Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 22:8 - પવિત્ર બાઇબલ C.L.

8 બલામે તેમને કહ્યું, “આજની રાત અહીં રહો. પ્રભુ જે કહેશે તે જવાબ હું તમને સવારે આપીશ.” તેથી મોઆબના આગેવાનો બલામની સાથે રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને બલામે તેઓને કહ્યું, “આજની રાત અહીં ઉતારો કરો, ને યહોવા મને કહેશે તેવી હું તમને ખબર આપીશ.” અને મોઆબના આગેવાનો બલામની સાથે રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 બલામે તેઓને કહ્યું, “આજ રાત અહીં રહો. યહોવાહ મને જે જણાવશે તે હું તમને કહીશ.” તેથી મોઆબના આગેવાનો બલામ સાથે રાત રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 બલામે તેઓને કહ્યું, “આજની રાત તમે અહીં રહો, હું તમને યહોવા કહેશે તે જવાબ આપીશ.” તેથી મોઆબના આગેવાનો બલામ સાથે રાત રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 22:8
13 Iomraidhean Croise  

ઈશ્વરભક્તે કહ્યું, “તમે મને તમારી અડધી સંપત્તિ આપી દો, તો પણ તમારી સાથે આવીને હું કંઈપણ ખાવાપીવાનો નથી.


પણ મિખાયાએ જવાબ આપ્યો, “જીવતા પ્રભુના સોગંદ ખાઉં છું કે તે મને જે કહેજે તે જ હું કહીશ.”


તમે તેમને રોપો છો, અને તેઓ જડ નાખે છે, તેઓ વૃદ્ધિ પામીને ફળવંત થાય છે. તેમને મુખે તમારું નામ હોય છે, પણ તેમના મનથી તમે દૂર હો છો!


તેથી મારા લોકો તારી પાસે આવીને તારું સાંભળવા તારી પાસે ટોળે મળીને બેસે છે, તેઓ તારી વાત સાંભળે છે, પણ તેનો અમલ કરતા નથી. તેઓ તેમના મુખની વાતોથી તો બહુ પ્રેમ દર્શાવે છે, પરંતુ તેમનું હૃદય સ્વાર્થ પાછળ ભટકે છે.


પ્રભુએ તેમને કહ્યું, “મારી વાત ધ્યનથી સાંભળો. જો તમારી મધ્યે કોઈ સંદેશવાહક હોય તો હું સંદર્શનમાં તેની આગળ પ્રગટ થાઉં છું અને સ્વપ્નમાં તેની સાથે વાત કરું છું.


પણ બલામે જવાબ આપ્યો, “જો બાલાક પોતાના મહેલનું બધું સોનુંરૂપું મને આપે તોપણ નાનીમોટી કોઈ વાતમાં હું પ્રભુ મારા ઈશ્વરની વાણીની વિરુધ જઈ શકું નહિ.


ત્યારે બલામે બાલાકને કહ્યું, “જો, હું આવ્યો તો છું! પણ હવે હું ધારું તે બોલવાને મને અધિકાર છે? ઈશ્વર મારા મુખમાં જે શબ્દો મૂકે તે જ હું બોલીશ.” પછી બલામ બાલાક સાથે કિર્યાથ- હુસોથમાં ગયો.


તેથી મોઆબ અને મિદ્યાનના આગેવાનો પોતાની સાથે શાપ અપાવવા માટેની રકમ લઈને બલામની પાસે ગયા અને તેને બાલાકનો સંદેશો કહી સંભળાવ્યો.


ઈશ્વરે બલામની પાસે આવીને પૂછયું, “તારી સાથે ઊતરેલા આ લોકો કોણ છે?”


પણ બલામે કહ્યું, “મારે તો પ્રભુ મારા મુખમાં જે વાચા મૂકે તે જ બોલવી ન પડે?”


પછી બલામે બાલાકને કહ્યું, “તું તારા દહનબલિ પાસે ઊભો રહે અને હું ઉપર જાઉં, કદાચ પ્રભુ મને મળવા આવશે. તે મને જે પ્રગટ કરશે તે હું તને જણાવીશ.” પછી તે એક વેરાન ટેકરી પર એકલો ગયો.


જો બાલાક તેના મહેલનું બધું સોનુંરૂપું મને આપે તોપણ હું પ્રભુની આજ્ઞા વિરુધ જઈને કશું કહી શકું નહિ. મને તો પ્રભુ જે કહેશે તે જ કહીશ!”


Lean sinn:

Sanasan


Sanasan