નહેમ્યા 13:19 - પવિત્ર બાઇબલ C.L.19 તેથી સાબ્બાથની શરૂઆત થતાં એટલે કે સૂર્યાસ્ત થવા આવે ત્યાં સુધીમાં યરુશાલેમના દરવાજાઓ બંધ કરી દેવા અને સાબ્બાથ પૂરો ન થાય ત્યાં સુધી તે ન ઉઘાડવા મેં હુકમો આપ્યા. સાબ્બાથદિને શહેરમાં કંઈ લાવવામાં ન આવે તેની તકેદારી રાખવા મેં મારા માણસોને દરવાજાઓ પર ગોઠવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 સાબ્બાથને આગલે દિવસે સૂર્ય અસ્ત થાય ત્યારે યરુશાલેમની ભાગળો બંધ કરવાની, અને સાબ્બાથ વીત્યા પહેલાં તેઓને નહિ ઉઘાડવાની મેં આજ્ઞા આપી. અને મેં મારા ચાકરોમાંના કેટલાકને ભાગળોના દરોગા ઠરાવ્યા, જેથી શહેરમાં સાબ્બાથને દિવસે કંઈ પણ માલ લાવી શકાય નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 વિશ્રામવારને આગલે દિવસે સૂર્ય અસ્ત થાય ત્યારે યરુશાલેમના દરવાજા બંધ કરવાની અને સાબ્બાથ પહેલાં તેઓને નહિ ઉઘાડવાની મેં આજ્ઞા આપી. મેં મારા ચાકરોમાંના કેટલાકને દરવાજા પર ગોઠવ્યા, જેથી શહેરમાં સાબ્બાથને દિવસે કોઈપણ જાતનો માલ અંદર લાવવામાં ન આવે. Faic an caibideilપવિત્ર બાઈબલ19 તેથી મેં તેઓને આજ્ઞા કરી કે શુક્રવારની રાતે અંધારું થતાં નગરના દરવાજાઓ બંધ કરવામાં આવે અને સાબ્બાથનો દિવસ પૂરો થાય ત્યાં સુધી તેને ઉઘાડવામાં ન આવે. મારા કેટલાક સેવકોને મેં દરવાજા આગળ ગોઠવી દીધા કે જેથી સાબ્બાથે કોઇ પણ જાતનો માલ અંદર લાવવામાં ન આવે. Faic an caibideil |
મેં તેમને યરુશાલેમના દરવાજા સવારમાં સૂર્યોદય થાય તે પછી જ ઉઘાડવા તેમજ સૂર્યાસ્ત વખતે સંરક્ષકો પોતાની ફરજ પરથી જાય તે પહેલાં તેમને બંધ કરી તેમના પર પાટિયાં ગોઠવી દેવા સૂચના આપી. વળી, યરુશાલેમમાં વસતા લોકોમાંથી સંરક્ષકોની નિમણૂક કરવા અને તેમાંના કેટલાકને નિયત ચોકીઓ પર ઊભા રાખવા તથા બીજા કેટલાકને તેમના પોતાનાં ઘરની આસપાસ ફરતા રહી ચોકીપહેરા કરતા રહેવા મેં તેમને જણાવ્યું.