3:19
31 Iomraidhean Croise  

હું તેનો પિતા થઈશ અને તે મારો પુત્ર થશે. જ્યારે તે ખોટું કરશે ત્યારે પિતા પોતાના પુત્રને શિક્ષા કરે તેમ હું તેને શિક્ષા કરીશ અને તેનાથી મારી સોટી કે મારા ફટકા પાછા રાખીશ નહિ.


ઈશ્વર જેને શિસ્તમાં રાખે તેને ધન્ય છે. તેથી સર્વસમર્થની શિક્ષાની ઉપેક્ષા ન કર.


તમારા ઠપકાથી તમે મનુષ્યને તેના દોષોની શિક્ષા કરો છો, કીડાની જેમ તમે મનુષ્યની પ્રિય વસ્તુઓનો નાશ કરો છો; સાચે જ મનુષ્યનું જીવન એક ફૂંક જેવું છે. (સેલાહ)


હે પ્રભુ, ક્રોધે ભરાઈને મને ધમકી આપશો નહિ, તમારા રોષમાં મને સજા કરશો નહિ.


તમારા મંદિર માટેની લગની મને ખાઈ નાખે છે; તમારા નિંદકો તમારી નિંદા કરે ત્યારે હું અપમાન અનુભવું છું.


રાષ્ટ્રોને શિક્ષા કરનાર ઈશ્વર, તથા માનવજાતને જ્ઞાન શીખવનાર પ્રભુ, શું દુષ્ટોને સજા નહિ કરે?


સાચો માર્ગ તજનારને શિક્ષા ભોગવવી પડશે, અને સુધરવાની ઉપેક્ષા કરનાર માર્યો જશે.


શિક્ષણની ઉપેક્ષા કરનાર પોતાને તુચ્છ બનાવે છે, પણ સુધારણાનો અંગીકાર કરનાર સમજ પ્રાપ્ત કરે છે.


બેવકૂફી બાળકના સ્વભાવમાં જ જડાયેલી હોય છે; પણ શિસ્તની સોટી તેનામાંથી મૂર્ખતા દૂર હાંકી કાઢશે.


હે પ્રભુ, તમારા લોક સંકટને સમયે તમારી ગમ ફર્યા છે. તમે તેમને શિક્ષા કરી ત્યારે તેમણે પોતાના દુ:ખમાં તમને પ્રાર્થના ગુજારી.


હે પ્રભુ, તમારા ન્યાયના ધોરણે અમને શિક્ષા ભલે કરો, પણ ક્રોધથી નહિ, નહિ તો અમે નેસ્તનાબૂદ થઈ જઈશું.


મેં તારાં સંતાનોને શિક્ષા કરી તે વ્યર્થ થઈ છે; તેમણે મારી શિક્ષા ગણકારી નથી. ભૂખ્યા સિંહની જેમ તમારી જ તલવારોએ તમારા સંદેશવાહકોનો સંહાર કર્યો છે.


કારણ, હું તમારો બચાવ કરવાને તમારી સાથે છું; હું પ્રભુ પોતે એ બોલું છું. જે જે દેશોમાં મેં તમને વેરવિખેર કરી નાખ્યા તે બધાંનું હું નિકંદન કાઢી નાખીશ, પણ હું તમારો વિનાશ કરીશ નહિ; હું તમને ન્યાયના ધોરણે જરૂરી એવી શિક્ષા કરીશ; અને હું તમને શિક્ષા કરવામાંથી બાક્ત રાખીશ નહિ.”


મેં એફ્રાઈમના લોકોના પશ્ર્વાતાપનો વિલાપ સાચે જ સાંભળ્યો છે; તે કહે છે, ‘હે ઈશ્વર, અમે વણપલોટાયેલા વાછરડા જેવા હતા; તેથી અમને શિસ્તમાં લાવવા તમે અમને સજા કરી. અમને તમારા તરફ પાછા ફેરવો, એટલે અમે પાછા ફરીશું; કારણ, તમે અમારા ઈશ્વર પ્રભુ છો.


