Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 18:19 - પવિત્ર બાઇબલ C.L.

19 “ઇઝરાયલી લોકો જે પવિત્ર વસ્તુઓ મને ઉચ્છાલિત અર્પણ તરીકે ચડાવે તે બધી જ હું તને, તારા પુત્રોને અને તારી પુત્રીઓને સદાના હિસ્સા તરીકે આપું છું. આ તો તારી અને તારા વંશજોની સાથેનો મારો લૂણનો અતૂટ અને કાયમી કરાર છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 ઇઝરાયલી લોકો જે પવિત્ર વસ્તુઓ યહોવા પ્રત્યે ચઢાવે છે તેઓનાં સર્વ ઉચ્છાલીયાર્પણ મેં તને તથા તારી સાથે તારા દિકરાઓને તથા તારી દીકરીઓને સદાના હક્ક તરીકે આપ્યાં છે; તે સદાને માટે યહોવાની સમક્ષ તારે માટે તથા તારી સાથે તારા સંતાનને માટે લૂણનો કરાર છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 ઇઝરાયલી લોકો જે પવિત્ર વસ્તુઓ મારી આગળ અર્પણ કરે છે તેઓનાં સર્વ ઉચ્છાલીયાર્પણો તને તથા તારા દીકરા અને દીકરીઓને સદા હક તરીકે આપ્યાં છે. તે સદાને માટે તારી અને તારા વંશજોની સાથે મેં કરેલો મીઠાનો કરાર છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 વેદી આગળ યહોવાને અર્પણ માંટે ઇસ્રાએલીઓ જે કોઈ પવિત્ર ભેટો ધરાવે તે બધી કાયમ માંટે તને, અને તારાં પુત્ર અને પુત્રીઓને આપેલ છે. તારી અને તારા વંશજોની સાથે મેં કરેલો આ કાયમી કરાર છે, જેનો કદી ભંગ થઈ શકે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 18:19
15 Iomraidhean Croise  

દોષ નિવારણબલિ અને પ્રાયશ્ર્વિતબલિ માટે આવતા પૈસા પેટીમાં નાખવામાં આવતા નહિ; એ યજ્ઞકારો માટે હતા.


ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ દાવિદ અને તેના વંશજોને ઇઝરાયલ પર સદા રાજ કરવા દેવા અંગે લૂણનો અતૂટ કરાર કર્યો છે એ શું તમે નથી જાણતા?


વિશેષમાં રાજાએ યરુશાલેમના લોકોને યજ્ઞકારો અને લેવીઓ માટે ઠરાવેલ અર્પણો લાવવા જણાવ્યું; જેથી તેઓ પ્રભુના નિયમશાસ્ત્ર પ્રમાણે સેવાની સર્વ કામગીરી માટે સમય આપી શકે.


“જ્યારે યજ્ઞકારની દીક્ષા થાય ત્યારે દીક્ષામાં વપરાતા ઘેટાનો સીનો અને તેની જાંઘ મને આરતીરૂપે અર્પણ કરવામાં આવે અને તે પછી આરોન તથા તેના પુત્રો એટલે યજ્ઞકારો માટે તે અલગ કરવામાં આવે.


તારે તેમને મારી આગળ લાવવા. યજ્ઞકારો તેમના ઉપર મીઠું ભભરાવે અને તેમને દહનબલિના રૂપમાં પ્રભુને અર્પિત કરે.


તમારે દરેક ધાન્યઅર્પણમાં મીઠું વાપરવું; કારણ, મીઠું તમારી અને ઈશ્વર વચ્ચેના કરારના પ્રતીકરૂપ છે. તમારે તમારા પ્રત્યેક અર્પણમાં મીઠું ઉમેરવું.


તે ઈશ્વરને અર્પિત રોટલીમાંથી અને અતિપવિત્ર તથા પવિત્ર અર્પણોમાંથી ખાઈ શકે;


આ દરેક પ્રકારની વાનગીમાંથી એકએક લઈ તેનું પ્રભુને અર્પણ કરવું. યજ્ઞવેદી ઉપર સંગતબલિનું રક્ત છાંટનાર યજ્ઞકારને તે મળે.


“એ ઉપરાંત ઇઝરાયલીઓ તેમનાં બધાં અર્પણોમાંથી વિશિષ્ટ હિસ્સાના અર્પણનો અને આરતીઅર્પણનો જે હિસ્સો તેઓ મને ચડાવે તે પણ તારો જ ગણાશે. એ બધું હું તને, તારા પુત્રોને અને તારી પુત્રીઓને કાયમના હક્ક તરીકે આપું છું. તારા કુટુંબમાં જે શુધ હોય તે ખાય.


પ્રભુએ આરોનને કહ્યું, “ઇઝરાયલીઓ જે વિશિષ્ટ હિસ્સાનાં અર્પણ મને ચડાવે છે તેની સમર્પિત વસ્તુઓ મેં તારે હસ્તક મૂકી છે. હું તને અને તારા વંશજોને કાયમને માટે એ હિસ્સો આપું છું.


સૈનિકોના અર્ધ ભાગમાંથી પ્રભુને માટે ઉચ્છાલિતઅર્પણ તરીકે તે યજ્ઞકાર એલાઝારને આપી દો.


પ્રભુએ ફરમાવ્યા પ્રમાણે મોશેએ પ્રભુના ઉચ્છાલિતઅર્પણ તરીકેનો ભાગ યજ્ઞકાર એલાઝારને આપી દીધો.


પરંતુ તમારાં પવિત્ર અર્પણો અને તમારી માનતાઓ તો પ્રભુ જે સ્થાન પસંદ કરે ત્યાં જ લઈ જવાં.


એ જ સ્થાને તમારે તમારાં દહનબલિ તથા તમારાં બલિદાનો, તમારા દશાંશ તથા તમારાં વિશિષ્ટ હિસ્સાના ઉચ્છાલિત અર્પણ, તમારી માનતાનાં અર્પણો તથા તમારાં સ્વૈચ્છિક-અર્પણો તથા તમારા ઢોરઢાંકનાં તેમજ તમારાં ઘેટાંબકરાંનાં પ્રથમ બચ્ચાંના બલિ ચડાવવા,


Lean sinn:

Sanasan


Sanasan