Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 30:3 - પવિત્ર બાઇબલ C.L.

3 જો કોઈ યુવતી હજી પોતાના પિતાને ઘેર જ રહેતી હોય ત્યારે સ્વેચ્છાથી પ્રભુ માટે કંઈક આપવાની માનતા લે કે કોઈ વસ્તુ છોડી દેવાનું વચન આપે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને જો કોઈ સ્‍ત્રી યહોવા પ્રત્યે માનતા માને, ને પોતાના પિતાના ઘરમાં રહીને, પોતાની જુવાનીમાં બંધનથી પોતાને બાંધે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 જો કોઈ કુંવારી સ્ત્રી યહોવાહને નામે સંકલ્પ કરે, પોતાના પિતાના ઘરે રહીને, વચનથી પોતાને આધીન કરે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 “જો કોઈ કુંવારી સ્ત્રી પોતાના પિતાને ઘેર હોય ત્યારે યહોવાને કશું ચઢાવવાનું વચન આપે અગર અન્ય કોઈ વસ્તુનો ત્યાગ કરવાનું વ્રત લે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 30:3
10 Iomraidhean Croise  

સિદકિયા રાજાએ નબૂખાદનેસ્સાર રાજાને વફાદાર રહેવા ઈશ્વરને નામે સોગંદ ખાધા હતા છતાં તેણે નબૂખાદનેસ્સાર વિરુદ્ધ બળવો કર્યો. તે જક્કી વલણનો હતો અને તેણે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ તરફ ફરવાની હઠપૂર્વક ના પાડી.


તેથી મને, તમારા ઈશ્વરને તો તમે સ્તુતિરૂપી અર્પણ ચડાવો, અને સર્વોચ્ચ ઈશ્વરને આપેલાં તમારાં વચનો પૂર્ણ કરો.


“તું ઇઝરાયલી લોકને આમ કહે: જો કોઈ માણસ પ્રભુની સેવામાં બીજા કોઈને સમર્પિત કરવાની માનતા રાખે અને પછી તે તેને મુક્ત કરવા માંગે તો તેણે પવિત્રસ્થાનના ચલણના શેકેલના ધોરણે નીચે પ્રમાણે મુક્તિમૂલ્ય ચૂકવવું.


જો કોઈ માણસ પ્રભુને માટે સ્વેચ્છાપૂર્વક કંઈક કરવાની માનતા લે અથવા કોઈ વસ્તુનો ત્યાગ કરવાનું વચન આપે તો તેણે તે વચન તોડવું નહિ, પણ આપેલું વચન પાળવું.


અને તેના પિતાને જાણ થાય, પણ તે તેને મના કરે નહિ, તો તેણે પોતાનું વચન તોડવું નહિ, પણ આપેલું વચન પાળવું. તેને માટે તે માનતા બંધનર્ક્તા છે.


“તું ઇઝરાયલીઓને આ પ્રમાણે સૂચનાઓ આપ: જો કોઈ પુરુષ કે સ્ત્રી પ્રભુને માટે સમર્પિત થવા “નાઝીરી” થવાનું ખાસ વ્રત લે


સંતોની બધી મંડળીઓમાં ચાલે છે તેમ તમારી મંડળીની સભાઓમાં સ્ત્રીઓએ શાંત રહેવું; તેમને બોલવાની પરવાનગી નથી. યહૂદી નિયમ પ્રમાણે તેમણે પોતાની મર્યાદામાં રહેવું.


પણ ઇઝરાયલીઓએ તેમને મારી નાખ્યા નહિ, કારણ, તેમના આગેવાનોએ ઇઝરાયલના ઈશ્વર પ્રભુને નામે સમ ખાઈને તેમને વચન આપ્યું હતું. સર્વ લોકોએ એ માટે ઇઝરાયલી સમાજના આગેવાનોની ટીકા કરી.


જ્યારે તેણે તેને જોઈ ત્યારે તેણે દુ:ખથી પોતાનાં વસ્ત્ર ફાડયાં અને કહ્યું, “હાય, મારી દીકરી, તેં તો મારું હૃદય ભાંગી નાંખ્યું! તું પણ મને દુ:ખ દેનારાઓમાંની એક બની? મેં પ્રભુને ગંભીર વચન આપ્યું છે, અને હવે તે ફોક કરી શકાય તેમ નથી!”


તેણે માનતા માની, “હે સેનાધિપતિ પ્રભુ, આ તમારી સેવિકાના દુ:ખ સામે જુઓ અને મને યાદ કરો. મને ના ભૂલશો. જો તમે મને પુત્ર આપશો તો હું તમને તેની આખી જિંદગી સુધી તેનું અર્પણ કરીશ અને તેના માથા પર અસ્ત્રો કદી ફરશે નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan