Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 12:14 - પવિત્ર બાઇબલ C.L.

14 પ્રભુએ જવાબ આપ્યો, “જો તેનો પિતા તેના મુખ પર થૂંક્યો હોત તો તેણે સાત દિવસ સુધી શરમ વેઠવી પડત. તેથી સાત દિવસ સુધી તેને પડાવની બહાર રાખો અને ત્યાર પછી તેને પાછી લાવવામાં આવે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને યહોવાએ મૂસાને કહ્યું, “જો તને પિતા તેના મુખ પર ફક્ત થૂંક્યો હોત, તો શું સાત દિવસ સુધી તે ન લાજત? સાત દિવસ તે છાવણીની બહાર રખાય, ને પછી તે પાછી આવે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 યહોવાહે મૂસાને કહ્યું કે, “જો તેનો પિતા તેના મુખ પર થૂંકયો હોત, તો સાત દિવસ તે લાજત. તેથી સાત દિવસ તે છાવણીની બહાર રખાય. અને પછી તે પાછી આવે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 યહોવાએ મૂસાને કહ્યું, “જો તેનો પિતા તેના મુખ પર થૂંકયો હોત, તો સાત દિવસ તે લજજીત ગણાત. તેથી તેને સાત દિવસ છાવણી બહાર એકાંતમાં મોકલો, ત્યારબાદ તેને પાછી છાવણીમાં લઈ આવજો.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 12:14
13 Iomraidhean Croise  

પ્રભુએ તેને કોઢના રોગથી શિક્ષા કરી અને તેને તે રોગ જીવનપર્યંત રહ્યો. સર્વ ફરજમાંથી મુક્ત થઈ તે પોતાના ઘરમાં અલગ રહ્યો અને ત્યારે તેનો પુત્ર યોથામ દેશનો વહીવટ ચલાવતો હતો.


લોકોમાં હું કહેવતરૂપ થઈ પડયો છું; સૌ જેની સામે થૂંકે એવો હું તિરસ્કારપાત્ર થઈ પડયો છું.


તેઓ મારી ધૃણા કરે છે અને મને ટાળે છે, અરે, મને જોઈને તેઓ થૂંકે છે!


મને ફટકારનારની આગળ મેં મારી પીઠ અને મારી દાઢી ફાંસી નાખનારની આગળ મારા ગાલ ધર્યા છે. અપમાન કરનારા કે થૂંકનારાથી મેં મારું મોં છુપાવ્યું નથી.


યજ્ઞકાર તેની તપાસ કરીને તેને અશુદ્ધ જાહેર કરે. પરંતુ જો એ ડાઘ ચામડી કરતાં ઊંડો ઊતરેલો ન હોય અને ત્યાંના વાળ સફેદ થયા ન હોય તો યજ્ઞકાર તે દર્દીને સાત દિવસ અલગ રાખે.


પછી જીવતા પક્ષીને તેણે ખેતરમાં છોડી મૂકવું. શુદ્ધિકરણ કરાવનાર પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, પોતાના બધા વાળ કપાવે અને સ્નાન કરે તે પછી તે વિધિગત રીતે શુદ્ધ જાહેર થાય. ત્યાર પછી તે છાવણીમાં પ્રવેશી શકે. પરંતુ સાત દિવસ સુધી તેણે પોતાના તંબૂની બહાર રહેવાનું છે.


પ્રભુએ મોશેને કહ્યું,


પછી તેઓ તેમના મુખ પર થૂંક્યા અને તેમને માર માર્યો. તેમણે તેમને તમાચા માર્યા અને કહ્યું,


તો તે સ્ત્રી નગરના વડીલોની હાજરીમાં તે માણસ પાસે જઈને તેનું પગરખું કાઢી નાખે અને તેના મોંઢા પર થૂંકે અને આમ બોલે, ‘પોતાના ભાઈનો વંશવેલો ચાલુ રાખવાનો ઈનકાર કરનાર માણસ આ રીતે ધિક્કારપાત્ર બનો.’


વળી, આપણા દૈહિક પિતા આપણને શિક્ષા કરતા અને આપણે તેમને માન આપતા હતા. તો પછી આપણા આત્મિક પિતાને વિશેષ આધીન થઈને આપણે ન જીવીએ?


Lean sinn:

Sanasan


Sanasan