Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 86:14 - પવિત્ર બાઇબલ C.L.

14 હે ઈશ્વર, અહંકારી લોકો મારા પર હુમલો કરે છે; ક્રૂર માણસોની ટોળી મારો જીવ લેવા મથે છે; તેઓ તમારી ઉપેક્ષા કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 હે ઈશ્વર, ગર્વિષ્ઠો મારી સામે ઊઠયા છે, અને જબરદસ્ત માણસોની ટોળી મારો જીવ લેવા મથે છે, તેઓએ પોતાની આગળ તમને રાખ્યા નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 હે ઈશ્વર, ઘમંડી માણસો મારી સામા ઊઠ્યા છે. અને ક્રૂર માણસો મારો સંહાર કરવા માટે મારી પાછળ પડ્યા છે. તેઓ તમારું સન્માન કરતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 હે દેવ ઘમંડી અને ઉદ્ધત માણસો મારી સામા થયા છે; અને ક્રૂર અને દુષ્ટ માણસો મારો સંહાર કરવા માટે મારી પાછળ પડ્યાં છે તેઓ તમારું સન્માન કરતાં નથી.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 86:14
21 Iomraidhean Croise  

પછી આબ્શાલોમે અહિથોફેલ તરફ ફરીને પૂછયું, “હવે આપણે અહીં શું કરવું એ વિષે તું શી સલાહ આપે છે?”


આબ્શાલોમ અને સર્વ ઈઝરાયલીઓએ કહ્યું, “અહિથોફેલ કરતાં હુશાય આર્કીની સલાહ વધારે સારી છે.” અહિથોફેલની સલાહ નિરર્થક જાય અને આબ્શાલોમ પર વિનાશ આવે એવું પ્રભુએ નક્કી કર્યું હતું.


દુષ્ટ પોતાના મનમાં વિચારે છે કે ઈશ્વરને કંઈ પડી નથી; ઈશ્વરે પોતાનું મુખ સંતાડયું છે; તે કદી મને જોશે નહિ!


દુષ્ટ કેમ ઈશ્વરની ઉપેક્ષા કરે છે? તે મનમાં એમ કેમ માને છે કે ઈશ્વર ખૂનનો બદલો નહિ લે?


અહંકારને લીધે દુષ્ટ માણસ ઈશ્વરથી વિમુખ રહે છે; તેના વિચારોમાંય ઈશ્વરનું સ્થાન નથી.


ગર્વિષ્ઠ જનો મારો સતત ઉપહાસ કરે છે, છતાં હું તમારા નિયમથી વિમુખ થયો નથી.


ગર્વિષ્ઠો મારા પર જૂઠાં આળ મૂકે છે. પરંતુ હું સંપૂર્ણ દયથી તમારા આદેશો પાળું છું.


તમારા નિયમનો અનાદર કરનાર ગર્વિષ્ઠોએ મને સપડાવવા ખાડા ખોદ્યા છે.


આ ભ્રષ્ટાચારીઓને પ્રભુ સાથે કોઈ સંબંધ નથી, અને તેઓ કદી પ્રભુને પ્રાર્થના પણ કરતા નથી; જાણે રોટલી ખાતા હોય તેમ તેઓ મારા લોકને ખાઈ જાય છે.


અહંકારીઓએ મારે માટે છટકાં ગોઠવ્યાં છે! તેમણે દોરડાં સાથે જાળ બિછાવી છે; અને મને સપડાવવા તેમણે રસ્તા પર ફાંદા ગોઠવ્યા છે. (સેલાહ)


અપરાધ દુષ્ટના દયને પ્રેરે છે, તેની દષ્ટિમાં ઈશ્વરનો ભય છે જ નહિ.


ગર્વિષ્ટોના પગ મને કચડી ન નાખે, તથા દુષ્ટોના હાથ મને હાંકી ન કાઢે તેવું થવા દો.


અહંકારીઓ મારા પર હુમલો કરે છે, ક્રૂર માણસો મારો જીવ લેવા મથે છે, તેમને ઈશ્વરની કશી દરકાર નથી. (સેલાહ)


તે મારા વૈરીઓને તેમની ભૂંડાઈ માટે શિક્ષા કરશે; હે પ્રભુ, તમારી સચ્ચાઈ વડે તેમનો વિનાશ કરો.


ઈશ્વરે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલી લોકના આગેવાનો અંધકારમાં પોતપોતાની મૂર્તિની ઓરડીઓમાં શું કરે છે તે તેં જોયું? તેઓ મૂર્તિઓવાળા પૂજાગૃહમાં પૂજા કરી રહ્યા છે. તેઓ કહે છે, ‘પ્રભુ અમને જોતા નથી. તે તો દેશ છોડી જતા રહ્યા છે.”


ઈશ્વરે ઉત્તર આપ્યો, “ઇઝરાયલીઓએ અને યહૂદિયાના લોકોએ અત્યંત દુરાચાર કર્યો છે. આખા દેશમાં ખૂનામરકી ચાલે છે અને યરુશાલેમ અન્યાયથી ભરપૂર છે. એ લોકો કહે છે કે, “પ્રભુ દેશ છોડીને ચાલ્યા ગયા છે અને તે જોતા નથી.’


Lean sinn:

Sanasan


Sanasan