Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 16:22 - પવિત્ર બાઇબલ C.L.

22 સમજદાર માટે જ્ઞાન જીવનદાયક ઝરો છે, પણ મૂર્ખ માટે તેની મૂર્ખાઈ જ સજારૂપ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 જેને બુદ્ધિ છે તેને તે જીવનનો ઝરો છે; પણ મૂર્ખોની શિક્ષા તો [તેમની] મૂર્ખાઈ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 જેની પાસે સમજ હોય તેને માટે સમજણ જીવનદાતા છે, પણ મૂર્ખ માટે શિક્ષા એ તેઓની મૂર્ખાઈ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 જેની પાસે સમજ હોય તેને માટે સમજણ જીવનદાતા છે, પણ મૂર્ખ માટે શિક્ષા એ તેમની મૂર્ખાઇ છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 16:22
16 Iomraidhean Croise  

નેકજનોની વાણી જીવનનું ઝરણું છે, પણ દુષ્ટોની વાણી હિંસાભરી હોય છે.


જ્ઞાનીનું શિક્ષણ જીવનનો ઝરો છે; તેના દ્વારા મૃત્યુના ફાંદામાંથી બચી જવાય છે.


પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર જીવનનું ઝરણું છે, તે માણસને મૃત્યુના પાશમાંથી બચાવે છે.


જ્ઞાનીની જીભ જ્ઞાન પ્રદાન કરે છે, પણ મૂર્ખનું મુખ મૂર્ખાઈ ઓકે છે.


નેકજનો વિચારપૂર્વક ઉત્તર આપે છે, પણ દુષ્ટો કટુ વાણી વહેતી મૂકે છે.


જ્ઞાની અંતરવાળો માણસ તેની ઊંડી સમજ માટે પંક્ય છે; તેની મધુર વાણી તેના શિક્ષણને સ્વીકાર્ય બનાવે છે.


જ્ઞાનીનું હૃદય તેના મુખને શાણપણ આપે છે, અને તેથી તેની વાણી અસરકારક બને છે.


માણસની વાણી ઊંડા જલ સમાન ગૂઢ હોય છે; તે વહેતું ઝરણું અને જ્ઞાનનો તાજગીદાયક ઝરો છે.


મૂર્ખની વાણી જ તેના વિનાશનું કારણ બને છે, અને તે પોતાના જ શબ્દોની જાળમાં સપડાય છે.


તેઓ તારે માટે સંજીવની સમાન થશે, અને તારા ગળા માટે શોભાનું આભૂષણ બની રહેશે.


તેમનાથી ગભરાશો નહિ.તેઓ આંધળા આગેવાનો છે અને એક આંધળો બીજા આંધળાને દોરે ત્યારે બંને ખાડામાં પડે છે.


“હું તમને સાચે જ કહું છું: જે કોઈ મારો સંદેશ સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ મૂકે છે તેને સાર્વકાલિક જીવન છે. તેનો ન્યાય તોળાશે નહિ, પરંતુ તે મરણમાંથી નીકળીને જીવનમાં પ્રવેશી ચૂક્યો છે.


જીવન આપનાર તો આત્મા છે, માનવીશક્તિ કશા ક્મની નથી. જે શબ્દો મેં તમને કહ્યા તે આત્મા અને જીવન છે.


સિમોન પિતરે જવાબ આપ્યો, “પ્રભુ, અમે કોની પાસે જઈએ? સાર્વકાલિક જીવન આપે તેવા શબ્દો તો તમારી પાસે જ છે.


Lean sinn:

Sanasan


Sanasan