Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 18:32 - પવિત્ર બાઇબલ C.L.

32 દશાંશમાંથી પ્રભુને ઉત્તમોત્તમ ભાગ અર્પવામાં આવે તે પછી બાકીનો ભાગ ખાવાથી તમે દોષિત ઠરશો નહિ. પ્રભુને ઉત્તમ ભાગ આપ્યા પહેલાં તેમાંથી ખાઈને ઇઝરાયલીઓના પવિત્ર અર્પણને અશુધ ન કરો; નહિ તો, તમે માર્યા જશો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 અને તમે તેમાંથી તેના ઉત્તમ ભાગનું ઉચ્છાલીયાર્પણ કરો, ત્યાર પછી તેના કારણથી તમને દોષ નહિ લાગે. અને તમે ઇઝરાયલી લોકોની પવિત્ર વસ્તુઓને ન વટાળો, રખેને તમે માર્યા જાઓ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 જે ઉત્તમ ભાગ તમે પ્રાપ્ત કર્યો તે તમે યહોવાહને ઉચ્છાલીયાર્પણ તરીકે ચઢાવો, તે ખાવાથી તથા પીવાથી તેનો દોષ તમને નહિ લાગે. પણ તમારે ઇઝરાયલ લોકોનાં પવિત્ર અર્પણોને અશુદ્ધ કરવાં નહિ, રખેને તમે માર્યા જાઓ.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 તમે એ પ્રમાંણે યાજકોને તમાંરો દશાંશ શ્રેષ્ઠ ભાગ આપશો, તો પછી ઇસ્રાએલીઓએ ધરાવેલી પવિત્ર ભેટો ભ્રષ્ટ કરવાનો દોષ તમાંરે માંથે આવશે નહિ, અને તમાંરે મૃત્યુ પામવું પડશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 18:32
10 Iomraidhean Croise  

આરોન તથા તેના પુત્રો મુલાકાતમંડપમાં જાય અથવા પવિત્રસ્થાનમાં યજ્ઞકારો તરીકે સેવા કરવા વેદી પાસે આવે ત્યારે તેઓ હમેશાં જાંઘિયા પહેરે; જેથી તેમની નગ્નતા ન દેખાય અને તેઓ માર્યા ન જાય. આરોન તથા તેના વંશજો માટે આ કાયમી નિયમ છે.


જો કોઈ તેને ખાય તો તેણે તેની સજા ભોગવવી પડશે. કારણ, તેણે પ્રભુને સમર્પિત અર્પણને ભ્રષ્ટ કર્યું છે. એવા માણસનો સમાજમાંથી બહિષ્કાર કરવો.


“આરોન અને તેના પુત્રોને કહે: ઇઝરાયલી લોક મને જે પવિત્ર યજ્ઞો ચડાવે છે તેની પવિત્રતા તેઓ જાળવે; અને મારા પવિત્ર નામને અપમાનિત કરે નહિ; હું પ્રભુ છું.


તમે આ રીતે મારો તિરસ્કાર કરો છો: મારી વેદી પર તમે નક્મા ખોરાકનું અર્પણ ચઢાવો છો. વળી, તમે કહો છો, ‘અમે તમારું સન્માન કરવામાં કેવી રીતે નિષ્ફળ નીવડયા છીએ?’ હું તે તમને જણાવીશ: મારી વેદીનો તિરસ્કાર કરીને તમે નિષ્ફળ ગયા છો.


હવેથી બીજા ઇઝરાયલીઓ મુલાકાતમંડપની નજીક જાય નહિ; નહિ તો તેઓ દોષિત ગણાશે અને માર્યા જશે.


તમે અને તમારાં કુટુંબો ગમે ત્યાં બેસીને તે ખાઈ શકશો. મુલાકાતમંડપમાંની તમારી સેવાનું એ વેતન છે.


પ્રભુએ મોશે અને આરોનને કહ્યું,


તેથી જો કોઈ અયોગ્ય રીતે પ્રભુની રોટલી ખાય અથવા તેમના પ્યાલામાંથી પીએ, તો તેમ કરનાર વ્યક્તિ પ્રભુના શરીર અને રક્ત સંબંધી દોષિત ઠરે છે.


કારણ, પ્રભુના શરીરનો મર્મ સમજ્યા વગર જો કોઈ આ રોટલી ખાય અને પ્યાલામાંથી પીએ તો તે ખાવાથી અને પીવાથી પોતાને સજાપાત્ર ઠરાવે છે.


Lean sinn:

Sanasan


Sanasan