Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 22:38 - પવિત્ર બાઇબલ C.L.

38 ત્યારે બલામે બાલાકને કહ્યું, “જો, હું આવ્યો તો છું! પણ હવે હું ધારું તે બોલવાને મને અધિકાર છે? ઈશ્વર મારા મુખમાં જે શબ્દો મૂકે તે જ હું બોલીશ.” પછી બલામ બાલાક સાથે કિર્યાથ- હુસોથમાં ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

38 અને બલામે બાલાકને કહ્યું, “જો, હું તારી પાસે આવ્યો છું. શું હવે ગમે તે બોલવઅની મને કંઈ સત્તા છે? જે વાત ઈશ્વર મારા મુખમાં મૂકે, તે જ હું બોલીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

38 ત્યારે બલામે બાલાકને જવાબ આપ્યો, “જો, હું તારી પાસે આવ્યો છું. શું મને કંઈ બોલવાનો અધિકાર છે? જે વચનો ઈશ્વરે મારા મુખમાં મૂક્યાં છે ફક્ત તે જ હું બોલીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

38 એટલે બલામે બાલાકને કહ્યું, “હું અહીં આવ્યો છું તે તું જુએ છે, શું તું એમ માંને છે કે હું ધારું તે કરી શકું છું? હું તો દેવ મને જે બોલાવે છે તે જ બોલું છું.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 22:38
16 Iomraidhean Croise  

પણ મિખાયાએ જવાબ આપ્યો, “જીવતા પ્રભુના સોગંદ ખાઉં છું કે તે મને જે કહેજે તે જ હું કહીશ.”


પણ આહાબે ઉત્તર આપ્યો, “મારી સાથે યાહવેના નામે બોલતો હોય ત્યારે તારે સાચું જ કહેવું. એ મારે તને કેટલીવાર સમ દઈને કહેવાનું હોય?”


પણ મિખાયાએ જવાબ આપ્યો, “પ્રભુના જીવના સમ, હું તો ઈશ્વર મને કહેશે તે જ બોલીશ.”


પ્રભુ વિધર્મી રાષ્ટ્રોના ઇરાદાને નિષ્ફળ કરે છે, અને તે પ્રજાઓની યોજનાઓને નિરર્થક બનાવે છે.


હે ઈશ્વર, ક્રોધી માણસોને પણ તમે તમારું સ્તવન કરતા કરી દો છો; તમારા રોષમાંથી બચેલા તમારી ચારેબાજુ એકઠા થશે.


માનવી મનમાં ઘણી યોજનાઓ ઘડે છે; પણ પ્રભુનો ઇરાદો જ કાયમ ટકશે.


હું જૂઠા ભવિષ્યવેત્તાઓએ આપેલા સંકેતો ખોટા ઠરાવું છું અને જોશ જોનારાઓને બેવકૂફ બનાવું છું. હું જ્ઞાનીઓનાં જ્ઞાનને ઊંધા વાળું છું અને તેમની વિદ્યાને મૂર્ખાઈ ઠરાવું છું.


મેં પરિણામ કેવું આવશે તેની આરંભથી જાહેરાત કરી છે. જે બનવાનું હતું તે મેં પ્રાચીનકાળથી પ્રગટ કર્યું છે. મારો સંકલ્પ અફર છે અને મારા મનની ઇચ્છા પ્રમાણે જ થશે.


તું છેક તારી બાલ્યાવસ્થાથી ધંતરમંતર અને જાદુક્રિયામાં મંડી રહી છે. તેના પર આધાર રાખ; કદાચ, તું તેનાથી સફળ થાય અને તારા દુશ્મનો પર ધાક પણ બેસાડે!


પણ બલામે જવાબ આપ્યો, “જો બાલાક પોતાના મહેલનું બધું સોનુંરૂપું મને આપે તોપણ નાનીમોટી કોઈ વાતમાં હું પ્રભુ મારા ઈશ્વરની વાણીની વિરુધ જઈ શકું નહિ.


બાલાકે બલામને કહ્યું, “મેં તમને બોલાવવાને માણસો મોકલ્યા ન હતા? તો તમે કેમ આવ્યા નહિ? તમને એવું લાગ્યું કે હું તમને યોગ્ય ભેટ નહિ આપી શકું?”


બાલાકે આખલા અને ઘેટાંઓનો વધ કર્યો અને તેમાંથી કેટલોક ભાગ બલામ અને તેની સાથેના આગેવાનોને મોકલી આપ્યો.


બલામે તેમને કહ્યું, “આજની રાત અહીં રહો. પ્રભુ જે કહેશે તે જવાબ હું તમને સવારે આપીશ.” તેથી મોઆબના આગેવાનો બલામની સાથે રહ્યા.


પ્રભુ બલામને મળ્યા, પોતાની વાણી સંભળાવતાં તેમણે કહ્યું, “બાલાક પાસે પાછો જા અને આ પ્રમાણે કહેજે.”


પણ બલામે બાલાકને જવાબ આપ્યો, “મેં તો તને ક્યારનુંય નહોતું કહ્યું કે મારે તો પ્રભુ મને જે કહે તે જ કરવું પડશે.”


જો બાલાક તેના મહેલનું બધું સોનુંરૂપું મને આપે તોપણ હું પ્રભુની આજ્ઞા વિરુધ જઈને કશું કહી શકું નહિ. મને તો પ્રભુ જે કહેશે તે જ કહીશ!”


Lean sinn:

Sanasan


Sanasan