Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 9:6 - પવિત્ર બાઇબલ C.L.

6 હવે કેટલાક લોકો મૃતદેહનો સ્પર્શ કરવાને લીધે અશુધ હતા. તેથી તે દિવસે તેઓ પાસ્ખાપર્વ પાળી શકે એમ નહોતું. તે જ દિવસે તેઓ મોશે અને આરોનની પાસે આવ્યા,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને કેટલાક માણસો માણસના મુડદાથી અભડાયેલા હતા, તેથી તેઓ તે દિવસે પાસ્ખાપર્વ પાળી ન શક્યા. અને તેઓ તે દિવસે મૂસાની તથા હારુનની રૂબરૂ આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 કેટલાક માણસો મૃતદેહના સ્પર્શથી અશુદ્ધ થયા હતા તેથી તેઓ તે દિવસે પાસ્ખાપર્વ પાળી ન શક્યા અને તેઓ તે દિવસે મૂસા અને હારુનની પાસે આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 પરંતુ એવું બન્યું કે કેટલાક માંણસો મૃતદેહના સ્પર્શથી અશુદ્ધ થયા હતા, તેઓ દફનક્રિયામાં હતા તેથી તે દિવસે પાસ્ખાપર્વ પાળી શકે એમ નહોતું. તેમણે તે જ દિવસે મૂસા અને હારુનની પાસે જઈને પોતાની હકીકત દર્શાવી.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 9:6
16 Iomraidhean Croise  

મોશેએ કહ્યું, “મારે આ બધું કરવું પડે છે. કારણ, લોકો ઈશ્વરની ઇચ્છા જાણવા માટે મારી પાસે આવે છે.


હવે મારી સલાહ માન અને ઈશ્વર તારી સહાય કરશે. તું લોકોના પ્રતિનિધિ તરીકે ઈશ્વર પાસે જાય તે બરાબર છે. તું જરૂર તેમની ફરિયાદો ઈશ્વર સમક્ષ લઈ જા.


તેઓ સર્વ પ્રસંગે લોકોના પ્રશ્ર્નોનો ન્યાય ચૂકવવાનું કામ કરતા. તેઓ જટિલ પ્રશ્ર્નો મોશે પાસે લાવતા, પણ નાના નાના પ્રશ્ર્નોનું જાતે નિરાકરણ કરતા.


પ્રમુખ યજ્ઞકારના કોઈ સગાનું અવસાન થાય, પછી ભલે તે તેના પિતાનું કે માતાનું હોય તોપણ તે મને સમર્પિત થયેલો હોવાથી તેણે જ્યાં શબ રાખવામાં આવ્યું છે તે ઘરમાં પ્રવેશ કરવો નહિ અને ત્યાં મારા પવિત્રસ્થાનમાંથી બહાર જઈને તેને ભ્રષ્ટ કરવું નહિ.


જેમણે તેને લાકડાં વીણતો જોયો તેઓ તેને મોશે, આરોન અને સમગ્ર સમાજ પાસે લઈ આવ્યા.


“જે કોઈ માણસ મૃતદેહનો સ્પર્શ કરે તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.


“જો કોઈ માણસ તંબૂમાં મરી જાય તો તે માટે આ નિયમ છે: જો કોઈ તે સમયે તંબૂમાં હોય તથા તે પછી જે કોઈ તે તંબૂમાં જાય તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.


જો કોઈ તંબૂની બહાર, તલવારથી અથવા કુદરતી રીતે મરી ગયેલા મૃતદેહનો સ્પર્શ કરે અથવા માણસના હાડકાંને કે કબરને અડકે તો તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.


પછી કોઈ શુદ્ધ વ્યક્તિએ ઝુફો લઈને પાણીમાં બોળી તંબૂ ઉપર, તેમાંનાં બધાં વાસણો ઉપર તથા તેમાંનાં બધાં માણસો ઉપર તે છાંટવું. અથવા જેણે માણસના હાડકાંનો, શબનો કે કબરનો સ્પર્શ કર્યો હોય તેના ઉપર તે છાંટવું.


તેમણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે મોશે, યજ્ઞકાર એલાઝાર અને સમગ્ર સમાજ સમક્ષ જઈને કહ્યું,


અને પ્રભુએ તેને કહ્યું,


“ઇઝરાયલી લોકોને આજ્ઞા આપ: જેમને રક્તપિત્ત થયો હોય, જેમના શરીરમાંથી સ્રાવ થતો હોય અને જે કોઈ શબને અડકવાથી અશુદ્ધ થયા હોય તેમને તેઓ છાવણીમાંથી બહાર કાઢે.


અને કહ્યું, “મૃતદેહનો સ્પર્શ કરવાને લીધે અમે અશુધ થયા છીએ, પરંતુ બીજા ઇઝરાયલીઓની સાથે નિયત સમયે પ્રભુને અર્પણ કરતાં અમને શા માટે અટકાવવામાં આવે છે?”


તેઓ ઈસુને ક્યાફાસના ઘેરથી રાજભવનમાં લઈ ગયા. વહેલી સવારનો એ સમય હતો. પોતે અભડાઈ જાય નહિ અને પાસ્ખાનું ભોજન ખાઈ શકે તે માટે યહૂદીઓ રાજભવનમાં ગયા નહિ.


Lean sinn:

Sanasan


Sanasan