Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 18:11 - પવિત્ર બાઇબલ C.L.

11 “એ ઉપરાંત ઇઝરાયલીઓ તેમનાં બધાં અર્પણોમાંથી વિશિષ્ટ હિસ્સાના અર્પણનો અને આરતીઅર્પણનો જે હિસ્સો તેઓ મને ચડાવે તે પણ તારો જ ગણાશે. એ બધું હું તને, તારા પુત્રોને અને તારી પુત્રીઓને કાયમના હક્ક તરીકે આપું છું. તારા કુટુંબમાં જે શુધ હોય તે ખાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને આ તારાં છે; એટલે તેઓના દાનનું ઉચ્છાલીયાર્પણ ઇઝરાયલીઓનાં સર્વ આરત્યર્પણો સહિત, તે મેં તને, તથા તારી સાથે તારા દિકરાઓને તથા તારી દીકરીઓને સદાના હક તરીકે આપ્યાં છે. તારા ઘરમાં જે કોઈ શુદ્ધ હોય તે તે ખાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 આ બધાં અર્પણો તારાં છે: ઇઝરાયલના લોકો જે ઉચ્છાલીયાર્પણો ચઢાવે તે અને તેમની ભેટો સહિત, મેં તને, તારા દીકરાઓને તથા તારી દીકરીઓને સદાના હક તરીકે આપ્યાં છે. દરેક તારા ઘરમાં જે શુદ્ધ હોય તે આ અર્પણોમાંથી ખાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 “ઇસ્રાએલીઓ મને બીજા જે ઉચ્છાલીયાર્પણો ધરાવે તે પણ તારા જ ગણાશે. તે પણ હું તને અને તારાં પુત્રપુત્રીઓને કાયમ માંટે આપું છું. માંત્ર તે સમયે જે અશુદ્ધ હોય તે સિવાયના તમાંરાં કુટુંબના સર્વ સભ્યો આ જમી શકે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 18:11
10 Iomraidhean Croise  

વળી, યજ્ઞકારો માટે પ્રભુને ચડાવેલા બલિનો છાતીનો ભાગ અને પાછલા પગ તારો અને તારા કુટુંબનો વિશિષ્ટ હિસ્સો છે. કોઈ પવિત્ર સ્થળે બેસીને તે તમારે ખાવો. ઇઝરાયલી લોકના સંગતબલિમાંથી તમારો અને તમારા બાળકોનો એ હિસ્સો છે.


આ દરેક પ્રકારની વાનગીમાંથી એકએક લઈ તેનું પ્રભુને અર્પણ કરવું. યજ્ઞવેદી ઉપર સંગતબલિનું રક્ત છાંટનાર યજ્ઞકારને તે મળે.


પ્રભુએ આરોનને કહ્યું, “પવિત્રસ્થાનની સેવા કરતાં થયેલા ગુન્હાની જવાબદારી તારે, તારા પુત્રાને અને લેવીઓને શિરે રહેશે પરંતુ યજ્ઞકાર પદને લગતી સેવા બજાવતાં થયેલા ગુનાહાની જવાબદારી કેવળ તારી અને તારા પુત્રોની રહેશે.


એ બધું તમારે પવિત્રસ્થાનમાં જ ખાવું. ફક્ત પુરુષોએ જ એ ખાવું. તમારે માટે એ પરમપવિત્ર ગણાય.


“ઇઝરાયલી લોકો જે પવિત્ર વસ્તુઓ મને ઉચ્છાલિત અર્પણ તરીકે ચડાવે તે બધી જ હું તને, તારા પુત્રોને અને તારી પુત્રીઓને સદાના હિસ્સા તરીકે આપું છું. આ તો તારી અને તારા વંશજોની સાથેનો મારો લૂણનો અતૂટ અને કાયમી કરાર છે.”


પ્રભુએ આરોનને કહ્યું, “ઇઝરાયલીઓ જે વિશિષ્ટ હિસ્સાનાં અર્પણ મને ચડાવે છે તેની સમર્પિત વસ્તુઓ મેં તારે હસ્તક મૂકી છે. હું તને અને તારા વંશજોને કાયમને માટે એ હિસ્સો આપું છું.


“જ્યારે લોકો ઢોરઢાંકમાંથી કે ઘેટાંબકરાંમાંથી પ્રાણીનું બલિદાન ચડાવે ત્યારે તેમણે યજ્ઞકારોને તેમના હિસ્સા તરીકે બાવડું, ગલોફાં અને હોજરી આપવાં.


Lean sinn:

Sanasan


Sanasan