Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 8:16 - પવિત્ર બાઇબલ C.L.

16 તેથી લોકો ડાળીઓ લઈ આવ્યા અને તેમના ઘરના ધાબા પર, તેમના આંગણાંમાં, મંદિરના ચોકમાં અને પાણીના દરવાજા પાસેના ચોકમાં અને એફ્રાઈમના દરવાજા પાસેના ચોકમાં માંડવા બાંયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તે પ્રમાણે લોકો જઈને તે લઈ આવ્યા, ને તેઓમાંના દરેકે પોતાના ઘરના ધાબા પર, પોતાના આંગણામાં, પણીના દરવાજાના ચોકમાં તથા એફ્રાઈમની ભાગળના ચોકમાં પોતાને માટે માંડવા કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તે પ્રમાણે લોકો જઈને ડાળીઓ લઈ આવ્યા અને તેઓમાંના દરેકે પોતાના ઘરના છાપરા પર, પોતાના આંગણામાં, ઈશ્વરના ભક્તિસ્થાનના આંગણામાં, પાણીના દરવાજાના ચોકમાં તથા એફ્રાઇમના દરવાજાના ચોકમાં પોતાને સારુ માંડવા બનાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 એ સાંભળીને લોકો જઇને તે પ્રમાણે લઇ આવ્યા, ને તેઓમાંના દરેક પોતાના ઘરના ધાબા પર, પોતાનાં આંગણામાં, દેવના મંદિરના આંગણામાં, પાણીના દરવાજાના ચોકમાં તથા એફ્રાઇમના દરવાજાના ચોકમાં કામચલાઉ માંડવાઓ બાંધવા માટે તેનો ઉપયોગ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 8:16
12 Iomraidhean Croise  

એક દિવસે સાંજે દાવિદ પોતાના પલંગ પરથી ઊઠીને રાજમહેલની અટારીમાં ગયો. તે ઉપર આંટા મારતો હતો ત્યારે તેણે એક સ્ત્રીને સ્નાન કરતી જોઈ. તે ઘણી સુંદર હતી.


ઇઝરાયલના રાજા યહોઆશે યહૂદિયાના રાજા એટલે અહાઝયાના પુત્ર યોઆશના પુત્ર અમાસ્યાને કેદ પકડયો. યરુશાલેમ તરફ આગળ વધીને તેણે એફ્રાઇમના દરવાજાથી છેક ખૂણાના દરવાજા સુધી લગભગ બસો મીટર જેટલો નગરકોટ તોડી પાડયો.


તેઓ તેમ જ યરુશાલેમના નગરજનો પ્રભુના મંદિરના નવા ચોકમાં એકઠા થયા. યહોશાફાટ રાજાએ ત્યાં લોકોની સભામાં ઊભા થઈને ઊંચે અવાજે પ્રાર્થના કરી.


તેણે પ્રભુના મંદિરના બન્‍ને ચોકમાં તારામંડળની ભક્તિ માટે વેદીઓ બાંધી.


ઝરણાના દરવાજે દાવિદનગરમાં જવાનાં પગથિયાં પર તેઓ ચડયા, દાવિદનો મહેલ પસાર કર્યો અને શહેરના પૂર્વ ભાગમાં પાણીના દરવાજા પાસે પાછા કોટ પર આવ્યા.


ત્યાંથી અમે એફ્રાઈમ દરવાજે, યશાન્યા દરવાજે, માછલી દરવાજે, હનાનેલના બુરજે, શતક બુરજે અને છેક ઘેટાંના દરવાજે પહોંચ્યા. મંદિરના દરવાજા પાસે અમે અમારી કૂચ પૂરી કરી.


સાતમો માસ આવ્યો ત્યાં સુધીમાં તો ઇઝરાયલના બધા લોકો પોતપોતાનાં નગરોમાં ઠરીઠામ થઈ ગયા. એ માસને પ્રથમ દિવસે તેઓ સૌ યરુશાલેમમાં પાણીના દરવાજાની અંદર તેની અડોઅડ આવેલા ચોકમાં એકઠા થયા. પ્રભુએ મોશે દ્વારા ઇઝરાયલી લોકોને ફરમાવેલા નિયમશાસ્ત્રનું પુસ્તક લાવવા લોકોએ એઝરાને કહ્યું. એઝરા તો યજ્ઞકાર અને એ નિયમમાં વિદ્વાન હતો.


‘પાણીના દરવાજા’ પાસેના ચોકમાં એઝરાએ સવારથી બપોર સુધી નિયમશાસ્ત્રનું વાંચન કર્યું. લોકો ધ્યનથી સાંભળતા હતા.


યરુશાલેમના નિવાસો અને યહૂદિયાના રાજાઓના મહેલો તથા જે ઘરોનાં ધાબાઓ પર આકાશનાં નક્ષત્રોને ધૂપ બાળ્યો છે તથા અન્ય દેવોને દ્રાક્ષાસવના પેયાર્પણ રેડયાં છે તે બધાં તોફેથના કબ્રસ્તાન જેવા થઈ જશે.”


તેના પર આક્રમણ કરનાર ખાલદીઓ નગરમાં પ્રવેશીને તેને આગ ચાંપશે અને તેને તથા જે ઘરોની અગાસીઓ પર મને રોષ ચડાવવા માટે બઆલને ધૂપ ચડાવ્યો હતો અને અન્ય દેવોને દ્રાક્ષાસવના પેયાર્પણ રેડયાં હતાં તે બધાં ઘરો સહિત તેને બાળીને ભસ્મીભૂત કરી નાખશે.


“જ્યારે તમે નવું ઘર બાંધો ત્યારે ધાબાને ફરતે કઠેરો બાંધવો. એ માટે કે કોઈ માણસ ઉપરથી પડીને મૃત્યુ પામવાથી તમારા પર ખૂનનો દોષ ન આવે.


Lean sinn:

Sanasan


Sanasan