Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 3:6 - પવિત્ર બાઇબલ C.L.

6 લેવીકુળને આગળ લાવ અને તેમને આરોન યજ્ઞકારની સમક્ષ રજૂ કર કે તેઓ તેની સેવા કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 “લેવીના કુળને પાસે લાવ. ને હારુન યાજકની આગળ તેઓને ઊભા કર કે તેઓ તેની સેવા કરે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 લેવીના કુળને પાસે લાવ અને તેઓને યાજક હારુનની આગળ ઊભા કર કે, તેઓ તેની સેવા કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 “લેવીના કુળસમૂહોને બોલાવી લાવ અને તેમને યાજક હારુનની સેવામાં નિયુક્ત કર.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 3:6
18 Iomraidhean Croise  

પછી તેણે કહ્યું, “માત્ર લેવીઓએ જ કરારપેટી ઉપાડવી; કારણ, પ્રભુએ તેમને જ તે ઊંચકવા અને હંમેશને માટે તેમની સેવા કરવા પસંદ કર્યા છે.”


અને તેમને નીચેની ફરજો સોંપાઈ હતી: આરોનના વંશના યજ્ઞકારોને મંદિરની સેવાના કામમાં મદદ કરવી, તેના આંગણાં અને ખંડોની દેખભાળ કરવી અને પવિત્ર વસ્તુઓ અશુદ્ધ ન થાય તે જોવું;


તેમને મુલાકાતમંડપ તથા મંદિર અને મંદિરની સેવાના કામમાં આરોનના વંશમાંથી ઊતરી આવેલ તેમના યજ્ઞકાર ભાઈઓને મદદ કરવાની જવાબદારી સોંપી હતી.


આ કામગીરી સંભાળનાર માણસોની વંશાવળીની વિગતો આ પ્રમાણે છે. કહાથનું ગોત્ર: પ્રથમ ગાયકવૃંદનો આગેવાન હેમાન યોએલનો પુત્ર હતો. વંશાનુક્રમે યાકોબ સુધીના તેના પૂર્વજો આ પ્રમાણે છે: હેમાન, યોએલ, શમુએલ, એલ્કાના, યહોરામ, એલિયેલ, તોઆ,


તેથી મારા દીકરાઓ, સમય વેડફો નહિ. પ્રભુએ તેમની સેવાભક્તિ કરવા અને તેમની આગળ ધૂપ ચડાવવા તેમના સેવકો તરીકે તમને જ પસંદ કર્યા છે.”


મોશેના પુસ્તકમાં લખેલી સૂચનાઓ પ્રમાણે તેમણે યરુશાલેમના મંદિરમાં વારા પ્રમાણે સેવા કરવા માટે યજ્ઞકારો અને લેવીઓની નિમણૂક કરી.


ત્યારે તમે જાણશો કે મેં તમને આ આજ્ઞા આપી છે, એ માટે કે યજ્ઞકારો જે લેવીના વંશજો છે, તેમની સાથેના કરારનો ભંગ થાય નહિ.


પ્રભુએ આરોનને કહ્યું, “લેવીઓ મુલાકાતમંડપમાં મારી સેવા કરે છે તેના બદલામાં ઇઝરાયલના સર્વ દશાંશ હું તેમના હિસ્સા તરીકે ઠરાવું છું.


“પ્રથમનાં બે સૈન્ય અને છેલ્લાં બે સૈન્યની વચ્ચે લેવીઓએ મુલાકાતમંડપનો સરસામાન ઊંચકીને કૂચ કરવી. દરેક સૈન્યે પોતપોતાના ક્રમ અને વજ પ્રમાણે કૂચ કરવી.


પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે ઇઝરાયલી લોકોની ગણતરીમાં લેવીકુળની નોંધ કરવામાં આવી ન હતી.


પ્રભુએ મોશેને કહ્યું,


તે સમયે પ્રભુએ લેવીના વંશજોને પ્રભુના કરારની પેટી ઊંચકવા, પ્રભુની સમક્ષ યજ્ઞકારો તરીકે સેવા બજાવવા અને પ્રભુને નામે આશીર્વચન ઉચ્ચારવા નીમ્યા; અને આજે પણ તેઓ તેમની એ ફરજો બજાવે છે.


Lean sinn:

Sanasan


Sanasan