Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 6:20 - પવિત્ર બાઇબલ C.L.

20 ત્યાર પછી યજ્ઞકારે એ વસ્તુઓનું પ્રભુની આગળ આરતી ઉતારીને આરતીઅર્પણ કરવું. આ વસ્તુઓ પવિત્ર અર્પણમાં યજ્ઞકારનો હિસ્સો છે. તે ઉપરાંત આરતીઅર્પણનો છાતીનો ભાગ અને વિશિષ્ટ હિસ્સાના અર્પણના પગનો ભાગ પણ યજ્ઞકારનો ગણાય. આ વિધિ પૂરો થયા પછી નાઝીરીને ફરીથી દ્રાક્ષાસવ પીવાની છૂટ છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને યાજક યહોવાની આગળ તેમની આરતી ઉતારીને આરત્યાર્પણ કરે. આ, તેમ જ આરત્યાર્પણનો છાતીનો ભાગ તથા ઉચ્છાલીયાર્પણનું બાવડું યાજકને માટે શુદ્ધ છે. અને ત્યાર પછી નાજીરીને દ્રાક્ષારસ પીવાની છૂટ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 ત્યારબાદ યાજક અર્પણ તરીકે એ વસ્તુઓ યહોવાહની સમક્ષ અર્પણ કરે. આ પવિત્ર ખોરાક યાજકો માટે નક્કી કરેલ છે, તદઉપરાંત, છાતીનો ભાગ અને જાંધ પણ યાજકના ગણાય, હવે તે નાઝીરીએ દ્રાક્ષારસ પીવાની છૂટ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 ત્યારવાદ યાજક અર્પણ તરીકે એ વસ્તુઓ યહોવાની સમક્ષ ઝુલાવે. એ અર્પણો યાજકને માંટેનો પવિત્ર ભાગ ગણાય છે. એની ઉપરાંત, ઘેટાની છાતીનો ભાગ અને જાંધ દેવને ઘરવા, આ અર્પણો પણ યાજકના ગણાય, હવે તે વ્યક્તિ નાજીરી વ્રતમાંથી મુક્ત થઈને ફરી દ્રાક્ષારસ પી શકે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 6:20
24 Iomraidhean Croise  

જા, આનંદથી તારું ભોજન ખા અને ઉમંગથી દ્રાક્ષાસવ પી, કારણ, તારાં કામનો ઈશ્વરે સ્વીકાર કર્યો છે.


સર્વસમર્થ પ્રભુ દુનિયાની બધી પ્રજાઓ માટે સિયોન પર્વત પર મિજબાની તૈયાર કરશે. તેમાં સર્વશ્રેષ્ઠ વાનગીઓ, અત્યુત્તમ માંસાહાર અને સર્વોત્તમ દ્રાક્ષાસવ પીરસવામાં આવશે.


તેઓ આનંદથી ગાતા ગાતા સિયોનમાં પ્રવેશશે અને તેમના શિર પર સદાનો આનંદ રહેશે. તેઓ હર્ષ તથા આનંદથી ઉભરાશે અને તેમના શોક અને નિસાસા ચાલ્યા જશે.


પ્રભુને યજ્ઞાપર્ણ કરતી વખતે ચરબી દહન કરવા લાવવામાં આવે ત્યારે તે સાથે છાતીનો ભાગ અને પાછલા પગ પણ લાવવા. આ ભાગ પ્રભુની આજ્ઞા પ્રમાણે તારો અને તારાં સંતાનોનો કાયમનો હિસ્સો છે.”


યજ્ઞકાર તેને આરતી-અર્પણ તરીકે પ્રભુને ચડાવે એટલે તમારો સ્વીકાર થશે. સાબ્બાથ પછીના દિવસે યજ્ઞકાર તેનું અર્પણ ચડાવે.


તેણે જાતે જ તે ભાગનું અર્પણ લઈને આવવું. તેણે પ્રાણીની છાતીના ભાગ સાથે ચરબી લાવીને પ્રભુને તેનું અર્પણ કરવું.


યજ્ઞકાર યજ્ઞવેદી પર ચરબીનું દહન કરે પણ છાતીનો ભાગ આરોનવંશી યજ્ઞકારને મળે.


તમારા સંગતબલિની જમણી જાંઘ ખાસ હિસ્સા તરીકે યજ્ઞકારને મળે.


ઇઝરાયલીઓએ ચડાવેલ સંગતબલિના પ્રાણીનો છાતીનો ભાગ તે ખાસ અર્પણ છે અને તેની જમણી જાંઘ તે ખાસ હિસ્સો છે. હું પ્રભુ આ બધું રાખી લઉં છું અને આરોનવંશી યજ્ઞકાર તથા તેના પુત્રોને કાયમના દાપા તરીકે આપું છું.”


અને પ્રભુની આજ્ઞા પ્રમાણે પ્રાણીઓની છાતીના ભાગ અને જમણા પગ યજ્ઞકારોને પ્રભુ તરફથી ખાસ ભેટ તરીકે આપ્યા.


ઇઝરાયલના લોકો સૈનિક જેવા મજબૂત થશે. તેઓ દ્રાક્ષાસવ પીનારાના જેવા આનંદી થશે. આ વિજયને તેમના વંશજો યાદ કરશે અને પ્રભુના એ કાર્યને લીધે તેઓ આનંદિત બનશે.


સર્વસમર્થ પ્રભુ પોતાના લોકોનું રક્ષણ કરશે. તે તેમના શત્રુઓનો નાશ કરશે. તે પીધેલા માણસોની જેમ યુદ્ધમાં હોંકારા મારશે, અને તેમના શત્રુઓનું રક્ત વહેવડાવશે; પ્યાલામાંથી વેદી પર રેડાતા રક્તની જેમ તેમનું રક્ત વહી નીકળશે.


તેઓ કેવા ચિત્તાકર્ષક અને સુંદર બનશે! ધાન્ય યુવાનોને અને નવો દ્રાક્ષાસવ યુવતીઓને અલમસ્ત બનાવશે.


પરંતુ તેમનું માંસ આરતીબલિની છાતીના ભાગની જેમ અને વિશિષ્ટ હિસ્સાના ઉચ્છાલિતબલિના જમણા બાવડાની જેમ તારું ગણાશે.


પછી યજ્ઞકારે સ્ત્રીના હાથમાંથી સંશય માટે ધાન્યઅર્પણ લઈને પ્રભુને તેની આરતી કરીને વેદી પર મૂકી દેવું.


નાઝીરીવ્રત વખતે પ્રભુને અર્પણ ચઢાવવા અંગેનો આ નિયમ છે: હવે જો નાઝીરીએ તેના વ્રત માટે જરૂરી હોય એ ઉપરાંત પ્રભુને બીજુ કંઈ અર્પણ ચઢાવવાને માનતા લીધી હોય તો તે તેણે પૂર્ણ કરવી.


હું તમને કહું છું: મારા પિતાના રાજમાં હું નવો દ્રાક્ષારસ ન પીઉં, ત્યાં સુધી હું દ્રાક્ષારસ પીનાર નથી.


હું તમને સાચે જ કહું છું: ઈશ્વરના રાજમાં નવો દ્રાક્ષારસ ન પીઉં ત્યાં સુધી હું કદી દ્રાક્ષારસ પીવાનો નથી.”


ઈસુએ સરકો ચાખ્યો અને કહ્યું, “સંપૂર્ણ થયું!” પછી માથું નમાવીને તેમણે પ્રાણ છોડયો.


Lean sinn:

Sanasan


Sanasan