Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 5:9 - પવિત્ર બાઇબલ C.L.

9 ઇઝરાયલી લોકો પવિત્ર વસ્તુઓના વિશિષ્ટ હિસ્સાનું અર્પણ યજ્ઞકાર પાસે લાવે તો તે યજ્ઞકારનું થાય,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને ઇઝરાયલી લોકોની સેર્વ પવિત્ર વસ્‍તુઓનું પ્રત્યેક ઉચ્છાલીયાર્પણ કે જે તેઓ યાજકની પાસે લાવે તે તેનું થાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 અને ઇઝરાયલી લોકોની સર્વ પવિત્ર વસ્તુઓનાં દરેક ઉચ્છાલીયાર્પણ કે જે તે યાજકની પાસે લાવે તે તેનું ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 “ઇસ્રાએલીઓ દેવને જે કંઈ ઉચ્છાલીયાર્પણ ઘરાવે છે, તે યાજકની ગણાય છે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 5:9
19 Iomraidhean Croise  

જ્યારે મારા ઇઝરાયલી લોકો મને સંગતબલિ ચડાવે ત્યારે બલિના સીનાનો અને જાંઘનો ભાગ યજ્ઞકારોને ફાળે જાય; આ મારી કાયમી વ્યવસ્થા છે. એ તો લોકોએ મને પ્રભુને ચડાવેલી ભેટ છે.


પવિત્ર સ્થળે બેસીને તે ખાઓ. પ્રભુને ચડાવેલાં અર્પણમાંથી એ તમારો અને તમારા પુત્રોનો હિસ્સો છે. આ આજ્ઞા મને પ્રભુએ આપેલી છે.


વળી, યજ્ઞકારો માટે પ્રભુને ચડાવેલા બલિનો છાતીનો ભાગ અને પાછલા પગ તારો અને તારા કુટુંબનો વિશિષ્ટ હિસ્સો છે. કોઈ પવિત્ર સ્થળે બેસીને તે તમારે ખાવો. ઇઝરાયલી લોકના સંગતબલિમાંથી તમારો અને તમારા બાળકોનો એ હિસ્સો છે.


પ્રભુને યજ્ઞાપર્ણ કરતી વખતે ચરબી દહન કરવા લાવવામાં આવે ત્યારે તે સાથે છાતીનો ભાગ અને પાછલા પગ પણ લાવવા. આ ભાગ પ્રભુની આજ્ઞા પ્રમાણે તારો અને તારાં સંતાનોનો કાયમનો હિસ્સો છે.”


વિધિ કરનાર યજ્ઞકારે મુલાકાત મંડપના ચોકમાં તે ખાવાનું છે.


તમારા સંગતબલિની જમણી જાંઘ ખાસ હિસ્સા તરીકે યજ્ઞકારને મળે.


ઇઝરાયલીઓએ ચડાવેલ સંગતબલિના પ્રાણીનો છાતીનો ભાગ તે ખાસ અર્પણ છે અને તેની જમણી જાંઘ તે ખાસ હિસ્સો છે. હું પ્રભુ આ બધું રાખી લઉં છું અને આરોનવંશી યજ્ઞકાર તથા તેના પુત્રોને કાયમના દાપા તરીકે આપું છું.”


“ઇઝરાયલી લોકો જે પવિત્ર વસ્તુઓ મને ઉચ્છાલિત અર્પણ તરીકે ચડાવે તે બધી જ હું તને, તારા પુત્રોને અને તારી પુત્રીઓને સદાના હિસ્સા તરીકે આપું છું. આ તો તારી અને તારા વંશજોની સાથેનો મારો લૂણનો અતૂટ અને કાયમી કરાર છે.”


પ્રભુએ ફરમાવ્યા પ્રમાણે મોશેએ પ્રભુના ઉચ્છાલિતઅર્પણ તરીકેનો ભાગ યજ્ઞકાર એલાઝારને આપી દીધો.


હવે જો તે માણસ મરી ગયો હોય અને ચૂકવણી કરવા માટે તેનું કોઈ નજીકનું સગું પણ ન હોય તો પછી ચૂકવણીની રકમ યજ્ઞકારને આપવી. તે ઉપરાંત પ્રાયશ્ર્વિત માટે પ્રભુને અર્પણ કરવાનો ઘેટો યજ્ઞકારને આપવો. જેથી યજ્ઞકાર તે દ્વારા દોષિત માટે પ્રાયશ્ર્વિત કરે.


પરંતુ તમારાં પવિત્ર અર્પણો અને તમારી માનતાઓ તો પ્રભુ જે સ્થાન પસંદ કરે ત્યાં જ લઈ જવાં.


Lean sinn:

Sanasan


Sanasan