Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 12:1 - પવિત્ર બાઇબલ C.L.

1 શઆલ્તીએલના પુત્ર ઝરુબ્બાબેલ અને પ્રમુખ યજ્ઞકાર યહોશુઆ સાથે બંદીવાસમાંથી પાછા ફરેલા યજ્ઞકારો અને લેવીઓની યાદી આ પ્રમાણે છે:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 જે યાજકો તથા લેવીઓ શાલ્તીએલના પુત્ર ઝરુબ્બાબેલની તથા યેશૂઆની સાથે પાછા આવ્યા તેઓ આ છે: સરાયા, યર્મિયા, એઝરા;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જે યાજકો તથા લેવીઓ શાલ્તીએલના દીકરો ઝરુબ્બાબેલની તથા યેશૂઆની સાથે પાછા આવ્યા તેઓનાં નામ આ છે: સરાયા, યર્મિયા, એઝરા,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 શઆલ્તીએલના પુત્ર ઝરુબ્બાબેલ અને યેશૂઆની સાથે જે યાજકો આવ્યાં તેઓનાં નામની યાદી: સરાયા, યર્મિયા, એઝરા,

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 12:1
22 Iomraidhean Croise  

અને યોસાદાકનો પુત્ર યેશૂઆ તથા તેના સાથી યજ્ઞકારોએ તેમ જ શઆલ્તીએલનો પુત્ર ઝરૂબ્બાબેલ તથા તેના સાથી યજ્ઞકારોએ ઈશ્વરભક્ત મોશેના નિયમશાસ્ત્રમાં લખેલી સૂચનાઓ પ્રમાણે વેદી પર દહનબલિ ચડાવવા માટે ઇઝરાયલના ઈશ્વરની વેદી ફરીથી બાંધી.


દેશનિકાલ થયેલાઓ યરુશાલેમ પાછા ફર્યા તે પછીના બીજા વર્ષના બીજા માસમાં શઆલ્તીએલનો પુત્ર ઝરૂબ્બાબેલ, યોસાદાકનો પુત્ર યેશૂઆ, સાથી યજ્ઞકારો તથા લેવીઓ તેમજ દેશનિકાલીમાંથી યરુશાલેમ પાછા આવેલા સૌએ પ્રભુના મંદિરને ફરી બાંધવાનું કામ શરૂ કર્યું. વીસ કે તેથી વધુ ઉંમરના લેવીઓને મંદિરના બાંધકામની દેખરેખ માટેની જવાબદારી સોંપવામાં આવી.


તેથી તેમણે ઝરૂબ્બાબેલ અને ગોત્રના આગેવાનો પાસે જઈને કહ્યું, “મંદિરના બાંધકામમાં અમે પણ તમારી સાથે જોડાઈશું. તમે જે ઈશ્વરનું ભજન કરો છો તેમને જ અમે ભજીએ છીએ; આશ્શૂરના રાજા એસાર-હાદ્દોને અમને અહીં જીવતા રાખી વસવા દીધા. ત્યારથી અમે એમને બલિદાનો ચડાવીએ છીએ.”


એ સંદેશ સાંભળીને શઆલ્તીએલના પુત્ર ઝરૂબ્બાબેલ અને યોસાદાકના પુત્ર યેશૂઆએ યરુશાલેમમાં આવેલા ઈશ્વરના મંદિરનું બાંધકામ ફરીથી ચાલુ કર્યું અને બન્‍ને સંદેશવાહકોએ તેમને મદદ કરી.


તેની સાથે યજ્ઞકારો, લેવીઓ, મંદિરના સંગીતકારો, સંરક્ષકો અને સેવકો પણ ગયા.


લેવીઓનાં કેટલાંક જૂથ જે અગાઉ યહૂદિયામાં રહેતાં હતાં તેમને માટે બિન્યામીનના કુળપ્રદેશમાં રહેવાની વ્યવસ્થા થઈ.


યહોશુઆ યોયાકીમનો પિતા હતો, યોયાકીમ એલ્યાશીબનો પિતા હતો, એલ્યાશીબ યોયાદાનો પિતા હતો,


યજ્ઞકારોની યાદી આ પ્રમાણે છે: સરાયા, યર્મિયા, એઝરા, અમાર્યા, માલ્લૂખ, હાટ્ટુશ, શખાન્યા, રહૂમ, મરેમોથ, ઈદ્દો, ગિન્‍નથોઈ, અબિયા, મીયામીન, માદ્યા, બિલ્ગા શમાયા, યોયારીબ, યદાયા, સાલ્લુ, આમોક, હિલકિયા. અને યદાયા. આ માણસો યહોશૂઆના સમયમાં તેમના સાથી યજ્ઞકારોમાં આગેવાન હતા.


તેમના આગેવાનોમાં ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, અઝાર્યા, રામ્યા, નાહમાની, મોર્દખાય, બિલ્શાન, મિશ્પરેથ, બિગ્વાઈ, નહૂમ અને બાના હતા.


ઇરાનના સમ્રાટ દાર્યાવેશના અમલના બીજા વર્ષના છઠ્ઠા મહિનાની પહેલી તારીખે પ્રભુએ હાગ્ગાય સંદેશવાહક દ્વારા શઆલ્તીએલના પુત્ર, યહૂદિયાના રાજ્યપાલ ઝરુબ્બાબેલ અને યહોસાદાકના પુત્ર પ્રમુખ યજ્ઞકાર યહોશુઆ માટે સંદેશો મોકલ્યો.


ત્યારે ઝરુબ્બાબેલ, પ્રમુખ યજ્ઞકાર યહોશુઆ તથા બેબિલોનના દેશનિકાલીમાંથી પાછા ફરેલા સર્વ લોકો તેમના ઈશ્વર પ્રભુના આદેશને તથા સંદેશવાહક હાગ્ગાયના સંદેશને આધીન થયા. તેઓ પ્રભુનો ડર રાખવા લાગ્યા.


પ્રભુએ યહૂદિયાના રાજ્યપાલ ઝરુબ્બાબેલ, પ્રમુખ યજ્ઞકાર યહોશુઆ તથા દેશનિકાલીમાંથી પાછા ફરેલા સર્વ લોકોના મનમાં મંદિર બાંધવાની પ્રેરણા કરી.


પ્રભુએ હાગ્ગાયને યહૂદિયાના રાજ્યપાલ ઝરુબ્બાબેલને, પ્રમુખ યજ્ઞકાર યહોશુઆને તેમજ સર્વ લોકોને આમ કહેવા જણાવ્યું:


તેમણે આપેલા સોનારૂપામાંથી મુગટ બનાવીને યહોસાદાકના પુત્ર, પ્રમુખ યજ્ઞકાર યહોશુઆને માથે મૂક.


Lean sinn:

Sanasan


Sanasan