Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 22:18 - પવિત્ર બાઇબલ C.L.

18 પણ બલામે જવાબ આપ્યો, “જો બાલાક પોતાના મહેલનું બધું સોનુંરૂપું મને આપે તોપણ નાનીમોટી કોઈ વાતમાં હું પ્રભુ મારા ઈશ્વરની વાણીની વિરુધ જઈ શકું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને બાલામે બાલાકના સેવકોને ઉત્તર આપ્યો, “જો બાલાક પોતાનું ઘર ભરીને સોનુંરૂપું મને આપે તોપણ યહોવા મારા ઈશ્વરની વાણીનું ઉલ્લંઘન કરીને હું તેથી વધતુંઓછું કરી શકતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 બલામે બાલાકના માણસોને જવાબ આપ્યો, “જો બાલાક મહેલ ભરીને સોનું ચાંદી મને આપે તોપણ હું નાની કે મોટી કોઈ પણ બાબતમાં મારા યહોવાહ, મારા ઈશ્વરની આજ્ઞા વિરુદ્ધ કંઈ કરી શકું તેમ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 બલામે બાલાકના માંણસોને જવાબ આપ્યો, “જો તે મને તેના મહેલમાંનું તમાંમ સોનું અને ચાંદી આપે તોયે હું નાની કે મોટી કોઈ પણ બાબતમાં માંરા દેવ યહોવાની આજ્ઞા વિરુદ્ધ કંઈ કરી શકું તેમ નથી.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 22:18
14 Iomraidhean Croise  

ઈશ્વરભક્તે કહ્યું, “તમે મને તમારી અડધી સંપત્તિ આપી દો, તો પણ તમારી સાથે આવીને હું કંઈપણ ખાવાપીવાનો નથી.


પણ મિખાયાએ જવાબ આપ્યો, “જીવતા પ્રભુના સોગંદ ખાઉં છું કે તે મને જે કહેજે તે જ હું કહીશ.”


પણ મિખાયાએ જવાબ આપ્યો, “પ્રભુના જીવના સમ, હું તો ઈશ્વર મને કહેશે તે જ બોલીશ.”


અથવા પોતાના દફન આવાસોને સોનાચાંદીથી ભરી દેનાર રાજકુંવરોની સાથે હું હોત:


દાનિયેલે જવાબ આપ્યો, “આપની બક્ષિસો આપની પાસે જ રહેવા દો અથવા તે કોઈ બીજાને આપો. તેમ છતાં હે રાજા, હું લેખ વાંચીને તમને તેનો અર્થ જણાવીશ.


તમે પણ આજની રાત અહીં રોકાઈ જાઓ. જેથી પ્રભુ મને બીજું કંઈક કહેવાના હોય તો તે હું જાણી શકું.”


ત્યારે બલામે બાલાકને કહ્યું, “જો, હું આવ્યો તો છું! પણ હવે હું ધારું તે બોલવાને મને અધિકાર છે? ઈશ્વર મારા મુખમાં જે શબ્દો મૂકે તે જ હું બોલીશ.” પછી બલામ બાલાક સાથે કિર્યાથ- હુસોથમાં ગયો.


બલામે તેમને કહ્યું, “આજની રાત અહીં રહો. પ્રભુ જે કહેશે તે જવાબ હું તમને સવારે આપીશ.” તેથી મોઆબના આગેવાનો બલામની સાથે રહ્યા.


પણ બલામે બાલાકને જવાબ આપ્યો, “મેં તો તને ક્યારનુંય નહોતું કહ્યું કે મારે તો પ્રભુ મને જે કહે તે જ કરવું પડશે.”


બલામે કહ્યું, “મેં તો તેં મોકલેલા સંદેશકોને કહ્યું હતું કે


જો બાલાક તેના મહેલનું બધું સોનુંરૂપું મને આપે તોપણ હું પ્રભુની આજ્ઞા વિરુધ જઈને કશું કહી શકું નહિ. મને તો પ્રભુ જે કહેશે તે જ કહીશ!”


પણ પિતરે જવાબ આપ્યો, “તું અને તારા પૈસા જાય જહન્‍નમમાં! ઈશ્વરની ભેટને તું પૈસાથી ખરીદવાનો વિચાર કરે છે?


તેઓ ઈશ્વરને ઓળખતા હોવાનો દાવો કરે છે, પણ તેમનું વર્તન તેનો નકાર કરે છે. તેઓ તિરસ્કારપાત્ર, આજ્ઞાભંગ કરનારા તથા કોઈ પણ સારું કાર્ય કરવાને માટે નક્મા છે.


પણ મેં બલઆમનું સાંભળ્યું નહિ. તેથી તેણે તમને આશિષ આપી અને એમ તમને બાલાકના હાથમાંથી છોડાવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan