Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 18:20 - પવિત્ર બાઇબલ C.L.

20 પ્રભુ મને મારા સદ્વર્તન અનુસાર પ્રતિફળ દે છે. મારા હાથોની શુદ્ધતાને અનુલક્ષીને મને થયેલું નુક્સાન ભરી આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 યહોવાએ મને મારા ન્યાયીપણાનું ફળ આપ્યું; તેમણે મારા હાથની શુદ્ધતા પ્રમાણે મને પાછું વાળી આપ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 યહોવાહે મારા ન્યાયીપણાનું ફળ આપ્યું છે; તેમણે મારા હાથની શુદ્ધતા પ્રમાણે મને પાછું વાળી આપ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 મને યહોવાએ, મારા ન્યાયીપણાનું ફળ આપ્યું છે, મારા જીવનની શુદ્ધતા પ્રમાણે તેમણે મને પાછું વાળી આપ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 18:20
19 Iomraidhean Croise  

નિર્દોષ ન હોય તેને પણ ઈશ્વર ઉગારશે, અને તારા હાથોની શુદ્ધતા તેને બચાવશે.


યોબ, ઈશ્વરે તને સંકટમાંથી બહાર કાઢયો હતો, અને સંકડાશ વગરની વિશાળ જગામાં દોરી લાવ્યા હતા, અને તારી ભોજનની મેજને સ્વાદિષ્ટ વાનગીઓથી ભરી દીધું હતું.


સંકટમાં મેં યાહને પોકાર કર્યો, એટલે તેમણે મને ઉત્તર આપ્યો; તે મને વિશાળ જગામાં લાવ્યા.


પ્રભુએ મને મારા સદ્વર્તન પ્રમાણે અને મારા હાથની શુદ્ધતા જોઈને મારું નુક્સાન વાળી આપ્યું છે.


એવા જનો કે જેમના હાથનાં કાર્ય શુદ્ધ હોય અને દયના વિચારો નિર્મળ હોય અને જેઓ મિથ્યા મૂર્તિઓ પર પોતાનું દિલ લગાડતા નથી કે જૂઠા સોગન ખાતા નથી.


મારી નિર્દોષતા જાહેર કરવા હું મારા હાથ ધોઈ નાખીશ; હે પ્રભુ, જનસમુદાય સાથે તમારી વેદીની પ્રદક્ષિણા કરીશ.


હે પ્રભુ, મારા પર દયા કરો; કારણ, હું સંકટમાં છું; ખેદથી મારાં ચક્ષુ ક્ષીણ થયાં છે, અને મારું ગળું તેમજ ઉદર સુકાઈ ગયાં છે.


લોકો કહેશે, “સાચે જ નેકજનોને પુરસ્કાર મળે છે; સાચે જ પૃથ્વી પર ન્યાય કરનાર ઈશ્વર છે.”


હે પ્રભુ, મારા ઈશ્વર, જો અન્યાયથી મારા હાથ ખરડાયા હોય, મિત્રની ભલાઈનો બદલો ભૂંડાઈથી વાળ્યો હોય, જો મારા શત્રુ પર અકારણ હિંસા આચરી હોય, જો મેં આવું કંઈ કર્યું હોય,


હે પ્રભુ, સમસ્ત માનવજાતના ન્યાયાધીશ, મારું સદાચરણ અને મારી નિષ્ઠાને લક્ષમાં લઈ ન્યાય કરો.


દુષ્ટોની કમાણી ઠગારી નીવડે છે, પણ નેકી વાવનારને ઉત્તમ પુરષ્કાર મળે છે.


મેં મારી શક્તિ વ્યર્થ અને નકામી ખરચી નાખી છે. તેમ છતાં પ્રભુ તરફથી મને મારું વળતર મળી રહેશે. તે મને મારા કાર્યનો બદલો આપશે.”


પ્રભુ સમસ્ત પૃથ્વીમાં જાહેરાત કરે છે: “સિયોનના લોકને કહો કે તમારો ઉદ્ધારક આવે છે! તેમનું પ્રતિદાન તેમની સાથે છે અને તેમની સિદ્ધિ તેમની મોખરે છે.”


પણ તે ગુપ્ત બાબત રહે. તમે જે દાન કરો છો તે ગુપ્તમાં પણ જોનાર તમારા ઈશ્વરપિતા તેનો બદલો તમને આપશે.


દરેક વ્યક્તિ ઈશ્વરે તેને સોંપેલું કાર્ય જે રીતે કરશે તે પ્રમાણે તેને બદલો મળશે.


ઈસુ, આપણી જરૂરિયાતો પૂરી કરે તેવા પ્રમુખ યજ્ઞકાર છે. તે પવિત્ર છે; તેમનામાં કોઈ દોષ કે પાપ નથી; તેમને પાપી મનુષ્યોથી અલગ કરવામાં આવેલા છે અને આકાશ કરતાં પણ ઊંચે ચઢાવવામાં આવેલા છે.


પછી તેણે દાવિદને કહ્યું, “તું મારા કરતાં વધારે સાચો છે. તેં મારું ભલું કર્યું છે પણ મેં તારું ભૂંડું કર્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan