Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 13:29 - પવિત્ર બાઇબલ C.L.

29 અમાલેકીઓ દક્ષિણે નેગેબમાં રહે છે. હિત્તીઓ તથા યબૂસીઓ અને અમોરીઓ પહાડી પ્રદેશમાં રહે છે અને કનાનીઓ ભૂમધ્ય સમુદ્ર પાસે અને યર્દન નદીને કિનારે રહે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 નેગેબ પ્રાંતમાં અમાલેકીઓ રહે છે. અને પર્વતોમાં હિત્તીઓ તથા યબૂસીઓ તથા અમોરીઓ રહે છે. અને સમુદ્રની પાસે તથા યર્દનને કાંઠે કનાનીઓ રહે છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 અમાલેકીઓ નેગેબમાં રહે છે. અને પહાડી પ્રદેશોમાં હિત્તીઓ, યબૂસીઓ અને અમોરીઓ રહે છે. અને કનાનીઓ સમુદ્ર પાસે અને યર્દનને કાંઠે રહે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 અમાંલેકીઓ દક્ષિણમાં રહે છે, હિત્તીઓ, યબૂસીઓ અને અમોરીઓ પહાડી પ્રદેશોમાં રહે છે, અને કનાનીઓ દરિયાકાંઠે અને યર્દનને કાંઠે રહે છે.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 13:29
27 Iomraidhean Croise  

પછી તેઓ પાછા ફરીને એન-મિશ્પાટ એટલે કાદેશ આવ્યા અને તેમણે અમાલેકીઓના આખા દેશને તથા હાસસોન-તામારમાં રહેનારા અમોરીઓને પણ હરાવ્યા.


તે તમને વિશ્વાસુ માલૂમ પડયો અને તમે તેની સાથે કરાર કર્યો. ભવિષ્યમાં તેનાં સંતાનોને વસવા માટે તમે તેને કનાનીઓનો, હિત્તીઓનો, અમોરીઓનો પરિઝ્ઝીઓનો, યબૂસીઓનો, અને ગિર્ગાશીઓનો દેશ આપવાનું કરારયુક્ત વચન આપ્યું. તમે તમારું વચન પાળ્યું પણ ખરું; કારણ, તમે વિશ્વાસુ છો.


ગબાલ નગરના લોકો, આમ્મોનીઓ અને અમાલેકીઓ, પલિસ્તીઓ અને તૂર નગરના નિવાસીઓ સાથે છે.


હું તમને ઇજિપ્તની વિપત્તિઓમાંથી છોડાવીને તમને દૂધમધની રેલમછેલવાળા દેશમાં એટલે કનાની, હિત્તી, અમોરી, પરીઝી, હિવ્વી તથા યબૂસી જાતિઓના દેશમાં લઈ જવા વચન આપું છું.


તેમનાં દુ:ખ હું જાણું છું. તેથી તેમને ઇજિપ્તના લોકોના હાથમાંથી છોડાવવા અને તે દેશમાંથી તેમને બહાર કાઢી લાવીને એક સારો તથા વિશાળ દેશ, જ્યાં દૂધમધની રેલમછેલ છે અને જ્યાં કનાની, હિત્તી, અમોરી, પરીઝી, હિવ્વી અને યબૂસી લોકો વસે છે ત્યાં તેમને લઈ જવા હું નીચે ઊતર્યો છું.


મોશેએ તેમને જાસૂસી કરવા મોકલતી વખતે કહ્યું, “અહીંથી ઉત્તર તરફ જાઓ અને કનાન દેશની દક્ષિણે નેગેબ થઈને પહાડી પ્રદેશમાં પ્રવેશ કરો.


મોશેની આસપાસ ભેગા થયેલા લોકોને શાંત પાડતાં કાલેબે કહ્યું, “આપણે હમણાં જ આક્રમણ કરીને દેશનો કબજો લઈ લેવો જોઈએ, કારણ કે આપણે તે દેશને જીતી લેવા પૂરા સમર્થ છીએ.”


અત્યારે એ દેશમાં સપાટ પ્રદેશમાં અમાલેકીઓ અને કનાનીઓ રહે છે. આવતી કાલે તમે પાછા ફરો અને સૂફ સમુદ્રના માર્ગે રણપ્રદેશ તરફ જાઓ.”


જ્યારે તમે અમાલેકીઓ અને કનાનીઓનો સામનો કરશો ત્યારે તમે યુધમાં તલવારથી માર્યા જશો. કારણ, તમે પ્રભુને અનુસરવાનું મૂકી દીધું હોવાથી પ્રભુ તમારી સાથે નથી.”


ત્યારે પહાડીપ્રદેશમાં વસતા અમાલેકીઓ અને કનાનીઓએ તેમનો સામનો કરીને તેમને હરાવ્યા અને હોર્મા સુધી તેમની પાછળ પડયા.


પછી બલામે દર્શનમાં અમાલેકીઓને જોયા અને આ અગમવાણી ઉચ્ચારી: “અમાલેકીઓ બધી પ્રજાઓમાં સૌથી બળવાન હતા, પણ અંતે તેમનો સંપૂર્ણ વિનાશ કરવામાં આવશે.”


