Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 19:22 - પવિત્ર બાઇબલ C.L.

22 અશુદ્ધ માણસ જે કોઈ વસ્તુને અડકે તે અશુદ્ધ ગણાય અને જે કોઈ આવી વસ્તુને અડકે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને તે અશુદ્ધ માણસ જે કશાનો સ્પર્શ કરે તે પણ અશુદ્ધ ગણાય. અને જે માણસ તેવી વસ્‍તુનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 અશુદ્ધ વ્યક્તિ કશાનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. તે વસ્તુને સ્પર્શ કરનાર વ્યક્તિ પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 સૂતકી વ્યક્તિ જે કોઈ વસ્તુને સ્પર્શ કરે તે પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય; અને તે વસ્તુને સ્પર્શ કરનાર વ્યક્તિ પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 19:22
21 Iomraidhean Croise  

પ્રભુએ મોશે અને આરોનને કહ્યું,


વળી, સ્રાવવાળો જેના પર બેઠો હોય તેનો જો કોઈ સ્પર્શ કરે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય અને જે કોઈ એવી વસ્તુ ઊંચકે તે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, સ્નાન કરે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


જો સ્રાવવાળો માણસ હાથ ધોયા વગર કોઈને સ્પર્શે તો તેવા માણસે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવા, સ્નાન કરવું અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


જો કોઈ તેની પથારીને સ્પર્શે તો તેણે પોતાનાં કપડાં ધોઈ નાખવાં, સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.


જો કોઈ તેની બેઠકનો સ્પર્શ કરે તો તે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, સ્નાન કરે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


જો કોઈ તેની પથારી કે બેઠક પરની કોઈ વસ્તુનો સ્પર્શ કરે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


જો કોઈ તેની પથારી કે બેઠકનો સ્પર્શ કરે તો તે અશુદ્ધ ગણાય. તે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, સ્નાન કરે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


જો કોઈ તેની પથારીનો સ્પર્શ કરે કે તેની બેઠક પર બેસે તે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે,


સ્નાન કરે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


જે કોઈ તેનો સ્પર્શ કરે તે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, સ્નાન કરે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


જો સ્રાવવાળો કોઈ વ્યક્તિ પર થૂંકે તો તે વ્યક્તિ પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, સ્નાન કરે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


જે યજ્ઞકાર શબના સ્પર્શથી અશુદ્ધ થયેલ વસ્તુને અડકે અથવા જેને વીર્યસ્રાવ થતો હોય તેવા પુરુષને અડકે અથવા પેટે ચાલતાં કોઈ અશુદ્ધ પ્રાણી કે કોઈ પક્ષી કે કોઈ માણસનો સ્પર્શ કરે તો એવી કોઈપણ અશુદ્ધિને લીધે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


પછી સ્નાન કર્યા વગર તે પવિત્ર અર્પણમાંથી કશું ખાઈ શકે નહિ.


“જો કોઈ માણસ અજાણતાં કોઈપણ અશુદ્ધ વસ્તુ, એટલે પાળેલાં, વન્ય કે પેટે ચાલનાર પ્રાણીના શબનો સ્પર્શ કરે તો તે અશુદ્ધ ગણાય અને તેની જાણ થતાં જ તે દોષિત ગણાય.


“જો કોઈ માણસ અજાણતાં અશુદ્ધ માનવી કે માનવી શબનો સ્પર્શ કરે તો તેની જાણ થતાં જ તે દોષિત ગણાય.


જો તે માંસને કોઈ અશુદ્ધ વસ્તુનો સ્પર્શ થાય તો તે ખાવામાં ન આવે પણ બાળી નાખવામાં આવે.


વળી, જો કોઈ અશુદ્ધ વસ્તુનો એટલે અશુદ્ધ મનુષ્ય, પ્રાણી કે સર્પટિયાનો સ્પર્શ કરે અને પછી પ્રભુને ચડાવેલ સંગતબલિનું માંસ ખાય તો તેનો સમાજમાંથી બહિષ્કાર કરવો.”


પછી હાગ્ગાયે પૂછયું, “કોઈ માણસ શબના સ્પર્શથી અશુદ્ધ થાય અને પછી પેલા ખાદ્યપદાર્થોને અડકે તો તે પદાર્થો અશુદ્ધ બની જાય ખરા?” યજ્ઞકારોએ જવાબ આપ્યો. “હા.”


ત્યાર પછી યજ્ઞકાર પોતાનાં કપડાં ધોઈ નાખે, પાણીથી સ્નાન કરે, ને પછી તે પડાવમાં જઈ શકે. પણ તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


Lean sinn:

Sanasan


Sanasan