Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 12:15 - પવિત્ર બાઇબલ C.L.

15 મૂર્ખ હંમેશાં પોતાની વાત સાચી માને છે, પણ જ્ઞાની સારી સલાહ સાંભળે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 મૂર્ખનો માર્ગ તેની પોતાની નજરમાં ખરો છે; પણ જ્ઞાની માણસ સારી સલાહ પર લક્ષ આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 મૂર્ખનો માર્ગ તેની પોતાની નજરમાં સાચો છે, પણ જ્ઞાની માણસ સારી સલાહ પર લક્ષ આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 મૂર્ખ સમજે છે કે હું સાચો છું, પણ જે વ્યકિત સલાહ સાંભળે છે તે ડાહી છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 12:15
19 Iomraidhean Croise  

તે રૂપકકથાઓ અને ઉદાહરણોનો ગૂઢાર્થ સમજવા અને જ્ઞાનીઓનાં કથનો તથા માર્મિક વાતોનો તાગ કાઢવા માટે છે. જ્ઞાનીઓ પણ તેમનું શ્રવણ કરે અને તેમના જ્ઞાનમાં વૃદ્ધિ કરે, અને પારખશક્તિવાળા જનો માર્ગદર્શન પ્રાપ્ત કરે.


શાણો પુત્ર પિતાની શિખામણ માને છે, પણ ઉદ્ધત પુત્ર ઠપકાની ઉપેક્ષા કરે છે.


અહંકાર ઝઘડા જન્માવે છે, પણ સલાહશાંતિ શોધનાર પાસે જ્ઞાન હોય છે.


એક એવો માર્ગ છે જે માણસને સીધો લાગે, પણ અંતે તો તે મૃત્યુ તરફ દોરી જાય છે.


જ્ઞાની માણસ સાવધાનીપૂર્વક ભૂંડાઈથી દૂર રહે છે, પણ મૂર્ખ લાપરવાહીથી ઉતાવળિયાં પગલાં ભરે છે.


દરેક વ્યક્તિને તેનું પોતાનું આચરણ યોગ્ય લાગે છે, પણ પ્રભુ માણસના ઇરાદાઓ પારખે છે.


એક એવો માર્ગ છે કે જે માણસને સાચો લાગે, પણ અંતે તો તે મૃત્યુ તરફ દોરી જાય છે.


સલાહ માન, અને શિખામણ સ્વીકાર કર; એટલે છેવટે તું જ્ઞાની થઈશ.


દરેક વ્યક્તિને પોતાનું આચરણ યોગ્ય લાગે છે, પણ પ્રભુ માણસના અંત:કરણની પારખ કરે છે.


પોતાની જાતને વિદ્વાન માની બેઠેલા માણસ કરતાં મૂર્ખના ભાવિ માટે વિશેષ આશા રાખી શકાય!


યોગ્ય ઉત્તર આપી શકે તેવા સાત માણસો કરતાં, આળસુ પોતાને વધુ જ્ઞાની સમજે છે.


ધનવાન માણસ પોતાને જ્ઞાની સમજે છે, પણ સમજુ ગરીબ તેને પારખી લે છે.


તું પોતાને જ્ઞાની માની બેસીશ નહિ; પ્રભુનો આદરયુક્ત ડર રાખ અને દુષ્ટતાથી દૂર થા.


એવા લોકો પણ હોય છે જેઓ પોતાને શુદ્ધ માને છે, પણ તેમની મલિનતાથી શુદ્ધ થયા નથી.


જ્ઞાનીને શિક્ષણ આપ એટલે તે વધુ જ્ઞાની થશે; નેકજનને શીખવ એટલે તેની વિદ્વતામાં વૃદ્ધિ થશે.


કોઈ એક દરિદ્ર માણસ પોતાના દેશનો રાજા બને અને જેલમાંથી રાજસિંહાસન સુધી પહોંચી જાય, પણ પોતાની વૃદ્ધાવસ્થામાં સલાહ ન સ્વીકારવાની મૂર્ખતા દાખવે, તો એના કરતાં કોઈ ગરીબ પણ શાણો જુવાન વધુ સારો.


બીજો નાકાદાર હતો. ફરોશીએ ઊભા રહીને પ્રાર્થના કરી, ‘હે ઈશ્વર, બીજાઓના જેવો હું લોભી, અન્યાયી અથવા વ્યભિચારી નથી અને હું પેલા નાકાદાર જેવો નથી તેથી હું તમારો આભાર માનું છું.


પોતે કંઈ ન હોવા છતાં જો કોઈ પોતાને મહાન માનતો હોય, તો તે પોતાની જાતને છેતરે છે.


Lean sinn:

Sanasan


Sanasan