Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 3:33 - પવિત્ર બાઇબલ C.L.

33 દુષ્ટોના ઘર પર પ્રભુનો શાપ ઊતરે છે, પણ નેકજનોના નિવાસ પર તેમની આશિષ વરસે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 યહોવાનો શાપ દુષ્ટના ઘર પર [ઊતરે] છે; પણ તે સદાચારીઓના રહેઠાણને આશીર્વાદ આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 યહોવાહ દુષ્ટ માણસોના ઘર પર શાપ ઉતારે છે; પણ તે ન્યાયી માણસોના ઘરને આશીર્વાદ આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 યહોવાનો શાપ દુષ્ટ માણસોના ઘર ઉપર ઉતરે છે. પણ સાચા માણસોના ઘર ઉપર તેમના આશીર્વાદ ઉતરે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 3:33
20 Iomraidhean Croise  

કરારપેટી ત્યાં ત્રણ માસ રહી અને પ્રભુએ ઓબેદ-અદોમ અને તેના ઘરકુટુંબને આશિષ આપી.


“દુષ્ટો પૂરના સપાટે તણાઈ જાય છે, અને તેમના હિસ્સાની જમીન શાપિત હોય છે; અને તેમની દ્રાક્ષવાડી તરફ કોઈ વળતું નથી.


કારણ, વ્યભિચાર તો વિનાશક નરકાગ્નિ છે; મારી સમસ્ત સમૃદ્ધિને બાળીને ભસ્મીભૂત કરી દે તેવો છે.


તેઓ તો નદી પાસે રોપાયેલા વૃક્ષ સમાન છે; જે ઋતુ પ્રમાણે ફળ આપે છે અને જેનાં પાંદડાં કદી કરમાતાં નથી. તેમના પ્રત્યેક કાર્યમાં તેમને સફળતા સાંપડે છે.


પ્રભુથી આશીર્વાદ પામેલા જનો વચનના પ્રદેશનો વારસો પામશે, પણ તેમનાથી શાપિત થયેલાઓનો ઉચ્છેદ થશે.


તેથી તારા પર કશી આપત્તિ આવી પડશે નહિ, અને મરકી તારા નિવાસ નિકટ આવી શકશે નહિ.


નેકજનોને લોકો આશિષ આપે છે, પણ દુષ્ટોની વાણી હિંસાભરી હોય છે.


દુષ્ટનું મકાન જમીનદોસ્ત થઈ જશે, પણ સજ્જનનો તંબૂ ટકી રહેશે.


નેકજનના ઘરમાં વિપુલ સમૃદ્ધિ હોય છે, પણ દુષ્ટની કમાણી તેને માટે સંકટ લાવે છે.


ન્યાયી ઈશ્વર દુષ્ટના ઘર પર ચાંપતી નજર રાખે છે, અને તે દુષ્ટોને વિનાશમાં ધકેલી દે છે.


તમારે તમારાં કાર્યથી મારું સન્માન કરવું જોઈએ. તમે મારું કહેવું નહિ માનો તો હું તમારા પર શાપ મોકલીશ. તમને તમારા પોષણ માટે મળતી વસ્તુઓને હું શાપિત કરીશ. વાસ્તવમાં હું તેમને શાપિત કરી ચૂક્યો છું. કારણ, તમે મારી આજ્ઞાને ગંભીરતાપૂર્વક લેખવતા નથી.


પરંતુ તમે તમારા ઈશ્વર પ્રભુની મેં ફરમાવેલી આજ્ઞાઓ તોડીને જેમનો તમને અનુભવ નથી એવા દેવદેવીઓની પાછળ ભટકી જશો તો તમે શાપ પામશો.


તમારા ઈશ્વર પ્રભુની દૃષ્ટિમાં તો એ અત્યંત ઘૃણાસ્પદ છે. એ ઘૃણાસ્પદ મૂર્તિઓને તમારા ઘરમાં લાવશો નહિ, નહિ તો તેમના પર જે વિનાશનો શાપ છે તે તમારા પર આવી પડશે. તમારે એ મૂર્તિઓનો સદંતર તિરસ્કાર કરવો અને અત્યંત ઘૃણા કરવી; કારણ, તેઓ પ્રભુના શાપને લીધે વિનાશપાત્ર છે.


પણ નાશનિર્મિત વસ્તુઓમાંથી તમારે કંઈ લેવાનું નથી; નહિ તો ઇઝરાયલની છાવણી પર સંકટ અને વિનાશ લાવશો.


તેથી ઊઠ, જઈને લોકોને શુદ્ધ કર. તેમને કહે કે તેઓ શુદ્ધ થઈને આવતી કાલે મારી સમક્ષ હાજર થવા તૈયાર થાય. કારણ, હું પ્રભુ, ઇઝરાયલનો ઈશ્વર, આમ કહું છું: ‘હે ઇઝરાયલ, તમારી મધ્યે મના કરેલી અર્પિત વસ્તુ છે; તમે તમારામાંથી એ વસ્તુ દૂર નહિ કરો ત્યાં સુધી તમે તમારા શત્રુઓ આગળ ટકવાના નથી!


Lean sinn:

Sanasan


Sanasan