Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 21:12 - પવિત્ર બાઇબલ C.L.

12 તેની ચારે તરફ ઊંચો કોટ હતો અને કોટમાં બાર દરવાજા હતા. અને દરેક દરવાજે એકએક એમ બાર દૂત હતા. દરેક દરવાજા પર એકએક એમ ઇઝરાયલનાં બારે કુળોનાં નામ લખેલાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તેનો કોટ મોટો તથા ઊંચો હતો. તેને બાર દરવાજા હતા, દરવાજા પાસે બાર દૂતો [ઊભેલા] હતા, અને [દરવાજા] ઉપર નામો લખેલાં હતાં. એ ઇઝરાયલી પ્રજાનાં બાર કુળનાં [નામ] છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તેની દિવાલ મોટી તથા ઉંચી હતી અને જેને બાર દરવાજા હતા, અને દરવાજા પાસે બાર સ્વર્ગદૂતો ઊભેલા હતા. દરવાજા પર ઇઝરાયલનાં બાર કુળોના નામો લખેલાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 તે શહેરને એક મોટી અને ઊંચી બાર દરવાજા વાળી દિવાલ હતી. દરેક દરવાજા પાસે બાર દૂતો હતા. દરેક દરવાજા પર ઈસ્ત્રાએલ પુત્રોના બાર કુળોનાં નામ લખેલા હતા.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 21:12
21 Iomraidhean Croise  

પગથિયે બન્‍ને સિંહની એકએક આકૃતિ એમ દરેક પગથિયે બન્‍ને તરફ સિંહની એક એક આકૃતિ એમ પગથિયાં પર બાર સિંહોની આકૃતિ હતી. બીજા કોઈ રાજ્યમાં એવું સિંહાસન નહોતું.


કારણ, અમે તો ગુલામ હતા, પણ અમારી ગુલામી અવસ્થામાં તમે અમને તજી દીધા નહિ. તમે ઇરાનના રાજાઓના મનમાં અમારા પ્રત્યે દયાભાવ ઉત્પન્‍ન કર્યો, એટલે તેમણે અમને જીવતદાન આપ્યું છે. તેમજ તમારા ખંડિયેર બની ગયેલા મંદિરને ફરીથી બાંધવાની પરવાનગી આપી છે, અને અમને યહૂદિયા તથા યરુશાલેમમાં સલામતી બક્ષી છે.


યરુશાલેમના કોટને સમર્પણ કરવાના વખતે લેવીઓને સર્વ સ્થાનોમાંથી બોલાવવામાં આવ્યા, જેથી તેઓ આભારસ્તુતિનાં ગીતો અને મંજીરા તથા વીણાના સંગીત સહિત યરુશાલેમમાં સમર્પણના ઉત્સવમાં જોડાઈ શકે.


તારા કોટની અંદર સલામતી અને તારા મહેલોમાં સમૃદ્ધિ વસો.


તમારી કૃપા થકી સિયોનનગરનું કલ્યાણ કરો; યરુશાલેમના કોટોને તમે ફરી બાંધો,


દરેક પથ્થર પર યાકોબના એક એક પુત્રનું નામ કોતરજો; જેથી તે ઇઝરાયલનાં બારે કુળો માટે સ્મરણરૂપ બની રહે.


હું તારા બુરજો માણેકના, તારા દરવાજાઓ લાલમણિના અને તારા કોટની દીવાલ રત્નજડિત બનાવીશ.


તારા દેશમાં અત્યાચારની અને તારી સીમાઓમાં વિનાશ કે પાયમાલીની વાત સાંભળવા મળશે નહિ. તું તારા કોટને ‘ઉદ્ધાર’ અને તારા દરવાજાઓને ‘સ્તુતિ’ એવાં નામ આપીશ.


તમે આ નાનાઓમાંથી કોઈને તુચ્છ ગણવા વિષે સાવધ રહેજો! તેમના દિવ્ય દૂતો હંમેશાં આકાશમાંના મારા ઈશ્વરપિતાની રૂબરૂ સતત તહેનાતમાં હોય છે.


એ જ પ્રમાણે હું તમને કહું છું કે, “પસ્તાવો કરતા એક પાપીને લીધે ઈશ્વરના દૂતો આનંદ કરે છે.”


તે ગરીબ માણસ મરી ગયો અને દૂતો તેને અબ્રાહામની પાસે લઈ ગયા. પેલો શ્રીમંત માણસ પણ મરી ગયો અને તેને દફનાવવામાં આવ્યો.


એ જ વચન મેળવવા માટે તો ઈશ્વરની રાતદિવસ ભક્તિ કરતાં કરતાં અમારા લોકનાં બારેય કુળ તેની આશા સેવે છે. હે માનવંત રાજા, એ જ આશા રાખવાને લીધે યહૂદીઓ મારા પર આરોપ મૂકે છે.


તો પછી દૂતો કોણ છે? તેઓ તો ઈશ્વરની સેવા કરનાર આત્માઓ છે અને ઈશ્વરે તેમને ઉદ્ધાર મેળવનારાઓની સેવા કરવા મોકલી આપ્યા છે.


દરેક દિશાએ ત્રણ દરવાજા હતા. પૂર્વમાં ત્રણ, દક્ષિણમાં ત્રણ, ઉત્તરમાં ત્રણ અને પશ્ર્વિમમાં ત્રણ.


મારી સાથે વાત કરનાર દૂતની પાસે નગર, તેનો દરવાજો અને તેનો કોટ માપવા માટે સોનાનો માપદંડ હતો.


નગરના દરવાજા હંમેશાં ખુલ્લા રહેશે અને બંધ કરવામાં આવશે નહિ. કારણ, ત્યાં રાત્રિ જ નહિ હોય.


“જેઓ પોતાનાં વસ્ત્ર ધોઈને સ્વચ્છ કરે છે તેમને ધન્ય છે. તેથી તેમને જીવનના વૃક્ષનું ફળ ખાવાનો અને દરવાજામાં થઈને પવિત્ર નગરમાં પ્રવેશવાનો અધિકાર છે.


Lean sinn:

Sanasan


Sanasan