Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 6:5 - પવિત્ર બાઇબલ C.L.

5 નાઝીરી વ્રતમાં અલગતાના સર્વ દિવસો દરમિયાન તેણે માથાના વાળ કપાવવા નહિ કે દાઢી કરવી નહિ. વ્રત પૂરું ન થાય ત્યાં સુધી તે પ્રભુને સમર્પિત થયેલ છે. તેણે તેના વાળ તેમજ દાઢી વધવા દેવાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તેનાં બીથી તે છોતરાં સુધી તેના માથા પર અસ્‍ત્રો ન ફરે. જે મુદતને માટે તેણે યહોવાની સેવામાં વૈરાગ લીધો હોય તે પૂરી થયા સુધી તે શુદ્ધ રહે, તે પોતાના માથાના કેશ વધવા દે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 વળી એ સમય દરમ્યાન તેના માથા પર અસ્ત્રો ન ફરે. અને જ્યાં સુધી વ્રત પૂર્ણ ન થાય ત્યાં સુધી તેણે યહોવાહની સેવામાં વૈરાગ લીધો હોય તે પૂરો થયા સુધી તે શુદ્ધ રહે, તેણે પોતાના માથાનાં વાળ વધારવા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 “વળી એ સમય દરમ્યાન તેણે વાળ કપાવવા નહિ, કારણ કે તેનું વ્રત ચાલુ હોય છે, અને જયાં સુધી વ્રત પૂરું પૂર્ણ ન થાય ત્યાં સુધી તે દેવને સમર્પિત થયેલો છે તેથી તેણે પોતાના વાળ વધારવા જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 6:5
9 Iomraidhean Croise  

“યજ્ઞકારોએ પોતાનાં માથાં મુંડાવવા નહિ, તેમજ લાંબા વાળ રાખવા નહિ. તેમણે પોતાના વાળ કપાવતા રહેવું.


જ્યાં સુધી તેનું નાઝીરી વ્રત ચાલુ હોય ત્યાં સુધી તેણે બીથી છાલ સુધીનું દ્રાક્ષવેલાની નીપજમાંથી કંઈ ખાવું નહિ.


પાઉલ ભાઈઓ સાથે કોરીંથમાં ઘણા દિવસ રહ્યો અને પછી પ્રિસ્કીલા તથા આકુલાને લઈને ત્યાંથી જળમાર્ગે સિરિયા જવા ઊપડયો. વહાણમાં ઊપડતાં પહેલાં તેણે માનતા લીધી હોવાથી કેંખ્રિયામાં પોતાના માથાના વાળ ઉતરાવ્યા.


તારો પુત્ર જન્મે તે પછી તારે એના માથાના વાળ કદી કાપવા નહિ. કારણ, તે છોકરો ગર્ભાધાનથી જ નાઝીરી તરીકે સમર્પિત થશે. તે ઇઝરાયલને પલિસ્તીઓના હાથમાંથી છોડાવવામાં અગ્રભાગ ભજવશે.”


છેવટે તેણે તેને સાચું રહસ્ય જણાવી દીધું. તેણે કહ્યું, “મારા માથાના વાળ ક્યારેય કાપવામાં આવ્યા નથી. મારા ગર્ભાધાનથી હું ઈશ્વરને નાઝીરી તરીકે સમર્પિત કરાયેલો છું. જો મારા વાળ કાપી નાખવામાં આવે તો મારું બળ ચાલ્યું જાય, અને હું સામાન્ય માણસ જેવો બની જઉં.”


દલીલાએ શિમશોનને થાબડીને ખોળામાં સુવાડી દીધો અને પછી એક માણસને બોલાવ્યો, જેણે તેના વાળની લટો કાપી નાખી. પછી દલીલા તેને હેરાન કરવા લાગી. કારણ, તેનામાંથી તેનું બળ ચાલ્યું ગયું હતું.


તેણે માનતા માની, “હે સેનાધિપતિ પ્રભુ, આ તમારી સેવિકાના દુ:ખ સામે જુઓ અને મને યાદ કરો. મને ના ભૂલશો. જો તમે મને પુત્ર આપશો તો હું તમને તેની આખી જિંદગી સુધી તેનું અર્પણ કરીશ અને તેના માથા પર અસ્ત્રો કદી ફરશે નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan