Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 8:18 - પવિત્ર બાઇબલ C.L.

18 પર્વના પ્રથમથી છેલ્લા દિવસ સુધી તેઓ ઈશ્વરના નિયમશાસ્ત્રમાં દરરોજ અમુક ભાગ વાંચતા. સાત દિવસ સુધી તેમણે ઉત્સવ મનાવ્યો, અને આઠમે દિવસે, નિયમશાસ્ત્રમાં નિયત કર્યા મુજબ પર્વનું સમાપન કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 પહેલા દિવસથી તે છેલ્લા દિવસ સુધી તેણે દરરોજ ઈશ્વરના નિયમશાસ્ત્રનું પુસ્તક વાંચી સંભળાવ્યું. તેઓએ સાત દિવસ સુધી પર્વ પાળ્યું. અને આઠમે દિવસે નિયમ પ્રમાણે પર્વસમાપ્તિની સભા ભરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 સાત દિવસોના આ પર્વના પ્રત્યેક દિવસે એઝરાએ ઈશ્વરના નિયમશાસ્ત્રમાંથી વાંચન કર્યુ અને તેઓએ સાત દિવસ સુધી ઉજવણી કરી અને આઠમા દિવસે નિયમ પ્રમાણે સભાની પૂર્ણાહુતિ કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 સાત દિવસોના આ પર્વના પ્રત્યેક દિવસે તેણે દેવના નિયમશાસ્રમાંથી વાંચન કર્યુ અને તેઓએ સાત દિવસ ઉત્સવ રાખ્યો અને આઠમા દિવસે પૂર્ણાહુતિ સભા હતી જેવી રીતે નિયમમાં જણાવ્યું છે તેમ.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 8:18
7 Iomraidhean Croise  

તેથી સ્ત્રી, પુરુષો અને સાંભળીને સમજી શકે તેવાં બાળકો જ્યાં એકત્ર થયાં હતાં ત્યાં એઝરા એ પુસ્તક લઈ આવ્યો.


‘પાણીના દરવાજા’ પાસેના ચોકમાં એઝરાએ સવારથી બપોર સુધી નિયમશાસ્ત્રનું વાંચન કર્યું. લોકો ધ્યનથી સાંભળતા હતા.


તમારે સાત દિવસ સુધી દરરોજ અગ્નિબલિ ચડાવવાનો છે. આઠમે દિવસે ફરીથી ભજનને માટે સંમેલન ભરવું અને અગ્નિબલિ ચડાવવો. તે તો પર્વ સમાપ્તિ નિમિત્તે પ્રભુના ભજનનો દિવસ છે અને તેથી કોઈએ કંઈ રોજિંદું કામ કરવું નહિ.


તમારે પ્રતિવર્ષ સાત દિવસ સુધી પર્વ પાળવું. તમારે વંશપરંપરાગત રીતે કાયમને માટે આ નિયમ પાળવાનો છે.


“આઠમે દિવસે ભક્તિસંમેલનની સમાપ્તિ કરવી. તે દિવસે તમારે અન્ય રોજિંદું કામ કરવું નહિ.


પર્વનો છેલ્લો દિવસ ખૂબ મહત્ત્વનો ગણાતો. તે દિવસે ઈસુએ ઊભા થઈને મોટો ઘાંટો પાડીને કહ્યું, “જો કોઈ તરસ્યો હોય, તો તે મારી પાસે આવે અને પીએ.


Lean sinn:

Sanasan


Sanasan