Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 28:15 - પવિત્ર બાઇબલ C.L.

15 દરરોજના દહનબલિ અને તેની સાથેના દ્રાક્ષાસવ અર્પણ ઉપરાંત પ્રાયશ્ર્વિતના બલિ તરીકે પ્રભુને એક બકરાનો બલિ પણ ચડાવવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને તમારે પાપાર્થાર્પણને માટે એક બકરો, નિત્યના દહનીયાર્પણ ને તેના પેયાર્પણ ઉપરાંત, યહોવાને ચઢાવવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 એક બકરો પાપાર્થાર્પણ તરીકે તમારે યહોવાહને ચઢાવવો. રોજના દહનીયાર્પણ અને તે સાથેના પેયાર્પણ ઉપરાંતનું આ અર્પણ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 પ્રત્યેક માંસના પ્રથમ દિવસે એક બકરો પાપાર્થાર્પણ તરીકે તમાંરે યહોવાને ચઢાવવો. અને દૈનિક દહનાર્પણ અને તે સાથેના પેયાર્પણ ઉપરાંતનુ આ અર્પણ છે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 28:15
14 Iomraidhean Croise  

પછી તેમણે એક બકરું કાપ્યું, અને યોસેફનો લાંબી બાંયોવાળો ઝભ્ભો રક્તમાં બોળ્યો.


“પછી તેણે લોકનાં પાપ માટેના પ્રાયશ્ર્વિતબલિના બકરાને કાપવો. તેનું રક્ત પરમપવિત્રસ્થાનમાં લાવવું અને આખલાના રક્તની માફક જ દયાસન ઉપર અને કરારપેટી સામે તેને છાંટવું.


આ રીતે ઇઝરાયલી લોકની અશુદ્ધતા અને તેમનાં બધાં પાપથી પરમપવિત્રસ્થાનને મુક્ત કરવા તે પ્રાયશ્ર્વિતનો વિધિ કરે. એ જ રીતે ઇઝરાયલી લોકની મધ્યે આવેલા મુલાકાતમંડપને પણ અશુદ્ધતાથી મુક્ત કરવા તે પ્રાયશ્ર્વિતનો વિધિ કરે.


તો તેની તેને જાણ થતાં જ તેણે ખોડખાંપણ વગરનો બકરો લાવવો.


સમગ્ર સમાજથી સરતચૂકથી અને અજાણે આજ્ઞાભંગ થયો હોય તો તેમણે પ્રભુને પ્રસન્‍ન કરવા સુવાસને માટે એક વાછરડાનો દહનબલિ કરવો અને તેની સાથે જરૂરી ધાન્યઅર્પણ અને પેયાર્પણ ચડાવવાં. એ ઉપરાંત પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરાનું પણ અર્પણ કરવું.


તેની સાથે દરેક વાછરડા દીઠ બે લિટર દ્રાક્ષાસવ, બકરા માટે સવા લિટર દ્રાક્ષાસવ અને દરેક ઘેટા દીઠ એક લિટર દ્રાક્ષાસવનું પેયાર્પણ કરવું. આ દહનબલિ દર મહિનાને પ્રથમ દિવસે વર્ષના બારે માસ અર્પવાનો છે.


એ ઉપરાંત તમારા પ્રાયશ્ર્વિત માટે પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરાનું અર્પણ કરવું.


વળી, તેમને કહે કે, તમારે પ્રભુને આવા અગ્નિબલિનું અર્પણ કરવું: કોઈ પણ જાતની ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના બે નર હલવાન દિન પ્રતિદિન હંમેશા ચડાવવા.


એ ઉપરાંત તમારું પ્રાયશ્ર્વિત કરવા માટે પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરાનું અર્પણ કરવું.


વળી, પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરો ચડાવવો. આ બધું દરરોજના દહનબલિ, ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવ- અર્પણ ઉપરાંત ચડાવવાનું છે.


એ ઉપરાંત તમારું પ્રાયશ્ર્વિત કરવા માટે પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરાનું અર્પણ કરવું.


માનવી સ્વભાવની દુર્બળતાને કારણે નિયમશાસ્ત્ર જે કરી શકાયું નહિ તે ઈશ્વરે કર્યું. તેમણે પાપ કરવાની ક્ષમતા ધરાવતા આપણા માનવી સ્વભાવ જેવો સ્વભાવ લઈને પોતાના પુત્રને પ્રાયશ્ર્વિત બલિ તરીકે મોકલ્યા અને માનવી સ્વભાવમાં રહેલી પાપવૃત્તિને સજા ફરમાવી.


ખ્રિસ્ત પોતે નિષ્પાપ હતા, છતાં ઈશ્વરે તેમને આપણે માટે પાપરૂપ કર્યા; જેથી ખ્રિસ્તની સાથે મેળવાયા હોવાથી આપણે ઈશ્વરની પવિત્રતાના ભાગીદાર બનીએ.


Lean sinn:

Sanasan


Sanasan