Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 28:7 - પવિત્ર બાઇબલ C.L.

7 દ્રાક્ષાસવ અર્પણ તરીકે દરેક હલવાન સાથે એક લિટર કેફી આસવ પ્રભુને માટે પવિત્રસ્થળે રેડવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને તેનું પેયાર્પણ એક હલવાનને માટે પા હિન [દ્રાક્ષારસનું] હોય. તું યહોવાને માટે પવિત્રસ્થાનમાં મદ્યનું પેયાર્પણ રેડાવ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પેયાર્પણ એક હલવાનને સારુ પા હિન દ્રાક્ષારસનું હોય. તમે યહોવાહને માટે પવિત્રસ્થાનમાં મધનું પેયાર્પણ રેડો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 પેયાર્પણ તરીકે પા ગેલન દ્રાક્ષારસ દરેક હલવાન સાથે અર્પણ કરવો. તમાંરે તેને દેવને પેયાર્પણ તરીકે પવિત્ર જગ્યામાંની વેદી પર રેડી દેવો.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 28:7
17 Iomraidhean Croise  

પ્રથમ હલવાન સાથે એક લીટર શુદ્ધ ઓલિવ તેલમાં મોહેલો ઘઉંનો ઝીણો લોટ ચડાવવો અને પેયાર્પણ તરીકે એક લિટર દ્રાક્ષાસવ રેડવો.


મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ મારા સાંનિધ્યમાં આ દહનબલિ મને પેઢી દર પેઢી ચડાવવામાં આવે. ત્યાં હું તને મળીશ અને તારી સાથે વાત કરીશ.


આ વેદી પર મના કરેલ કોઈપણ ધૂપ, કોઈ પશુબલિ અથવા ધાન્યાર્પણ ચડાવવાં નહિ. તેના પર દ્રાક્ષાસવનું પેયાર્પણ પણ રેડવું નહિ.


એ કોતરોના સુંવાળા પથ્થરોમાંથી ઘડેલી દેવમૂર્તિઓ જ તમારો હિસ્સો છે. તમે તેમના પર પેયાર્પણ તરીકે દ્રાક્ષાસવ રેડો છો અને અન્‍નનું અર્પણ ચડાવો છો. શું આ બધું મને પ્રસન્‍ન કરે ખરું?


હે વેદીઓ આગળ સેવા કરનારા યજ્ઞકારો, કંતાન પહેરીને વિલાપ કરો! મંદિરમાં જઈને આખી રાત રુદન કરો! તમારા ઈશ્વરને અર્પણ કરવા માટે કંઈ ધાન્ય કે દ્રાક્ષાસવ રહ્યાં નથી.


મંદિરમાં અર્પણ કરવા માટે કંઈ ધાન્ય કે દ્રાક્ષાસવ રહ્યાં નથી; પ્રભુને ચઢાવવાનાં અર્પણો ન હોવાથી યજ્ઞકારો ઝૂરે છે.


પ્રભુ તમારા ઈશ્વર પોતાનું મન કદાચ બદલે અને તમને વિપુલ પાકથી આશીર્વાદિત કરે. ત્યારે તો તમે તેમને ધાન્ય અને દ્રાક્ષાસવનાં અર્પણો ચઢાવી શકશો.


તે માણસે પ્રાણીનાં આંતરડાં અને પગ પાણીથી ધોઈ નાખવા અને યજ્ઞકારે વેદી પર બલિનું સંપૂર્ણ દહન કરવું. આહુતિના આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે.


તે સાથે જ તેલમાં મોયેલો બે કિલો લોટ ધાન્ય અર્પણ તરીકે ચડાવવો. તેની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે. તે સાથે એક લિટર દ્રાક્ષાસવ પણ ચડાવવો.


આ અર્પણની સુવાસથી પ્રભુ પ્રસન્‍ન થાય છે.


અને દહનબલિ કે બલિ માટેના દરેક ઘેટાની સાથે એક લિટર દ્રાક્ષાસવ પેયાર્પણ માટે તૈયાર કરવો.


તેની સાથે દરેક વાછરડા દીઠ બે લિટર દ્રાક્ષાસવ, બકરા માટે સવા લિટર દ્રાક્ષાસવ અને દરેક ઘેટા દીઠ એક લિટર દ્રાક્ષાસવનું પેયાર્પણ કરવું. આ દહનબલિ દર મહિનાને પ્રથમ દિવસે વર્ષના બારે માસ અર્પવાનો છે.


દરરોજના દહનબલિ અને તેની સાથેના ધાન્યઅર્પણ ઉપરાંત એ અર્પણો તમારે દ્રાક્ષાસવઅર્પણ સાથે ચડાવવાનાં છે. અલબત્ત, પ્રાણી ખોડખાંપણ વગરનાં હોય તેની ચોક્સાઈ રાખવી.


એ તો આહ્લાદક સુવાસ માટે અગ્નિમાં દહન કરીને પ્રભુને ચડાવવાનો દરરોજનો દહનબલિ છે, જે સિનાઇ પર્વત પર ઠરાવાયો હતો.


બીજા હલવાનનું અર્પણ સાંજે કરવું અને તેની સાથે સવારના જેવા જ ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ચડાવવાં. એ પ્રભુને પ્રસન્‍ન કરવા માટે સુવાસિત અગ્નિબલિ છે.


તમારા વિશ્વાસના અર્પણ પર જો મારે પેયાર્પણ તરીકે રેડાઈ જવું પડે તો તે માટે હું ખુશી છું અને તમારા સૌની સાથે આનંદ કરું છું.


Lean sinn:

Sanasan


Sanasan