Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 16:9 - પવિત્ર બાઇબલ C.L.

9 એ વાત નાનીસૂની છે કે ઇઝરાયલના ઈશ્વરે તેમની સમીપ જઈને મુલાકાતમંડપમાં તેમની સેવા કરવા અને સમાજ વતી ધાર્મિક વિધિઓ કરવા માટે ઇઝરાયલના સમાજમાંથી તમને અલગ કર્યા છે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 એ શું તમને જૂજ લાગે છે કે ઇઝરાયલના ઈશ્વરે તમને પોતાની નજીક લાવવા માટે, યહોવાના મંડપની સેવા કરવા માટે, ને પ્રજાની સામે ઊભા રહીને તેઓની સેવા કરવા માટે ઇઝરાયલની પ્રજાથી તમને અલગ કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 ઇઝરાયલના ઈશ્વરે તમને પોતાની નજીક લાવવા માટે, તેમના મંડપની સેવા કરવા માટે અને તેમના લોકની સામે ઊભા રહીને તેમની સેવા કરવા માટે ઇઝરાયલ પ્રજામાંથી અલગ કર્યા છે શું એ તમને ઓછું લાગે છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 સમગ્ર ઇસ્રાએલી સમાંજમાંથી દેવે તમને પસંદ કર્યા, અને અલગ કર્યા, મંદિરમાં સેવા ઉપાસના અને ઇસ્રાએલી લોકોને દેવની ઉપાસના કરવામાં મદદ કરવા માંટે. એટલું તમાંરા માંટે શું પૂરતું નથી?

Faic an caibideil Dèan lethbhreac




ગણના 16:9
20 Iomraidhean Croise  

ત્યારે લેઆહે તેને કહ્યું, “તેં મારો પતિ લઈ લીધો છે એ કંઈ ઓછું છે કે મારા દીકરાએ લાવેલાં ભોરીંગડાં પણ તારે લઈ લેવાં છે?” રાહેલે કહ્યું, “તો તારા દીકરાના ભોરીંગડાંના બદલામાં આજે મારા પતિ તારી સાથે સૂઈ જશે.”


છતાં હે પ્રભુ પરમેશ્વર, તમારી દૃષ્ટિમાં એ ય જાણે નજીવું હોય તેમ તમે તમારા સેવકના કુટુંબના સંબંધમાં લાંબા કાળ માટે વચન આપ્યું છે અને હે પ્રભુ પરમેશ્વર, આ તો માનવી ધોરણોનેય ટપી જાય એવી વાત છે.


તેણે ઇઝરાયલને શિક્ષણ આપનાર અને પ્રભુને સમર્પિત થયેલા લેવીઓને આવી સૂચનાઓ આપી: “દાવિદના પુત્ર શલોમોન રાજાએ બંધાવેલ મંદિરમાં પવિત્ર કરારપેટી મૂકો. તમારે એને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવા ઊંચકવાની નથી, પણ તમારે તમારા ઈશ્વર પ્રભુ અને તેમના લોકની સેવા કરવાની છે.


તે સમયે જ્યાં દશાંશો, પ્રથમ લણેલું અનાજ, પ્રતિ વર્ષના પ્રથમ પાકનાં ફળ સહિત મંદિરનો ફાળો રાખવામાં આવતો હતો તે ભંડારો પર માણસો નીમવામાં આવ્યા. આ માણસો પાસે નિયમશાસ્ત્રમાં ઠરાવ્યા પ્રમાણે યજ્ઞકારો અને લેવીઓ માટે જુદાં જુદાં નગરો પાસેનાં ખેતરોમાંથી ફાળો ઉઘરાવવાની જવાબદારી હતી. યહૂદિયાના સઘળા લોકો યજ્ઞકારો અને લેવીઓ પર ખુશ હતા;


યશાયાએ જવાબ આપ્યો, “હે દાવિદના વંશજો, સાંભળો! તમે માણસની ધીરજ ખૂટી જાય એવું કરો છો એ બસ નથી કે હવે તમે ઈશ્વરની પણ ધીરજ ખૂટી જાય તેમ કરશો?


તમારામાંના કેટલાંક સારો સારો ચારો ચરી જાઓ છો. અને એટલું પૂરતું ન હોય તેમ બાકીનો ભાગ પગ નીચે ખૂંદી નાખો છો! વળી, સ્વચ્છ પાણી પીધા પછી તમે બાકીનું પાણી પગ વડે ડહોળી નાખો છો!


માત્ર તેઓ જ મારા પવિત્રસ્થાનમાં પ્રવેશ કરશે, મારી યજ્ઞવેદી પાસે સેવાકાર્ય કરશે અને મંદિરની સેવાવિધિનું સંચાલન કરી શકશે.


પણ લેવીઓએ સાક્ષ્યમંડપની આસપાસ પડાવ નાખવાનો છે; જેથી તેઓ સાક્ષ્યમંડપની ચોકી કરે કે કોઈ તેની નજીક જઈને ઇઝરાયલી લોકોના સમાજ પર મારો કોપ પ્રગટાવે નહિ.”


તું અમને દૂધમધની રેલમછેલવાળા ફળદ્રુપ દેશમાંથી આ રણપ્રદેશમાં મરવા માટે લઈ આવ્યો છે એટલું બસ નથી કે તું પાછો અમારા પર સત્તા ચલાવવા માગે છે?


મોશેએ કોરાને વધુમાં કહ્યું, “હે લેવીપુત્રો, મારી વાત સાંભળો:


લેવીકુળને આગળ લાવ અને તેમને આરોન યજ્ઞકારની સમક્ષ રજૂ કર કે તેઓ તેની સેવા કરે.


ઇઝરાયલી લોકો વતી આરોન અને તેના પુત્રોની સેવા કરવી તે જ લેવીઓની મુખ્ય જવાબદારી છે.


તેઓ પ્રભુનું ભજન કરતા હતા અને ઉપવાસ પર હતા, ત્યારે પવિત્ર આત્માએ તેમને કહ્યું, “બાર્નાબાસ અને શાઉલને મેં જે કાર્ય સોંપ્યું છે તે માટે તેમને મારે માટે અલગ કરો.”


પણ મને તો મારો ન્યાય તમે કરો કે બીજાં કોઈ માનવી ધોરણો પ્રમાણે કરવામાં આવે તેની કંઈ પરવા નથી. અરે, હું પોતે પણ મારી જાતનો ન્યાય કરતો નથી.


તે સમયે પ્રભુએ લેવીના વંશજોને પ્રભુના કરારની પેટી ઊંચકવા, પ્રભુની સમક્ષ યજ્ઞકારો તરીકે સેવા બજાવવા અને પ્રભુને નામે આશીર્વચન ઉચ્ચારવા નીમ્યા; અને આજે પણ તેઓ તેમની એ ફરજો બજાવે છે.


તેથી તેમણે દાવિદને એ કહ્યું અને તેણે જવાબ આપ્યો, “હું તો ગરીબ અને વિસાત વિનાનો છું. મારે માટે રાજાના જમાઈ બનવું એ કંઈ નાનીસૂની વાત છે?”


Lean sinn:

Sanasan


Sanasan