Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 19:7 - પવિત્ર બાઇબલ C.L.

7 ત્યાર પછી યજ્ઞકાર પોતાનાં કપડાં ધોઈ નાખે, પાણીથી સ્નાન કરે, ને પછી તે પડાવમાં જઈ શકે. પણ તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 ત્યાર પછી યાજક પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને પાણીમાં સ્નાન કરે, ને પછી છાવણીમાં આવે, ને યાજક સાંજ સુધી અશુદ્ધ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 ત્યારબાદ તે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખે અને પાણીમાં સ્નાન કરે. પછી છાવણીમાં આવે, સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 ત્યારબાદ તેણે પોતાનાં કપડાં ધોઈ નાખવાં અને આખા શરીરે સ્નાન કરવું અને છાવણીમાં પાછા ફરવું. સાંજ સુધી વિધિ અનુસાર તે અશુદ્ધ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 19:7
19 Iomraidhean Croise  

“જો કોઈ આ પ્રાણીઓના શબનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય; ફાટેલી ખરીવાળાં પણ પગમાં ચિરાયેલાં ન હોય, વાગોળતાં ન હોય અને પંજા પર ચાલતાં હોય એવાં ચોપગાં પ્રાણીઓ અશુદ્ધ છે. જે કોઈ તેમનાં શબનો સ્પર્શ કરે તેણે પોતાનાં વસ્ત્ર ધોઇ નાખવાં. છતાં સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.


જે કોઈ તેમના શબનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


જે કંઈ એમના શબને અડકે તે અશુદ્ધ ગણાય. એટલે લાકડાંની, કપડાંની, ચામડાંની કે તારની વસ્તુ પણ અશુદ્ધ ગણાય; પાણીથી તેને ધોઇ નાખવી અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.


“જો કોઈ ખાવાલાયક પ્રાણી મૃત્યુ પામે તો તેના શબનો સ્પર્શ કરનાર સાંજ સુધી અશુદ્ધ ગણાય.


જો કોઈ તે શબમાંથી ખાય તો તેણે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં. તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. જે કોઈ તેવા શબને ફેંકી આવે તેણે પણ પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં. તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


ઘર બંધ હોય ત્યાં સુધી તેમાં કોઈ પ્રવેશ કરે તો સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.


જો કોઈ તેની પથારીનો સ્પર્શ કરે કે તેની બેઠક પર બેસે તે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે,


પછી સ્નાન કર્યા વગર તે પવિત્ર અર્પણમાંથી કશું ખાઈ શકે નહિ.


જે માણસ વાછરડીની રાખ એકઠી કરે તેણે પોતાનાં કપડાં ધોઈ નાખવાં અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય. ઇઝરાયલીઓ માટે અને તેમની મધ્યે વસતા પરદેશી માટે આ કાયમનો વિધિ છે.


જે કોઈ શુદ્ધ હોય તેણે ત્રીજે અને સાતમે દિવસે અશુદ્ધ થયેલા માણસ ઉપર તે પાણી છાંટવું. સાતમે દિવસે તેણે એ માણસનું શુદ્ધિકરણ કરવું. અશુદ્ધ થયેલા માણસે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં, અને પાણીમાં સ્નાન કરવું, પછી સાંજે તે શુદ્ધ થયેલો ગણાશે.


તમારે માટે આ કાયમનો વિધિ છે. જે માણસ શુદ્ધિકરણનું પાણી છાંટે તેણે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં, અને જે કોઈ એ પાણીને અડકે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


અશુદ્ધ માણસ જે કોઈ વસ્તુને અડકે તે અશુદ્ધ ગણાય અને જે કોઈ આવી વસ્તુને અડકે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.”


જે માણસ વાછરડીનું દહન કરે તેણે પણ પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં, અને સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.


યહૂદી પ્રમુખ યજ્ઞકાર, પરમ પવિત્રસ્થાનમાં પ્રાણીઓનું રક્ત લઈને પાપોને માટે અર્પણ ચઢાવે છે; પરંતુ પ્રાણીઓનાં શરીરોને મંડપ બહાર બાળી નાખવામાં આવે છે.


Lean sinn:

Sanasan


Sanasan