Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 19:14 - પવિત્ર બાઇબલ C.L.

14 “જો કોઈ માણસ તંબૂમાં મરી જાય તો તે માટે આ નિયમ છે: જો કોઈ તે સમયે તંબૂમાં હોય તથા તે પછી જે કોઈ તે તંબૂમાં જાય તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 જ્યારે કોઈ માણસ તંબુમાં મરી જાય ત્યારે તેને લગતો નિયમ આ છે: જે કોઈ એ તંબુમાં જાય, અથવા જે કોઈ એ તંબુમાં હોય, તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 જ્યારે કોઈ માણસ તંબુમાં મૃત્યુ પામે ત્યારે તેના માટે આ નિયમ છે. પ્રત્યેક વ્યક્તિ જે તંબુમાં જાય અને પ્રત્યેક વ્યક્તિ જે તંબુમાં હોય તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 “જો કોઈ માંણસ તંબુમાં મૃત્યુ પામે તો તે માંટે આ નિયમો છે: તંબુમાં તે વખતે પ્રવેશ કરનારા અને મૃત્યુ સમયે હાજર રહેનારા સૌને સાત દિવસનું સૂતક લાગે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 19:14
13 Iomraidhean Croise  

એ બધા મૃતદેહો દાટી દેતાં ને ભૂમિને સ્વચ્છ કરતાં ઇઝરાયલીઓને સાત મહિના લાગશે.


એમાંથી શુદ્ધ થયા પછી તેમણે સાત દિવસ અલગ રહેવું,


“બધી જાતના ચામડીના રોગને માટે આ નિયમો છે;


સ્રાવવાળા અને વીર્યસ્રાવવાળા પુરુષ માટે તથા સ્ત્રીના ઋતુસ્રાવ માટે અને ઋતુસ્રાવ દરમ્યાન સ્ત્રી સાથે સમાગમ કરનાર પુરુષ માટે આ નિયમ છે.


પ્રભુએ મોશેને કહ્યું, “આરોનવંશી યજ્ઞકારોને કહે: કોઈ યજ્ઞકારે સ્નેહીજનનું મૃત્યુ થાય તો તેના શબ પાસે જઈને અથવા શબને અડકીને વિધિગત રીતે પોતાને અશુદ્ધ કરવો નહિ.


પ્રમુખ યજ્ઞકારના કોઈ સગાનું અવસાન થાય, પછી ભલે તે તેના પિતાનું કે માતાનું હોય તોપણ તે મને સમર્પિત થયેલો હોવાથી તેણે જ્યાં શબ રાખવામાં આવ્યું છે તે ઘરમાં પ્રવેશ કરવો નહિ અને ત્યાં મારા પવિત્રસ્થાનમાંથી બહાર જઈને તેને ભ્રષ્ટ કરવું નહિ.


જો કોઈ માણસ મૃતદેહનો સ્પર્શ કરે અને પોતાને શુદ્ધ ન કરે તો તે અશુદ્ધ રહે છે. કારણ, તેના પર શુદ્ધિકરણનું પાણી રેડવામાં આવ્યું નથી. તે પ્રભુના મંડપને અશુદ્ધ કરે છે. એવા માણસનો બહિષ્કાર કરવો.


તંબૂમાંનું ઢાંકણા વગરનું દરેક ઉઘાડું પાત્ર અશુદ્ધ ગણાય.


તમારાં બધાં કપડાંનું તથા ચામડાની, બકરાના વાળની કે લાકડાની બનાવેલી બધી ચીજવસ્તુઓનું શુધિકરણ કરવું.”


“ઇઝરાયલી લોકોને આજ્ઞા આપ: જેમને રક્તપિત્ત થયો હોય, જેમના શરીરમાંથી સ્રાવ થતો હોય અને જે કોઈ શબને અડકવાથી અશુદ્ધ થયા હોય તેમને તેઓ છાવણીમાંથી બહાર કાઢે.


તેના વાળ તે પ્રભુને સમર્પિત થવાની નિશાની છે. પ્રભુ પ્રત્યેના સમર્પણના સઘળા સમય દરમ્યાન તેણે પોતાની જાતને મૃતદેહ પાસે જઈને અશુદ્ધ કરવી નહિ. પછી તે પોતાનાં માતા, પિતા, ભાઈ કે બહેનનું મરણ કેમ ન હોય!


“જો કોઈ માણસ નાઝીરીની નજીક અચાનક મૃત્યુ પામે અને તેથી નાઝીરીના સમર્પિત વાળ અશુદ્ધ થાય તો તેણે સાત દિવસ સુધી રાહ જોવી અને પછી સાતમે દિવસે પોતાના વાળ કાપી નંખાવવા અને આમ તે વિધિગત રીતે શુદ્ધ ગણાશે.


હવે કેટલાક લોકો મૃતદેહનો સ્પર્શ કરવાને લીધે અશુધ હતા. તેથી તે દિવસે તેઓ પાસ્ખાપર્વ પાળી શકે એમ નહોતું. તે જ દિવસે તેઓ મોશે અને આરોનની પાસે આવ્યા,


Lean sinn:

Sanasan


Sanasan