Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 11:1 - પવિત્ર બાઇબલ C.L.

1 લોકોના આગેવાનો યરુશાલેમમાં વસ્યા. બાકીના લોકોએ દર દશ કુટુંબે એક કુટુંબ પવિત્રનગર યરુશાલેમમાં વસે તે નક્કી કરવા માટે ચિઠ્ઠીઓ નાખી; તે સિવાયના લોકોને બીજાં શહેરો અને નગરોમાં રહેવાનું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 લોકોના સરદારો યરુશાલેમમાં વસ્યા. બાકીના લોકોએ પણ એ માટે ચિઠ્ઠીઓ નાખી કે દર દશમાંથી એક [માણસ] પવિત્ર નગર યરુશાલેમમાં વસવા માટે જાય, અને [બાકીના] નવ બીજા નગરોમાં [રહે].

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 લોકોના તમામ આગેવાનો યરુશાલેમમાં વસ્યા અને બાકીના લોકોએ એ માટે ચિઠ્ઠીઓ નાખી કે દર દસમાંથી એક માણસ પવિત્ર નગર યરુશાલેમમાં રહેવા માટે જાય. બાકીના નવ અન્ય નગરોમાં જઈને વસે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 લોકોના તમામ આગેવાનો યરૂશાલેમમાં વસ્યા અને બાકીના લોકોમાંથી દશ માણસમાંથી એક માણસ માટે પવિત્ર નગરી યરૂશાલેમમાં વસે તે માટે ચિઠ્ઠીઓ નાખવામાં આવી. જ્યારે બાકીના નવ અન્ય નગરોમાં જઇને વસ્યા.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 11:1
21 Iomraidhean Croise  

કુટુંબ નાનું કે મોટું છે તે લક્ષમાં લીધા સિવાય કોણ કયા દરવાજાની ચોકી કરશે તે નક્કી કરવા ચિઠ્ઠીઓ નાખી.


આ બધા પૂર્વજોના કુટુંબોના વડા તેમજ મુખ્ય વંશજો હતા. તેઓ યરુશાલેમમાં રહેતા હતા.


ઇઝરાયલના બધા લોકોની કુટુંબવાર વંશાવળી ઇઝરાયલના રાજાઓના ગ્રંથમાં નોંધવામાં આવી. યહૂદાના લોકોને તેમના પાપની શિક્ષારૂપે બેબિલોનમાં દેશનિકાલ કરવામાં આવ્યા હતા.


પોતપોતાનાં નગરોમાં પોતાની જમીન પર પ્રથમ વસવા આવનાર કેટલાક ઇઝરાયલીઓ યજ્ઞકારો, લેવીઓ અને મંદિરના સેવકો હતા.


યહૂદા, બિન્યામીન, એફ્રાઈમ અને મનાશ્શાના કુળના લોકોએ યરુશાલેમમાં વસવાટ કર્યો.


નિયમશાસ્ત્રમાં ઠરાવ્યા પ્રમાણે, પ્રભુ અમારા ઈશ્વરને અર્પવામાં આવતાં બલિદાનોના વેદી પરના દહન માટે કયું ગોત્ર લાકડાં પૂરાં પાડશે તે અમે, એટલે લોકો, યજ્ઞકારો અને લેવીઓ પ્રતિ વરસે ચિઠ્ઠી નાખીને નક્કી કરીશું.


પવિત્ર નગર યરુશાલેમમાં બધા મળીને 284 લેવીઓ રહેતા હતા.


એ સમય દરમ્યાન મેં લોકોને કહ્યું કે તેમણે તેમના સાથીદારો સહિત રાત્રે યરુશાલેમમાં જ રોકાવું, જેથી આપણે રાત્રે શહેરનું રક્ષણ કરી શકીએ અને દિવસે કામ કરી શકીએ.


અહીં ઇઝરાયલના દાવિદવંશી રાજવીઓ રાજ્યાસન પર બિરાજતા, અને નેકીપૂર્વક રાજ કરતા.


યરુશાલેમની આબાદી માટે પ્રાર્થના કરો; “હે યરુશાલેમ, તારા પર પ્રેમ કરનાર સમૃદ્ધ બનો.”


ઈશ્વરની ઇચ્છા જાણવા માણસો પાસાં નાખે છે; પણ નિર્ણય પ્રભુના હાથમાં છે.


તમે તો પવિત્ર શહેરના નાગરિક છો અને જેમનું નામ સર્વસમર્થ યાહવે છે તે ઇઝરાયલના ઈશ્વર પર આધાર રાખો છો.


જાગ, ઓ સિયોન જાગ! સામર્થ્ય ધારણ કર. હે પવિત્ર શહેર યરુશાલેમ, તારાં વૈભવી વસ્ત્રો ધારણ કર. હવે પછી તારા દરવાજાઓમાં સુન્‍નતરહિત અશુદ્ધ પ્રજાઓ ધૂસી જશે નહિ.


ઈસુ મરણમાંથી સજીવન થયા પછી તે લોકો કબરમાંથી બહાર નીકળીને પવિત્ર નગરમાં ગયા અને ઘણા લોકોએ તેમને જોયા.


ત્યાર પછી શેતાન ઈસુને પવિત્ર શહેરમાં લઈ જાય છે અને મંદિરના સૌથી ઊંચા ભાગ પર બેસાડીને કહે છે,


પછી તેમણે પ્રાર્થના કરી,


પછી એ બે નામ માટે તેમણે ચિઠ્ઠીઓ નાખી. માથ્થીયસનું નામ પસંદ થયું અને અગિયાર પ્રેષિતો સાથે તેની ગણના થઈ.


યહોશુઆએ તેમને માટે પાસાં નાખીને પ્રભુની સલાહ પૂછી અને ઇઝરાયલનાં બાકી રહેલાં કુળોમાંથી પ્રત્યેક કુળને દેશનો અમુક ભાગ ફાળવી આપ્યો.


Lean sinn:

Sanasan


Sanasan