Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 18:24 - પવિત્ર બાઇબલ C.L.

24 કારણ, ઇઝરાયલીઓ મને જે દશાંશ ખાસ અર્પણ તરીકે ચડાવે તે હું લેવીઓને વારસા તરીકે આપું છું. તેથી જ મેં તેમને કહ્યું છે કે ઇઝરાયલમાં બીજાની માફક તમને વારસો મળશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અને ઇઝરાયલી લોકોનો જે દશાંશ તેઓ ઉચ્છાલીયાર્પણરૂપે યહોવાને ચઢાવે, તે મેં વતન તરીકે લેવીઓને આપ્યો છે. એ માટે મેં તેઓને કહ્યું છે, કે ઇઝરાયલીઓમાં તમોને વતન નહિ મળે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 ઇઝરાયલ લોકોનો દશમો ભાગ યહોવાહને અર્પણ કરવો. તે મેં લેવીઓને વારસા તરીકે આપ્યો છે. તેથી મેં તેઓને કહ્યું, તેઓને ઇઝરાયલી મધ્યે કંઈ વારસો નહિ મળે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 લોકોએ તેમની પાસે જે કાઈ હોય તેનો દશમો ભાગ યહોવાને અર્પણ કરવા. તે અર્પણો લેવીઓના છે. તે હું તેમને તેમના વારસા તરીકે આપુ છું; તેથી જ મેં આ શબ્દો લેવીઓ વિષે કહ્યાં હતાં, તેઓને બીજા ઇસ્રાએલીઓની જેમ જમીન જાગીર મળે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 18:24
10 Iomraidhean Croise  

દશાંશ ઉઘરાવતી વખતે લેવીઓની સાથે આરોનના વંશમાંથી ઊતરી આવેલ યજ્ઞકારોને પણ લક્ષમાં લેવાના છે અને લેવીઓ જે દશાંશ એકત્ર કરે તેનો દશમો ભાગ મંદિરના ઉપયોગ માટે તેના ભંડારોમાં લઈ જવાનો છે.


પછી સર્વ લોકો અનાજ, દ્રાક્ષાસવ અને ઓલિવ તેલનાં તેમનાં દશાંશો મંદિરના ભંડારમાં લાવવા લાગ્યા.


“જમીનની પેદાશ, પછી તે અનાજ કે ફળ હોય પણ તેનો દસમો ભાગ પ્રભુનો ગણાય.


પ્રભુએ મોશેને કહ્યું, “લેવીઓને આ પ્રમાણે કહે: જ્યારે તમારા વારસા તરીકે મેં ઠરાવી આપેલ દસમો ભાગ ઇઝરાયલીઓ પાસેથી તમને મળે ત્યારે તમારે તેમાંથી તે દશાંશનો દસમો ભાગ મને વિશિષ્ટ હિસ્સાના ઉચ્છાલિતબલિ તરીકે અર્પણ કરવો.


એક માસ અને તેથી વધારે ઉંમરના લેવીકુળના નર બાળકો નોંધાયા હતા. તેમની કુલ સંખ્યા 23,000 ની હતી. તેમની ગણતરી બીજા ઇઝરાયલીઓ સાથે કરવામાં આવી નહોતી. કારણ, ઇઝરાયલીઓ મધ્યે તેમને કોઈ જમીન મળી નહોતી.


પોતાના જાતબધુંઓની સાથે લેવીના વંશજોને જમીનમાં કંઈ ભાગ કે વારસો મળ્યો નહિ; પણ, પ્રભુએ તેમને કહ્યું, ‘હું પોતે જ તમારા વારસાનો હિસ્સો છું.’


“દર ત્રીજું વર્ષ દશાંશ ચૂકવવાનું વર્ષ છે. તમારી સર્વ ઊપજનો દશાંશ તમારા નગરમાં વસતા પરદેશીઓ, અનાથો અને વિધવાઓને વહેંચી આપવો; જેથી એ દરેકને પોતાની જરૂરિયાત પ્રમાણે આહાર મળી રહે.


મોશેએ લેવીકુળને કોઈ પ્રદેશ હિસ્સામાં આપ્યો નહિ. પ્રભુએ મોશેને કહ્યું હતું તેમ તેમને તો ઇઝરાયલના ઈશ્વર પ્રભુની વેદી પર દહન કરવામાં આવતાં બલિદાનોમાંથી મળતો હિસ્સો એ જ તેમનો વારસો હતો.


Lean sinn:

Sanasan


Sanasan