Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 16:19 - પવિત્ર બાઇબલ C.L.

19 જુલમગારોની લૂંટમાં હિસ્સો સ્વીકારવો, તે કરતાં જુલમપીડિતોની સાથે વિનમ્રતાથી વસવું ઉત્તમ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 ગરીબની સાથે નમ્રતા રાખવી તે અભિમાનીની સાથે લૂંટ વહેંચી લેવા કરતાં ઉત્તમ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 ગરીબની સાથે નમ્રતા રાખવી તે સારું છે તે અભિમાનીની સાથે લૂંટના ભાગીદાર થવા કરતાં વધારે સારું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 ગરીબની સાથે નમ્રતા રાખવી તે અભિમાનીની લૂંટના ભાગીદાર થવા કરતાં વધારે સારું છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 16:19
17 Iomraidhean Croise  

જો કે પ્રભુ મહાન છે છતાં તે દીનજનો પ્રત્યે લક્ષ આપે છે; પણ ગર્વિષ્ઠોને તે દૂરથી ઓળખી કાઢે છે.


પ્રભુ જેમનાં મન દુ:ખથી ભાંગી પડયાં છે તેમની નિકટ છે, અને જેમનો આત્મા દુ:ખમાં દબાઈ ગયો છે તેમને તે બચાવે છે.


દુશ્મને કહ્યું, ‘હું તેમનો પીછો કરીશ, તેમને પકડી પાડીશ; હું તેમની સંપત્તિ લૂંટીને વહેંચી લઈશ અને તેનાથી મારી મનોકામના પૂર્ણ થશે. હું તલવાર ખેંચીને મારી જાતે તેમનો નાશ કરીશ.’


આપણે જાતજાતની કીમતી ચીજો પ્રાપ્ત કરીએ, અને આપણાં ઘર લૂંટેલા ખજાનાથી છલકાઈ જશે!


માટે તું અમારી ટોળકીમાં જોડાઈ જા, અને લૂંટમાં આપણે સરખા ભાગીદાર થઈશું.”


કારણ, રાજા તને ઉચ્ચ આસન પરથી ઊઠી જવાનું કહે, એ કરતાં રાજા પોતે તને ઉચ્ચ આસને બેસાડે એ વધારે સારું છે.


માણસનો અહંકાર તેને હલકો પાડશે, પરંતુ વિનમ્ર માણસ સન્માન પ્રાપ્ત કરશે.


પ્રભુ ઉદ્ધતોની ઉપેક્ષા કરે છે; પરંતુ નમ્રજનો પર પોતાની કૃપા વરસાવે છે.


મને કોપાયમાન કરનાર અધર્મી પ્રજા પર આક્રમણ કરવા હું આશ્શૂરને મોકલીશ. તેમને લૂંટી લેવા, તેમની સંપત્તિ પચાવી પાડવા અને તેમને શેરીઓ ક્દવની જેમ ખૂંદી નાખવા હું આશ્શૂરને આજ્ઞા આપીશ.”


તેથી હું મહાપુરુષો સાથે તેને હિસ્સો આપીશ અને તે બળવાનો સાથે લૂંટ વહેંચશે. કારણ, છેક મરણ પામતાં સુધી તેણે પોતાનો આત્મા રેડી દીધો અને અપરાધીઓ સાથે તેની ગણના થઈ. પણ તેણે તો ઘણાંનાં પાપ ઉઠાવ્યાં અને અપરાધીઓ માટે મયસ્થી કરી.


ઈશ્વર જે ઉચ્ચ અને ઉન્‍નત છે, અનાદિઅનંત છે, જેમનું નામ પવિત્ર છે તે આમ કહે છે: “હું ઉચ્ચ અને પવિત્ર સ્થાનમાં વસું છું. વળી, હું પાપથી વિમુખ થનારા અને નમ્ર અંત:કરણના માણસો સાથે પણ વસું છું, જેથી હું નમ્રજનોના આત્માને અને પાપથી વિમુખ થનારાના દયને પ્રોત્સાહિત કરું.


તમે તેમને પ્રફુલ્લિત કર્યા છે; તમે તેમનો આનંદ વધાર્યો છે. કાપણી કરતાં કે લૂંટ વહેંચતાં જેવો આનંદ થાય તેવો આનંદ તેઓ તમારા સાંનિધ્યમાં અનુભવે છે.


અંતરાત્માથી દીનતા ધરાવનાર લોકોને ધન્ય છે; કારણ, આકાશનું રાજ તેમનું છે.


“તેઓ લૂંટ એકઠી કરવા અને વહેંચી લેવા રોકાયા હશે. દરેક સૈનિકને ભાગે એક કે બબ્બે કન્યા આવી હશે; સીસરા માટે રંગીન અને ભરતકામવાળાં વસ્ત્રોની લૂંટ મળી હશે! રાણીના ગળા માટે ભરતકામ કરેલા એક બે દુપટ્ટા મળ્યા હશે!”


Lean sinn:

Sanasan


Sanasan