Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 3:3 - પવિત્ર બાઇબલ C.L.

3 હસ્સેનાના પુત્રોએ “મચ્છી દરવાજો” બાંધ્યો. તેમણે દરવાજાની બારસાખો તેમ જ તેનાં બારણાં ચડાવ્યાં. અને દરવાજો બંધ કરવા માટે નકુચા અને પાટિયાં બેસાડયાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 હાસ્સેનાના પુત્રોએ મચ્છીભાગળ બાંધી. તેઓએ તેના મોભ ગોઠવ્યા, તેનાં કમાડો ચઢાવ્યાં. મિજાગરાં જડ્યાં અને ભૂંગળો બેસાડી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 હસ્સેનાના દીકરાઓએ મચ્છીદરવાજો બાંધ્યો. તેઓએ તેના મોભ ગોઠવ્યા અને તેના દરવાજા બેસાડ્યા. મિજાગરાં જડ્યાં અને ભૂંગળો બેસાડી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 હસ્સેનાઆહના વંશજોએ માછલી દરવાજો બાંધ્યો; તેમણે તેની પાસે બારસાખ ઊભી કરી અને બારણાં, આગળા અને ભૂંગળ ચઢાવી દીધાં.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 3:3
11 Iomraidhean Croise  

તે પછી મનાશ્શાએ દાવિદનગરને ગિહોનના ઝરણાની પશ્ર્વિમે ખીણમાં એક સ્થળેથી શરૂ કરી ઉત્તરમાં મચ્છી દરવાજા સુધી બીજો એક બહારનો કોટ બંધાવ્યો; અને નગરના ઓફેલ વિસ્તારને આવરી લેતા કોટની ઊંચાઈ વધારી. યહૂદિયાના પ્રત્યેક કિલ્લાવાળા નગરમાં તેણે સેનાધિકારીઓ મૂક્યા.


ત્યાંથી અમે એફ્રાઈમ દરવાજે, યશાન્યા દરવાજે, માછલી દરવાજે, હનાનેલના બુરજે, શતક બુરજે અને છેક ઘેટાંના દરવાજે પહોંચ્યા. મંદિરના દરવાજા પાસે અમે અમારી કૂચ પૂરી કરી.


મેં તેમને રાજાના વનસંરક્ષક આસાફ પર પણ પત્ર લખી આપવા જણાવ્યું કે જેથી તે મને મંદિરના કિલ્લાના દરવાજાઓ માટે, શહેરના કોટ માટે અને મારા નિવાસસ્થાન માટે ઇમારતી લાકડાં આપે. ઈશ્વર મારી સાથે હતા અને તેથી રાજા પાસે મેં જે કંઈ માગ્યું તે બધું તેમણે મંજૂર કર્યું.


તે પછીના ભાગની મરામત હાક્કોથના પુત્ર ઉરિયાના પુત્ર મરેમોથે કરી. તે પછીના ભાગની મરામત મશેઝાબએલના પુત્ર બેરેખ્યાના પુત્ર મશુલ્લામે કરી. તેના પછી બાઆનાના પુત્ર સાદોકે મરામત કરી.


પાસેઆના પુત્ર યોઆદા તથા બસોદ્યાના પુત્ર મશુલ્લામે “યેશાના દરવાજા” મરામત કરી. તેમણે દરવાજાની બારસાખો તથા તેનાં બારણાં ચડાવ્યાં અને દરવાજો બંધ કરવા માટે નકુચા અને પાટિયાં બેસાડયાં.


સાનબાલ્લાટ, ટોબિયા, અરબી ગેશેમ અને અમારા અન્ય દુશ્મનોએ જાણ્યું કે અમે કોટનું બાંધકામ પૂરું કર્યું છે અને હવે તેમાં કોઈ ગાબડાં પૂરવાનાં બાકી રહ્યાં નથી. જો કે હજી અમે દરવાજાનાં બારણાં ચડાવ્યાં નહોતાં.


હવે કોટની મરામત પૂરી થઈ ગઈ અને દરવાજાનાં બારણાં ચડાવી દેવામાં આવ્યાં. મંદિરના સંરક્ષકો, પવિત્ર ગાયકવૃંદના સભ્યો અને અન્ય લેવીઓને તેમના કામની સોંપણી કરવામાં આવી.


તે તારા દરવાજાઓના આગળિયાઓને સુદૃઢ બનાવે છે;


પ્રભુ કહે છે, “તે દિવસે તમે યરુશાલેમના મચ્છી દરવાજે રુદનનો પોકાર સાંભળશો. વળી, નગરના નવીન વિભાગમાં વિલાપનો અવાજ અને ડુંગરોમાંથી કડાકા સાંભળશો.


Lean sinn:

Sanasan


Sanasan