તેથી તું તેમને કહેજે, ‘આ એ જ પ્રજા છે કે જે ઈશ્વરની વાણીને આધીન થતી નથી કે તેમની શિખામણ સ્વીકારતી નથી.’ સત્યનિષ્ઠા મરી પરવારી છે, કોઈના મુખમાં સત્ય રહ્યું નથી.”


તેણે પ્રભુનું કહેવું માન્યું નથી અને તેમની શિખામણ સ્વીકારી નથી. તેણે પ્રભુ પર પોતાનો વિશ્વાસ મૂક્યો નથી અને તે મદદને માટે પ્રભુ પાસે ગઈ નથી.


દસે કન્યાઓ જાગી ગઈ અને પોતાના દીવા સળાવ્યા.


તેમના શિષ્યોને ધર્મશાસ્ત્રમાં લખેલું યાદ આવ્યું, “હું તો તમારા ઘર પ્રત્યેના આવેશથી જલી ઊઠયો છું.”


ખંતથી મહેનત કરો, અને આળસુ ન બનો; આત્મામાં ધગશ રાખો, અને પ્રભુની સેવામાં મંડયા રહો.


પણ જયારે પ્રભુ આપણો ન્યાય કરે છે ત્યારે તે આપણને શિક્ષા કરે છે, જેથી દુનિયાની સાથે આપણને સજાપાત્ર ઠરાવવામાં ન આવે.


અજાણ્યા જેવા છતાં અમને બધા ઓળખે છે; મરી રહ્યા હોવા છતાં અમે જીવીએ છીએ; સજા પામ્યા છતાં અમને મારી નાખવામાં આવ્યા નથી;


ઈશ્વરને પ્રસન્‍ન કરવા વેઠેલા દુ:ખે તમારામાં શું કર્યું તેનો વિચાર કરો: તેથી તમે કેટલા પ્રામાણિક બન્યા છો, અને તમે નિર્દોષ છો તે પુરવાર કરવા તમે કેટલા આતુર છો! તેથી તો આવો રોષ, આવી ચેતવણી, આવી આતુરતા, આવી ભક્તિ અને જૂઠને શિક્ષા કરવાની આવી તત્પરતા તમારામાં જાગ્યાં છે. સમગ્ર બાબતમાં તમે પોતે નિર્દોષ છો, એવું તમે પુરવાર કર્યું છે.


એ તો હું તમારાથી અલગ પડી જાઉં અને તમે તેમના પ્રત્યે ખૂબ ધ્યાન રાખતા થાઓ તે માટે એમ કરે છે. હું તો એવું ઇચ્છું છું કે હું તમારી સાથે ન હોઉં ત્યારે પણ જો કોઈ તમારું સારા ઈરાદાથી ધ્યાન રાખે તો કેવું સારું!


તેથી ધ્યાનમાં લો કે જેમ પિતા પોતાના પુત્રને શિસ્તમાં રાખે છે તે પ્રમાણે તમારા ઈશ્વર પ્રભુ તમને શિસ્તમાં રાખે છે.


આપણને સર્વ દુષ્ટતામાંથી મુક્ત કરવા અને આપણને તેમના શુદ્ધ અને સર્વ સારાં કાર્યો કરવાને આતુર એવા ખાસ લોક બનાવવા માટે પોતાનું સ્વાર્પણ કરનાર પણ તે જ છે.


જે માણસ પ્રલોભનોમાં વિશ્વાસુ રહે છે તેને ધન્ય છે. કારણ, પ્રલોભનોમાંથી પાર ઊતર્યા પછી ઈશ્વર તેને ઇનામ તરીકે જીવનરૂપી મુગટ આપશે. ઈશ્વર પર પ્રેમ કરનારાઓને એ જીવન આપવાનું ઈશ્વરે વચન આપેલું છે.


તેથી જ્યાંથી તારું પતન થયું તે યાદ કરીને પાછો ફર અને પહેલાનાં જેવાં કાર્ય કર. જો તું પાછો નહિ ફરે તો હું આવીશ અને તારી દીવીને તેના સ્થાનેથી ખસેડી નાખીશ.


Lean sinn:

Sanasan


Sanasan