Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 28:25 - પવિત્ર બાઇબલ C.L.

25 સાતમે દિવસે તમારે પવિત્ર ભક્તિસંમેલન ભરવું અને તે દિવસે અન્ય રોજિંદું કામ ન કરવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 અને સાતમે દિવસે તમે પવિત્ર મેળાવડો કરો. [તે દિવસે] તમે કંઈ સંસારી કામ ન કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 સાતમા દિવસે યહોવાહના આદરમાં પવિત્રસભા કરવી અને તે દિવસે રોજનું કામ કરવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 “સાતમાં દિવસે ફરીથી પવિત્ર ધર્મસભા માંટે સર્વ લોકોએ ભેગા થવું અને તે દિવસે રોજનું પરિશ્રમનું કામ કરવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 28:25
14 Iomraidhean Croise  

પ્રથમ તથા સાતમે દિવસે તમારે પવિત્ર ભક્તિસભા માટે એકત્ર થવું. આ દિવસો દરમ્યાન તમારે રસોઈ બનાવવા સિવાય અન્ય કંઈ કામ કરવું નહિ.


સાત દિવસ તમારે ખમીર વગરની રોટલી ખાવી અને સાતમે દિવસે પ્રભુના માનમાં પર્વ ઊજવવું.


તે દિવસે તમારે રોજિંદું કામ કરવું નહિ. પણ પ્રભુના ભજનને માટે સંમેલન બોલાવવું. તમે ગમે ત્યાં વસતા હો પરંતુ આ નિયમ તો તમારે વંશપરંપરાગત રીતે કાયમને માટે પાળવાનો છે.


તે દિવસે પ્રભુને અગ્નિબલિ ચડાવવો અને રોજિંદું કામ કરવું નહિ.”


“છ દિવસ તમારે કામ કરવાનું છે. પરંતુ યાદ રાખો કે સાતમો દિવસ એટલે સાબ્બાથ તો આરામનો દિવસ છે. તે દિવસે કંઈ રોજિંદું કામ કરો નહિ. પણ પ્રભુનું ભજન કરવા એકત્ર થાઓ. તમે ગમે ત્યાં વસતા હો પણ સાબ્બાથ તો પ્રભુને સમર્પિત દિવસ છે.


પ્રથમ દિવસે તમારે પ્રભુના ભજનને માટે સંમેલન રાખવું અને ત્યારે રોજીંદુ કાર્ય કરવું નહિ.


સાત દિવસ સુધી તમારે પ્રભુને અગ્નિબલિ ચડાવવા. સાતમે દિવસે તમારે ફરીથી પ્રભુના ભજનને માટે સંમેલન રાખવું અને રોજિંદું કાર્ય કરવું નહિ.”


પ્રથમ દિવસે તમારે પવિત્ર ભક્તિસંમેલન રાખવું અને તે દિવસે અન્ય રોજિંદું કામ કરવું નહિ.


“કાપણીના પર્વના પ્રથમ દિવસે જ્યારે તમે તમારા સાપ્તાહિક ઉત્સવમાં પાકેલું નવું અનાજ પ્રભુને અર્પણ કરો ત્યારે તમારે પવિત્ર સંમેલન રાખવું. તે દિવસે અન્ય રોજિંદું કામ કરવું નહિ.


“સાતમા મહિનાને પ્રથમ દિવસે ભક્તિ માટે તમારે ભક્તિસંમેલન રાખવું અને અન્ય રોજિંદું કામ કરવું નહિ. તે દિવસે તમારે રણશિંગડાં વગાડવાં.


“સાતમા મહિનાના પંદરમે દિવસે તમારે પવિત્ર ભક્તિસંમેલન ભરવું, સાત દિવસ સુધી તમારે પ્રભુનું પર્વ પાળવું અને અન્ય રોજિંદું કામ કરવું નહિ.


“આઠમે દિવસે ભક્તિસંમેલનની સમાપ્તિ કરવી. તે દિવસે તમારે અન્ય રોજિંદું કામ કરવું નહિ.


તે પછીના છ દિવસ સુધી તમારે ખમીર વગરની રોટલી ખાવી અને સાતમે દિવસે તમારા ઈશ્વર પ્રભુની ભક્તિ માટે પવિત્ર સંમેલન ભરવું અને તે દરમ્યાન તમારે અન્ય રોજિંદું કામ કરવું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan