Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 6:56 - પવિત્ર બાઇબલ C.L.

56 ગામડાંઓમાં, શહેરોમાં કે પરાંઓમાં જ્યાં જ્યાં ઈસુ ગયા ત્યાં ત્યાં લોકો તેમનાં માંદાઓને ચોકમાં લાવતા, અને ઈસુના ઝભ્ભાની કોરને સ્પર્શ કરવા દેવા આજીજી કરતા. જેટલા ઝભ્ભાની કોરને સ્પર્શ કરતા તે બધા જ સાજા થઈ જતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

56 અને તે જે જે ગામોમાં કે શહેરોમાં કે પરાંઓમાં આવ્યા, ત્યાં તેઓએ માંદાઓને ચૌટાઓમાં રાખ્યા, ને તેમને વિનંતી કરી, “તેઓને માત્ર તમારા વસ્‍ત્રની કોરને અડકવા દો:” અને જેટલા તેમને અડક્યા તેટલા સાજા થયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

56 જે જે ગામો, શહેરો કે પરાંઓમાં ઈસુ ગયા, ત્યાં તેઓએ માંદાઓને ચોકમાં રાખ્યા અને તેમને વિનંતી કરી કે, ‘તેઓને માત્ર તમારા વસ્ત્રની કોરને અડકવા દો;’ જેટલાંએ તેમને સ્પર્શ કર્યો તેઓ સાજાં થયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

56 ઈસુ તે પ્રદેશના આસપાસનાં ગામો, શહેરો અને ખેતરોમાં ગયો અને દરેક જગ્યાએ ઈસુ ગયો. ત્યાં તે લોકો બિમાર લોકોને બજારના સ્થળોએ લાવ્યા. તેઓ ઈસુને તેનાં ઝભ્ભાની કીનારને પણ સ્પર્શ કરવા દેવા માટે વિનંતી કરી. અને બધા લોકોએ જેમણે સ્પર્શ કર્યો તે સર્વ સાજાં થઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 6:56
15 Iomraidhean Croise  

એક વાર દફન વખતે એવું એક ધાડું દેખાયું. તેથી લોકો શબને એલિશાની કબરમાં નાખી દઈ નાઠા. શબ એલિશાના હાડકાંને અડકયું કે પેલો માણસ સજીવન થઈ બેઠો થયો.


પ્રભુએ મોશેને કહ્યું, “તું ઇઝરાયલીઓને આ પ્રમાણે કહે: તમારે અને તમારા વંશજોએ વંશપરંપરાગત એક કાયમી નિયમ તરીકે વસ્ત્રોની કોરને કિનારી લગાડવી અને એ કિનારીમાં નીલરંગી દોરો ગૂંથવો.


ઈસુ બીમારોને માત્ર પોતાના ઝભ્ભાની કોરનો સ્પર્શ કરવા દે તેવી તેમણે વિનંતી કરી. જેટલાએ સ્પર્શ કર્યો તેટલા બધા સાજા થયા.


એક સ્ત્રીને બાર વરસથી રક્તસ્રાવનો રોગ થયો હતો. તેણે ઈસુની પાસે આવીને તેમના ઝભ્ભાની કિનારને સ્પર્શ કર્યો.


કારણ, તેમણે ઘણા લોકોને સાજા કર્યા હતા, અને બધા બીમાર માણસો તેમની પાસે જઈને તેમને સ્પર્શ કરવા પડાપડી કરતા હતા,


તેથી તેઓ આખા પ્રદેશમાં ફરી વળ્યા, અને જ્યાં ઈસુ જતા હોય ત્યાં બીમાર માણસોને તેમની પથારીમાં લાવવા લાગ્યા.


પણ ઈસુએ કહ્યું, “બસ!” પછી તેમણે એ માણસના કાનને સ્પર્શ કરીને તેને સાજો કર્યો.


બધા લોકો તેમને સ્પર્શ કરવા પ્રયત્ન કરતા હતા, કારણ, તેમનામાંથી પરાક્રમ નીકળતું હતું, અને બધાને સાજા કરતું હતું.


તે ભીડમાં ઈસુની પાછળ આવી અને તેમના ઝભ્ભાની કિનારીને અડકી, એટલે તરત જ તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો.


માત્ર તેમની મારફતે જ ઉદ્ધાર મળે છે. કારણ, જેનાથી આપણો ઉદ્ધાર થાય એવા બીજા કોઈનું નામ ઈશ્વરે આખી દુનિયામાં માણસોને આપ્યું નથી.”


એ અપંગ માણસ સાજો થયો તે સારા કાર્ય સંબંધી તમે અમને આજે પૂછતા હો,


પ્રેષિતોનાં કાર્યોને પરિણામે લોકો બીમાર માણસોને શેરીઓમાં ઊંચકી લાવતા અને ખાટલા કે પથારીઓ પર સૂવાડતા; જેથી પિતર ત્યાં થઈને જતો હોય, ત્યારે કંઈ નહિ તો તેનો પડછાયો એમાંના કેટલાક પર પડે.


“તમારે તમારા ડગલાને ચારે ખૂણે ઝાલર મૂકવી.


Lean sinn:

Sanasan


Sanasan