તમારા ઈશ્વર પ્રભુની આજ્ઞા પ્રમાણે તમારે હિત્તીઓનો, અમોરીઓનો, કનાનીઓનો, પરિઝ્ઝીઓનો, હિવ્વીઓનો તથા યબૂસીઓનો પૂરેપૂરો વિનાશ કરવો;


“જે દેશનો કબજો લેવા તમે જાઓ છો તેમાં તમારા ઈશ્વર પ્રભુ તમને લાવે ત્યારે તે ઘણી પ્રજાઓને ત્યાંથી હાંકી કાઢશે. તમે આગળ વધશો તેમ તેમ તે તમારા કરતાં વિશાળ અને બળવાન એવી સાત પ્રજાઓ, એટલે કે હિત્તીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ, કનાનીઓ, પરીઝઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓને હાંકી કાઢશે.


આમ, યરુશાલેમ, હેબ્રોન, યાર્મૂથ, લાખીશ અને એગ્લોન એ પાંચ નગરોના અમોરી રાજાઓએ પોતાનાં લશ્કરીદળો એકત્ર કરી ગિબ્યોનને ઘેરી લીધું અને તેના પર હુમલો કર્યો.


ગિબ્યોનના લોકોએ ગિલ્ગાલની છાવણીમાં યહોશુઆને સંદેશો મોકલ્યો: “તમારા દાસોનો તમે ત્યાગ કરશો નહિ; પણ અહીં તાત્કાલિક અમારી મદદે આવો. કારણ, પહાડીપ્રદેશના સર્વ અમોરી રાજાઓ અમારી વિરુદ્ધ એક થઈ અમારા પર ચડી આવ્યા છે.”


તમારી વચમાં જીવંત ઈશ્વર છે, અને તમે જેમ જેમ આગળ વધશો તેમ તેમ તે કનાનીઓ, હિત્તીઓ, હિવ્વીઓ, પરિઝ્ઝીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ અને યબૂસીઓને જરૂર હાંકી કાઢશે. એની ખાતરી તમને આ ઉપરથી થશે:


હવે યર્દનની પશ્ર્વિમ તરફના પ્રદેશના અમોરીઓના રાજાઓ તેમજ ભૂમધ્ય સમુદ્રની પાસેના પ્રદેશના સર્વ કનાની રાજાઓના સાંભળવામાં આવ્યું કે ઇઝરાયલી લોકો યર્દન પાર ઊતરી રહ્યા ત્યાં સુધી પ્રભુએ તેમની આગળ તે નદીનું પાણી સૂકવી નાખ્યું. તેથી ઇઝરાયલી લોકોને લીધે તેમનાં હૃદય ભયભીત થઈ ગયાં અને તેમના હોશકોશ ઊડી ગયા.


હવે યર્દનની પશ્ર્વિમ તરફના, એટલે પહાડીપ્રદેશના, નીચાણના પ્રદેશના, અને ઉત્તરમાં છેક લબાનોન સુધી ભૂમધ્ય સમુદ્રના કિનારા પાસેના પ્રદેશના સર્વ રાજાઓએ ઇઝરાયલીઓના વિજયો વિષે સાંભળ્યું. એ તો હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓના રાજાઓ હતા.


એ રીતે ઇઝરાયલી લોકો કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓમાં વસ્યા.


જ્યારે જ્યારે ઇઝરાયલીઓ વાવણી કરે ત્યારે ત્યારે મિદ્યાનીઓ પોતાની સાથે અમાલેકીઓ અને અન્ય પૂર્વપ્રદેશની જાતિઓને લઈને ચડી આવતા અને તેમના પર હુમલો કરતા.


તેણે શૂરાતનપૂર્વક લડીને અમાલેકીઓને હરાવ્યા. તેણે ઇઝરાયલીઓને સર્વ હુમલાખોરોથી બચાવ્યા.


એ પ્રદેશમાં લાંબા સમયથી રહેતા ગશૂર, ગિર્ઝી અને અમાલેકના લોકો પર દાવિદ અને તેના માણસો હુમલો કરતા. પ્રાચીન સમયથી એ લોકો એ પ્રદેશમાં ઇજિપ્ત જવાના રસ્તે છેક શૂર સુધી વસતા હતા.


બે દિવસ પછી દાવિદ અને તેના માણસો સિકલાગમાં પાછા આવ્યા. દરમ્યાનમાં અમાલેકીઓએ દક્ષિણ યહૂદિયા અને સિકલાગ પર હુમલો કર્યો હતો. તેમણે સિકલાગને સર કરીને તેને બાળી નાખ્યું હતું.


એક્રોનથી ગાથ સુધીનાં જે સર્વ શહેરો પલિસ્તીઓએ લઈ લીધાં હતાં તે ઇઝરાયલને પાછાં મળ્યાં અને એમ ઇઝરાયલનો બધો પ્રદેશ પાછો મળ્યો. ઇઝરાયલીઓ અને અમોરીઓ વચ્ચે પણ શાંતિ હતી.


Lean sinn:

Sanasan


Sanasan