Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 30:5 - પવિત્ર બાઇબલ C.L.

5 પણ જો તેના પિતાને માનતાની ખબર પડે અને તે તેને પૂર્ણ કરવાની મના કરે તો તે તેને માટે બંધનર્ક્તા ગણાશે નહિ. તેના પિતાએ તેને પૂર્ણ કરવાની મના કરી હોવાથી તે બંધનર્ક્તા નથી અને પ્રભુ તેને ક્ષમા કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 પણ તેના પિતા સાંભળે તે દિવસે જો તે તેને મના કરે, તો તેની માનતાઓ, અથવા જે બંધનોથી તેણે પોતાના જીવને બાંધ્યો હોય તેઓમાંનું એકે કાયમ રહેશે નહિ; અને યહોવા તેને ક્ષમા કરશે, કેમ કે તેના પિતાએ તેને મના કરી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પણ તેના પિતા તે વિષે સાંભળીને તે દિવસે જો તેને મનાઈ કરે, તો જે સંકલ્પો તથા વચનો જે વડે તેણે પોતાની આધીનતા દર્શાવેલી છે તે કાયમ રહે. તેના પિતાએ તેને ના પાડી હોવાથી યહોવાહ તેને મુક્ત કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 પરંતુ જો તેના પિતાને જે દિવસે જાણ થાય તે જ દિવસે તેણીને વચન પુરુ કરવાની મનાઈ કરે તો તે તેને પુરુ કરવા બંધનકર્તા ન રહે, તેના પિતાએ તેને રોકી હોવાથી યહોવા તેને વચન તોડવા માંટે દોષિત ગણે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 30:5
8 Iomraidhean Croise  

મારે તો તમારાં બલિદાનો નહિ, પણ તમારો પ્રેમ જોઈએ છે. તમે દહનબલિ ચઢાવો એ કરતાં મને ઓળખો એ હું વધારે પસંદ કરું છું.


અને તેની માનતાની જાણ તેના પતિને થાય પણ તે તેને કશું કહે નહિ તો તેણે પોતાની માનતા તોડવી નહિ, પણ લીધેલી માનતા પૂર્ણ કરવી.


અને તેના પિતાને જાણ થાય, પણ તે તેને મના કરે નહિ, તો તેણે પોતાનું વચન તોડવું નહિ, પણ આપેલું વચન પાળવું. તેને માટે તે માનતા બંધનર્ક્તા છે.


“જો કોઈ કુંવારી સ્ત્રી માનતા રાખે અને પૂરતો વિચાર કર્યા વગર કોઈ વસ્તુ છોડી દેવાની માનતા લે અને પછી લગ્ન કરે


પણ જો તેની માનતાની જાણ તેના પતિને થાય અને તે તેને પૂર્ણ કરવાની મના કરે તો તેની માનતા રદ થઈ જાય અને પ્રભુ તેને ક્ષમા કરશે.


બાળકો, તમે તમારાં માતાપિતાને પ્રભુમાં આજ્ઞાંક્તિ રહો, કારણ, એમ કરવું તે યોગ્ય છે.


Lean sinn:

Sanasan


Sanasan