Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 32:1 - પવિત્ર બાઇબલ C.L.

1 રૂબેન અને ગાદનાં કુળો પાસે પુષ્કળ ઢોરઢાંક હતાં. તેમણે જોયું કે યાઝેર અને ગિલ્યાદનો પ્રદેશ ઢોર ઉછેર માટે ખૂબ જ અનુકૂળ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હવે રૂબેનના પુત્રો તથા ગાદના પુત્રોની પાસે ઘણાં ઢોરઢાંક હતાં. અને તેઓએ યાઝેરનો દેશ તથા ગિલ્યાદનો દેશ જોયો કે તે જગા ઢોરને માટે અનુકૂળ જગા છે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હવે રુબેનના તથા ગાદના વંશજો પાસે મોટી સંખ્યામાં જાનવરો હતાં. જયારે તેઓએ જોયું કે યાઝેરનો તથા ગિલ્યાદનો દેશ જાનવરો માટે અનુકૂળ જગ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ઇસ્રાએલી પ્રજા યાઝેર અને ગિલયાદના પ્રદેશમાં આવી, રૂબેન અને ગાદના કુળસમૂહો પાસે ઘેટાનાં મોટાં મોટાં ઘણ હતા. તેમણે જોયું કે આ પ્રદેશ ઢોરઢાંખરના ઉછેર માંટે ઉત્તમ અને અનુકુળ છે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 32:1
30 Iomraidhean Croise  

હવે અબ્રામ તો ઘણો ધનવાન બન્યો હતો. તેની પાસે ઘણું પશુધન તેમ જ પુષ્કળ સોનુરૂપું હતાં.


અબ્રામની સાથે જનાર લોત પાસે પણ ઘેટાંબકરાં, ઢોરઢાંક અને તંબુઓ હતાં.


લેઆહ ગર્ભવતી થઈ અને તેણે પુત્રને જન્મ આપ્યો. તેણે કહ્યું, “પ્રભુએ મારું દુ:ખ જોયું છે; હવે જરૂર મારા પતિ મારા પર પ્રેમ કરશે.” એટલે તેણે તેનું નામ રૂબેન (જુઓ, પુત્ર) પાડયું.


ત્યારે તેમણે ફેરોને કહ્યું, “તમારા દાસો એટલે અમે તથા અમારા પૂર્વજો પશુપાલક છીએ. કનાન દેશમાં સખત દુકાળ પડયો છે, એટલે અમારાં ઘેટાંબકરાં માટે ત્યાં ઘાસચારો નથી. તેથી અમે આ દેશમાં વસવા આવ્યા છીએ. હવે તમારા દાસો પર કૃપા કરી અમને ગોશેન પ્રદેશમાં વસવા દો.”


તેમણે યર્દન નદી ઓળંગી અને ગાદની સરહદમાં ખીણની મધ્યે આવેલ નગર અરોએરની દક્ષિણે છાવણી નાખી, ત્યાંથી તેઓ યાઝેર ગયા.


ત્યાંથી ગિલ્યાદ અને ત્યાંથી હિત્તીઓની સરહદમાં આવેલા કાદેશમાં ગયા. પછી તેઓ દાનની સરહદમાં ગયા અને દાનથી તેઓ સિદોનની પશ્ર્વિમે ગયા.


હિઝકિયા રાજાના સમયમાં ઉપર જણાવેલ લોકો ગેરાર ગયા અને ત્યાં વસતા લોકોના તંબૂ અને ઝૂંપડાં તોડી પાડયાં. તેમણે ત્યાંના રહેવાસીઓને હાંકી કાઢયા અને પોતે ત્યાં કાયમી વસવાટ કર્યો; કારણ, ત્યાં તેમનાં ઘેટાંને માટે પુષ્કળ ઘાસચારો હતો.


ઇઝરાયલીઓ સિવાય અન્ય જાતિના પણ ઘણા લોકો તેમની સાથે હતા. વળી, પુષ્કળ ઘેટાંબકરાં અને ઢોરઢાંક પણ તેમની સાથે ચાલી નીકળ્યાં.


યહૂદિયાના રાજાના મહેલ વિષે પ્રભુ આ પ્રમાણે કહે છે: “આ મહેલ મારે માટે ગિલ્યાદના વનપ્રદેશ જેવો અને લબાનોન પર્વતના શિખર જેવો ચડિયાતો છે. પણ હું શપથપૂર્વક કહું છું કે હું તેને વેરાન કરી દઈશ અને કોઈ તેમાં વસશે નહિ.


યાઝેરના લોકો કરતાં હું સિબ્માના લોકો માટે વધુ રુદન કરીશ. હે સિબ્મા નગર, તું તો દ્રાક્ષાવેલા જેવું છે અને તારી ડાળીઓ મૃત સરોવરને પેલે પાર યાઝેર સુધી પહોંચી હતી. પણ હવે તારા ઉનાળાનાં ફળોનો અને દ્રાક્ષના પાકનો નાશ કરવામાં આવ્યો છે.


