Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 25:18 - પવિત્ર બાઇબલ C.L.

18 કારણ, તેમણે તેમનાં કાવતરાંથી તમને પરેશાન કર્યા છે અને પયોરના કિસ્સામાં તથા તે પછી ફાટી નીકળેલ રોગચાળા દરમ્યાન મારી નંખાયેલ મિદ્યાની આગેવાનની દીકરી કોઝબીની બાબતમાં તમને ફસાવ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 કેમ કે તેઓ તેમની કુયુક્તિઓથી તમને હેરાન કરે છે. એમ કરીને તેઓએ પેઓરની બાબતમાં તથા પોતાની બહેન, એટલે મિદ્યાનના અધિપતિની દીકરી કીઝબી, કે જેને પેઓરની બાબતની મરકીને દિવસે મારી નાખવામાં આવી. તેની બાબતમાં તમને ફસાવ્યા.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 કેમ કે તેઓ કપટથી તમારી સાથે દુશ્મનો જેવા વ્યવહાર કરે છે. તેઓ પેઓરની બાબતમાં અને તેઓની બહેન એટલે મિદ્યાનના આગેવાનની દીકરી કીઝબી કે જેને પેઓરની બાબતમાં મરકીના દિવસે મારી નાખવામાં આવી હતી તેની બાબતમાં તમને ફસાવ્યા હતા.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 પેઓરમાં તેમણે મિદ્યાની સ્ત્રીઓ દ્વારા તને ખેલ કરાવી, તમને મિથ્યા દેવ બઆલની પૂજા કરતા કર્યા, મિદ્યાની આગેવાનની પુત્રી કોઝબી નામની સ્ત્રી દ્વારા તેઓએ તમને ફસાવ્યાં. પછી મૂર્તિપૂજાને કારણે ઇસ્રાએલીઓ એક રોગથી મૃત્યુ પામ્યા. તેથી તેઓ તમાંરા દુશ્મનો છે.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 25:18
13 Iomraidhean Croise  

અબિમેલેખે કહ્યું, “તેં અમને આ શું કર્યું? મારા લોકમાંથી કોઈ તારી સ્ત્રી સાથે સહેજે સૂઈ જાત અને એમ તું અમારા પર દોષ લાવત.”


પ્રભુ પરમેશ્વરે સ્ત્રીને પૂછયું, “તેં શા માટે એવું કર્યું?” સ્ત્રીએ કહ્યું, “સાપે મને ભરમાવી અને મેં તે ખાધું.”


તેઓ મિદ્યાન છોડીને પારાન ગયા, જ્યાં તેમની સાથે થોડાક માણસો જોડાયા હતા. પછી તેઓ મુસાફરી કરતાં કરતાં ઇજિપ્તમાં ફેરો પાસે ગયા. ફેરોએ તેમને થોડી જમીન રહેવાને મકાન અને ખોરાક આપ્યાં.


તેણે આરોનને કહ્યું, “લોકોએ તને શું કર્યું કે તેં તેમને આવા મોટા પાપમાં પ્રેર્યા?”


તેથી પ્રભુએ લોકો પર રોગચાળો મોકલ્યો. કારણ, તેમણે આરોનને સોનાનો વાછરડો બનાવવાની ફરજ પાડી હતી.


અને મારી નાખવામાં આવેલ મિદ્યાની સ્ત્રીનું નામ કોઝબી હતું. તે મિદ્યાનના કુળમાં કુટુંબના વડા સૂરની દીકરી હતી.


રોગચાળા પછી પ્રભુએ મોશેને અને યજ્ઞકાર આરોનના પુત્ર એલાઝારને કહ્યું,


જેમ સાપના ચાલાકીભર્યા જૂઠાણાથી હવા છેતરાઈ ગઈ, તેમ તમારું મન દુષિત થઈ જાય અને તમે ખ્રિસ્ત પ્રત્યેની અનન્ય અને નિખાલસ નિષ્ઠા તજી દો એવી મને બીક લાગે છે.


ભ્રમણામાં પડેલા માણસોમાંથી નાસી છૂટવાની જેમણે હજી હમણાં જ શરૂઆત કરી છે તેવા લોકોને સપડાવવાને તેઓ શારીરિક દુર્વાસનાઓનો ઉપયોગ કરે છે.


પરંતુ મારે તારી વિરુદ્ધ થોડીક બાબતો કહેવાની છે: તારે ત્યાં કેટલાક બલઆમના શિક્ષણને અનુસરનાર છે. ઇઝરાયલી લોકોને કેવી રીતે પ્રલોભનમાં પાડવા તે બલઆમે બાલાકને શીખવ્યું, જેથી તેઓ મૂર્તિઓને અર્પેલો ખોરાક ખાય અને વ્યભિચાર કરે.


Lean sinn:

Sanasan


Sanasan