Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 31:14 - પવિત્ર બાઇબલ C.L.

14 યુધમાંથી પાછા ફરેલા લશ્કરના સેનાપતિઓ, સહસ્ત્રાધિપતિઓ અને શતાધિપતિઓ પર મોશે ખૂબ જ ગુસ્સે થયો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને સૈન્યના અધિકારીઓ, એટલે હજારહજારના આગેવાનો, તથા સોસોના આગેવાનો, જેઓ યુદ્ધમાંથી આવ્યા હતા તેઓ પર મૂસાને રોષ ચઢ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પણ મૂસા સૈન્યના અધિકારી, સહસ્રાધિપતિ તથા શતાધિપતિ જેઓ યુદ્ધમાંથી આવ્યા હતા તેઓ પર ગુસ્સે હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 મૂસા યુદ્ધમાંથી પાછા ફરતા લશ્કરના સેનાપતિઓ, અને લશ્કરના નાનામોટા અધિકારીઓ ઉપર ક્રોધે ભરાયો હતો.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 31:14
13 Iomraidhean Croise  

દાવિદ રાજાએ પોતાના સર્વ માણસોની ગણતરી કરી અને તેમને હજાર હજારની અને સો સોની ટુકડીઓમાં વહેંચી નાખ્યા અને તેમના પર અધિકારીઓ નીમ્યા.


પછી સંદેશવાહકે રાજાને કહ્યું, “પ્રભુ તરફથી આ સંદેશ છે: ‘મેં જેને મૃત્યુદંડને પાત્ર ઠરાવ્યો તેને તેં જવા દીધો છે, તેથી તારે તારા જીવને સાટે તેની કિંમત ચૂકવવી પડશે. તેં તેના સૈન્યને જતું રહેવા દીધું છે તેથી તારું સૈન્ય નાશ પામશે.”


તેથી ઈશ્વરભક્ત એલિશા ગુસ્સે થઈ ગયો અને તેણે રાજાને કહ્યું, “તારે પાંચથી છ વખત બાણો મારવાં જોઈતાં હતાં. કારણ, ત્યારે તો તેં અરામીઓ પર પૂરો વિજય મેળવ્યો હોત; પણ તું હવે તેમને માત્ર ત્રણ વાર હરાવી શકીશ.”


છાવણીની નજીક આવતાં મોશેએ વાછરડો જોયો અને લોકોને નાચતા જોયા. તેથી તેનો ક્રોધ ભભૂકી ઊઠયો. તેણે ત્યાં પર્વતની તળેટીમાં જ શિલાપાટીઓ ફેંકી દઈને તેમને ભાંગી નાખી.


આરોને જવાબ આપ્યો, “મારા પર ગુસ્સે ન થઈશ; તું આ લોકોને તો ઓળખે છે કે તેઓ સ્વભાવે દુષ્ટ છે.


મોશેએ પ્રાયશ્ર્વિતબલિ માટેના બકરાની તપાસ કરી તો જાણવા મળ્યું કે તેનું તો ક્યારનુંય દહન કરી દેવામાં આવ્યું હતું. તેથી તે આરોનના બાકી રહેલા પુત્રો એલાઝાર અને ઇથામાર પર ગુસ્સે ભરાયો.


(તે સમયે પૃથ્વીના બધા લોકોમાં મોશે જેવો નમ્ર માણસ બીજો કોઈ નહોતો.)


મોશે, યજ્ઞકાર એલાઝાર અને સમાજના બધા આગેવાનો તેમને મળવાને માટે પડાવની બહાર ગયા.


તેણે તેમને પૂછયું, “શા માટે તમે આ બધી સ્ત્રીઓને જીવતી રાખી છે?”


ત્યાર પછી સેનાપતિઓ, સહસ્ત્રાધિપતિઓ અને શતાધિપતિઓ મોશેની પાસે આવ્યા.


જો તમે ગુસ્સે થાઓ, તો તમારો ગુસ્સો તમને પાપમાં દોરી જાય એવું થવા ન દો; અને આખો દિવસ ગુસ્સે ન રહો.


તેમાંના કેટલાકને તે હજાર માણસો પર અને બીજા કેટલાકને તે પચાસ માણસો પર અધિકારીઓ નીમશે. તમારા પુત્રોએ તેનાં ખેતરો ખેડવાં પડશે. તેનો પાક લણવો પડશે અને તેનાં શસ્ત્રો અને તેના રથો માટેનાં સાધનો બનાવવાં પડશે.


Lean sinn:

Sanasan


Sanasan