ગણના 30:12 - પવિત્ર બાઇબલ C.L.12 પણ જો તેની માનતાની જાણ તેના પતિને થાય તે જ વખતે તે તેને પૂર્ણ કરવાની મના કરે તો તે તેને બંધનર્ક્તા નથી. તેના પતિએ તેને રદ કરી હોવાથી પ્રભુ તેને ક્ષમા કરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 પણ તેનો પતિ સાંભળે તે દિવસે જો તેણે તે રદ કરી હોય, તો તેની માનતા વિષે કે તેના પ્રાણના બંધન વિષે જે કંઈ તેના હોઠોમાંથી નીકળ્યું હોય તે કાયમ રહે નહિ. તેના પતિએ તે રદ કર્યાં છે; અને યહોવા તેને ક્ષમા કરશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 પણ તેનો પતિ સાંભળે તે દિવસે જો તે નાબૂદ કરે, તો જે સંકલ્પો તથા વચનો તેના વિષે તેના મુખમાંથી નીકળ્યા છે તે કાયમ રહે નહિ. તેના પતિએ તેને નાબૂદ કર્યા છે. યહોવાહ તેને મુક્ત કરે. Faic an caibideilપવિત્ર બાઈબલ12 પણ જો પતિને જાણ થતાં તેને રદ કરે તો તેણે જે વચન આપ્યું હોય તે બંધનકર્તા રહે નહિ. તેના પતિએ તેને રદ કર્યા હોવાથી યહોવા તેને માંફ કરી દેશે. Faic an caibideil |