અને હું ઇઝરાયલના લોકોને તેમના ગોચરસમા વતનમાં પાછો લાવીશ. તેઓ ર્કામેલ અને બાશાન પ્રદેશમાં ચરશે અને એફ્રાઇમ તથા ગિલ્યાદની ટેકરીઓ પર ધરાઈને ખાશે.


શું ગિલ્યાદમાં કોઈ વિકળાના વૃક્ષનો લેપ ઉપલબ્ધ નથી? શું ત્યાં કોઈ વૈદ નથી? તો પછી મારા લોકનો કારી ઘા હજુ કેમ રૂઝાયો નથી?


હે પ્રભુ, તમારા લોકના પાલક બનો. તમારા પસંદ કરેલા લોક એ જ તમારું ટોળું છે. તેઓ ફળદ્રુપ પ્રદેશથી ઘેરાયેલા છે, છતાં પોતે વેરાન પ્રદેશમાં એકાંતમાં રહે છે. પ્રાચીન સમયની જેમ તેમને બાશાન અને ગિલ્યાદમાં સમૃદ્ધ ગૌચરોમાં ચરવા દો.


ત્યાર પછી મોશેએ યાઝેર નગર પર કેવી રીતે આક્રમણ કરવું તેની તપાસ કરવા જાસૂસો મોકલ્યા. ઇઝરાયલીઓએ આસપાસનાં ગામો સહિત તે નગરનો કબજો લીધો અને ત્યાં વસતા અમોરીઓને હાંકી કાઢયા.


તેથી તેમણે મોશે, એલાઝાર અને સમાજના આગેવાનો પાસે જઈને કહ્યું,


અમારાં બાળકો અને સ્ત્રીઓ તથા ઘેટાંબકરાં અને બધાં ઢોર અહીં ગિલ્યાદનાં નગરોમાં રહેશે.


“ઇઝરાયલીઓએ પ્રભુની મદદથી કબજે કરેલો અટારોથ, દીબોન, યાઝેર, નિમ્રા, હેશ્બોન, એલઆલેહ, સબામ તથા નબો અને બેઓન નગરોનો પ્રદેશ ઢોરઉછેર માટે ખૂબ જ અનુકૂળ છે અને તમારા આ સેવકોની પાસે પુષ્કળ ઢોર છે.


આટ્રોથ-શોફાન, યાઝેર, યોગ્બાહ,


તેણે પ્રથમથી જ પોતાના વારસાનો ઉત્તમ હિસ્સો મેળવ્યો છે અને આગેવાન તરીકેનો ભાગ તેને ફાળવવામાં આવેલો હતો. જ્યારે ઇઝરાયલના આગેવાનો એકઠા થયા હતા, ત્યારે તેણે ઇઝરાયલીઓને લગતા પ્રભુના આદેશોનું પાલન કર્યું.”


તેમના પ્રદેશમાં યાઝેર તથા ગિલ્યાદનાં સર્વ નગરો, રાબ્બાની સામે આવેલ છેક અરોએર સુધીનો આમ્મોનના અર્ધા દેશનો સમાવેશ થતો હતો.


પછી ઇઝરાયલી લોકોએ એલાઝાર યજ્ઞકારના પુત્ર ફિનહાસને રૂબેન, ગાદ અને પૂર્વ-મનાશ્શાનાં કુળોના લોકો પાસે ગિલ્યાદ પ્રાંતમાં મોકલ્યો.


આમ, રૂબેન, ગાદ અને પૂર્વ મનાશ્શાના કુળના લોકો પોતાને ઘેર પાછા ગયા. કનાન દેશના શીલોમાં બાકીના ઇઝરાયલી લોકોની તેમણે વિદાય લીધી અને મોશે દ્વારા પ્રભુએ તેમને આપેલી આજ્ઞા પ્રમાણે તેમણે કબજે કરેલા ગિલ્યાદ પ્રદેશમાં એટલે પોતાના વસવાટના પ્રદેશમાં જવા ઉપડયા.


જે કંઈ દુનિયાનું છે એટલે કે, દેહની વાસના, આંખોની લાલસા, અને જીવનનું મિથ્યાભિમાન, તે ઈશ્વરપિતા પાસેથી આવતું નથી, પણ દુનિયામાંથી જ આવે છે.


તમે ઘેટાંની પાછળ કેમ ફરતા રહ્યા? ઘેટાંપાળકો ટોળાંને સીટી વગાડી બોલાવે તે સાંભળવા? સાચે જ રૂબેનના કુળમાં ભારે મનોમંથન થયું અને તેઓ આવવાનો નિર્ણય કરી શક્યા નહિ.


Lean sinn:

Sanasan


Sanasan