Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 30:8 - પવિત્ર બાઇબલ C.L.

8 પણ જો તેની માનતાની જાણ તેના પતિને થાય અને તે તેને પૂર્ણ કરવાની મના કરે તો તેની માનતા રદ થઈ જાય અને પ્રભુ તેને ક્ષમા કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 પણ તેનો પતિ સાંભળે તે દિવસે જો તે તેને મના કરે, તો જે માનતા તેને શિર હોય, ને પોતાના હોઠોના જે અવિચારી શબ્દોથી તેણે પોતાના જીવને બાંધ્યો હોય, તે તે રદ કરે; અને યહોવા તેને ક્ષમા કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પણ તેનો પતિ તે વિષે સાંભળીને જો તે દિવસે તેને મના કરે, તો જે સંકલ્પ તેણે કર્યા છે, પોતાના હોઠોની અવિચારી વાતોથી તેણે પોતાની આધીનતા દર્શાવી છે, તે રદ કરે. તેથી યહોવાહ તેને મુક્ત કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 જો તેનો પતિ તેની પ્રતિજ્ઞા અથવા વચન પુરું કરવા ન દે તો તે પ્રતિજ્ઞા અથવા વચન મુક્ત થઈ જાય છે. તેથી યહોવા તેને માંફ કરશે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 30:8
10 Iomraidhean Croise  

પછી ઈશ્વરે સ્ત્રીને કહ્યું, “હું તારું ગર્ભધારણનું દુ:ખ વધારીશ અને બાળકને જન્મ આપવામાં તને ભારે વેદના થશે. છતાંય તું તારા પતિની ઝંખના સેવ્યા કરીશ અને તે તારા પર અધિકાર ચલાવશે.”


વળી, તે સ્ત્રીઓએ કહ્યું, “અમે આકાશની રાણીને બલિદાનો ચડાવવાનું અને દ્રાક્ષાસવનું પેયાર્પણ રેડવાનું ચાલુ રાખીશું. અમે કંઈ અમારા પતિઓના સહકાર વિના આકાશની રાણીના આકારની પોળી બનાવતી નથી કે તેને દ્રાક્ષાસવનું પેયાર્પણ રેડતી નથી.”


“જો કોઈ માણસ ખરી કે ખોટી કોઈપણ બાબત વિષે વગર વિચાર્યે સોગંદ ખાય તો તેની જાણ થતાં જ તે દોષિત ગણાય.


પણ જો તેના પિતાને માનતાની ખબર પડે અને તે તેને પૂર્ણ કરવાની મના કરે તો તે તેને માટે બંધનર્ક્તા ગણાશે નહિ. તેના પિતાએ તેને પૂર્ણ કરવાની મના કરી હોવાથી તે બંધનર્ક્તા નથી અને પ્રભુ તેને ક્ષમા કરશે.


અને તેની માનતાની જાણ તેના પતિને થાય પણ તે તેને કશું કહે નહિ તો તેણે પોતાની માનતા તોડવી નહિ, પણ તે લીધેલી માનતા તેણે પૂરી કરવી.


“જો કોઈ વિધવા અથવા લગ્ન વિચ્છેદ થયેલી સ્ત્રી માનતા લે અથવા કોઈ વસ્તુનો ત્યાગ કરવાની માનતા લે તો તે બધું જ તેને બંધનર્ક્તા છે.


સંતોની બધી મંડળીઓમાં ચાલે છે તેમ તમારી મંડળીની સભાઓમાં સ્ત્રીઓએ શાંત રહેવું; તેમને બોલવાની પરવાનગી નથી. યહૂદી નિયમ પ્રમાણે તેમણે પોતાની મર્યાદામાં રહેવું.


પત્નીને પોતાના શરીર પર અધિકાર નથી, એ અધિકાર પતિને છે. તે જ પ્રમાણે પતિને પોતાના શરીર પર અધિકાર નથી, એ અધિકાર પત્નીને છે.


એલ્કાનાએ જવાબ આપ્યો, “તને યોગ્ય લાગે તેમ કર અને દૂધ છોડાવ્યા સુધી તું ઘેર રહે. પ્રભુ તારી માનતા પૂરી કરો.” તેથી હાન્‍ના ઘેર રહી અને છોકરાને દૂધપાન કરાવતી રહી.


Lean sinn:

Sanasan


Sanasan